જુનાગઢ: 11 સિંહનુ ટોળુ વનરાજીમાં મસ્તી કરતુ નજરે ચડયુ, જુઓ VIDEO
જૂનાગઢમાં વરસાદ થતાં જંગલમાં વનરાજી ખીલી ઊઠી છે. લીલાછમ ઘાસની ચાદર પથરાઇ ગઇ છે ત્યારે વનરાજ પણ આ વનરાજીમાં મુક્ત મને વિહરી રહ્યાં છે. સિંહ પરિવારની આ તસવીર જોઇ કવિ હૃદયમાંથી આ શબ્દો સરી પડે કે. ‘વનરાજી જોઇ થયા રાજી વનરાજ, છોડી રૂવાબ બાળક થઇ આળોટ્યા સૌ સાથ’. આ તસવીર ડીસીએફ સાસણગીરએ ટ્વીટ કરી છે […]
જૂનાગઢમાં વરસાદ થતાં જંગલમાં વનરાજી ખીલી ઊઠી છે. લીલાછમ ઘાસની ચાદર પથરાઇ ગઇ છે ત્યારે વનરાજ પણ આ વનરાજીમાં મુક્ત મને વિહરી રહ્યાં છે. સિંહ પરિવારની આ તસવીર જોઇ કવિ હૃદયમાંથી આ શબ્દો સરી પડે કે. ‘વનરાજી જોઇ થયા રાજી વનરાજ, છોડી રૂવાબ બાળક થઇ આળોટ્યા સૌ સાથ’. આ તસવીર ડીસીએફ સાસણગીરએ ટ્વીટ કરી છે અને લખ્યું છે કે, સૌરાષ્ટ્રમાં સિંહ મુક્ત મને ફરતા હોય છે. લોકોનો સહકાર અને અસરકારક સંચાલનનાં કારણે તેમની વસ્તી 674એ પહોંચી છે.
ગીર જંગલમાં વર્ષાઋતુના આગમન બાદ નદી-નાળાંમાં પૂરની સંભાવના વધી જતી હોય છે. પરિણામે સાવજોના આરામમાં ખલેલ પહોંચતી હોય છે. આથી આવા સમયે સિંહ ગીચતા અને ઘાસવાળા વિસ્તારો છોડી ડુંગરાળ અને ટેકરાવાળા વિસ્તારોમાં ચાલ્યા જાય છે. કારણકે આવા વિસ્તારોમાં ખુલ્લી હવા સાથે પવનનું જોર પ્રમાણમાં વધુ હોય છે. જે તેને મચ્છરના ઉપદ્રવથી બચાવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો