AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાંગ દરબાર 2022ની પૂર્ણાહુતિ, લોકમેળાની આશરે 5 લાખ લોકોએ મુલાકાત લીધી

કોરોનાકાળ પછી પહેલીવાર યોજાયેલ લોકમેળામાં રાત્રે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાંગનું ડાંગી ડાન્સ, પાવરી નૃત્ય, હરિયાણાના ફાગ નૃત્ય, પંજાબના બાંગડા નૃત્ય સ્થાનિક યુવા કલાકરો દ્વારા વેસ્ટર્ન ડાન્સની મજા માણી હતી.

ડાંગ દરબાર 2022ની પૂર્ણાહુતિ, લોકમેળાની આશરે 5 લાખ લોકોએ મુલાકાત લીધી
The completion of Dang Darbar 2022, Lokmela was visited by about 5 lakh people
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 5:46 PM
Share

દેશમાં એકમાત્ર ડાંગ (DANG) જિલ્લાના ભીલ રાજાઓને (Bhil Raja) આપવામાં આવતા પોલિટિકલ પેંશન (Political pension)એટલે કે રાજકીય સાલીયાણાંને આપવા માટે ખુદ રાજ્યના રાજ્યપાલ ડાંગ જાય છે. ડાંગના પાંચ રાજાને માન સન્માન સાથે પોલિટિકલ પેંશન આપવાના આ કાર્યક્રમને ડાંગ દરબાર (Dang Darbar)તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાજપરિવારના સભ્યો, રાજ્યપાલ મંત્રી અને અધિકારીઓ સહિત આમંત્રિત મહેમાનોના મનોરંજન માટે વિવિધ પ્રાંતના સંગીત, લોકનૃત્ય, રજૂ કરવામાં આવે છે.

કેમ ઉજવાય છે ડાંગ દરબાર ? શું છે વર્ષો જુની પરંપરા ?

વર્ષો જૂની આ પરંપરા આજેપણ ચાલુ છે. ગત વર્ષ 2021માં કોરોના સંક્રમણને કારણે આ કાર્યક્રમ ખૂબ સાદગીપૂર્ણ કલેકટર કચેરીમાં રાખવામાં આવ્યો હતો. હાલમાં કોરોના સંક્રમણ નહિવત હોવાથી ડાંગ દરબાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જે તારીખ 16 માર્ચ મોડી રાતે શાંતિપૂર્વક સંપન્ન થયો છે. મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવર્તના હસ્તે શરૂ થયેલ 4 દિવસના લોકમેળામાં આશરે 5 લાખ લોકોએ મુલાકાત લીધી હતી.

ડાંગ દરબારમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, યુવા કલાકારોએ નૃત્યોની જામવટ કરી

આદિવાસી સમાજ માટે મહત્વના આ મેળામાં રાજ્ય અને રાજ્ય બહારના 500થી વધુ નાના મોટા વેપારીઓ એ ભાગ લીધો અને સારો એવો વેપાર કર્યો હતો. કોરોનાકાળ પછી પહેલીવાર યોજાયેલ લોકમેળામાં રાત્રે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાંગનું ડાંગી ડાન્સ, પાવરી નૃત્ય, હરિયાણાના ફાગ નૃત્ય, પંજાબના બાંગડા નૃત્ય સ્થાનિક યુવા કલાકરો દ્વારા વેસ્ટર્ન ડાન્સની મજા માણી હતી.

દરબાર માણવા આવેલ લોકોના ઉત્સાહ વધારવા અને રાજાઓના સન્માનમાં આકાશમાં આતશબાજી પણ કરવામાં આવી હતી. માત્ર 15 દિવસના ટૂંકા સમયમાં આયોજન કરવામાં આવેલ ડાંગ દરબારના સફળતા માટે વહીવટી તંત્ર વતી જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ મહામહિમ રાજ્યપાલ, પાંચ રાજા રાજવી પરિવારો અને વેપારીઓ સહિત મેળામાં આવેલ તમામ મહેમાનોનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો : શરાબ જૂની સારી, એમ જ રાજકારણી જૂનો અને અનુભવી સારો, ચાલુ રેસમાં ઘોડા ન બદલાય માટે પંજાબમાં આવું થયું : શંકરસિંહ વાઘેલા

આ પણ વાંચો : શું તમે જાણો છો, વર્ષોથી તમે જે સંભાર આરોગો છો તે દક્ષિણ ભારતીય વાનગી નથી? મહારાષ્ટ્રના જાણીતા રાજા સાથે જોડાયેલો છે ઈતિહાસ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">