AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેઘમલ્હાર મહોત્સવ ડાંગની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે : પૂર્ણેશ મોદી

રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડા પ્રધાન નરેદ્ર મોદીએ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે સાપુતારા ખાતે મોનસૂન ફેસ્ટિવલ ની શરૂઆત કરી હતી.

મેઘમલ્હાર મહોત્સવ ડાંગની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે : પૂર્ણેશ મોદી
Inauguration of Monsoon Festival by Purnesh Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 1:00 PM
Share

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા(Saputara) ખાતે રાજ્યના પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે એક માસ માટે મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો. ચાલુ વર્ષે મોન્સૂન ફેસ્ટિવલ 2022 ને મેઘમલ્હાર નામ આપવામાં આવ્યું છે. એક માસ માટે પ્રવાસીઓ  માટે  રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે એડવેન્ચર એક્ટિવિટીનું આયોજન આ મહોત્સવ દરમ્યાન કરવામાં આવશે. આ અવસરે પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આપનો દેશ સંસ્કૃતિને વરેલો છે. મેઘમલ્હાર મહોત્સવ ડાંગની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે.

રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડા પ્રધાન નરેદ્ર મોદીએ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે સાપુતારા ખાતે મોનસૂન ફેસ્ટિવલ ની શરૂઆત કરી હતી. આ ફેસ્ટિવલ નું દર વર્ષે ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવે છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ 2022 માં આયોજિત મોનસૂન ફેસ્ટીલવ ને મેઘમલ્હાર પર્વ નું નામ આપવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી ના હસ્તે કરવામાં આવ્યું છે.

એક માસ સુધી ચાલનારા આ પર્વનું ઉદ્ઘાટન સ્વાગત સર્કલ ખાતેથી એક પરેડ રૂપે કરવામાં  આવ્યું હતું જેમાં ડાંગી નૃત્ય, પંજાબી નૃત્ય, અને મહારાષ્ટ્રના લોક નૃત્ય સાથે સિદી કલાકારો એ લોક નૃત્ય રજૂ કર્યું હતું. ફેસ્ટિવલના ઉદ્ઘાટન સાથે સાપુતારા ખાતે નવા મ્યૂઝિકલ ફાઉન્ટેન, એમ્ફિ થિયેટર બોટિંગ જેટી જેવા અનેક પ્રકલ્પો નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વર્ષે મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ માં ખાસ ડાંગી ફૂડ કોર્ટ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ડાંગ જિલ્લા ની પ્રખ્યાત નાગલી ધાન્ય સહિતની વિવિધ વાનગીઓ નો રસથાળ પીરસવામાં આવશે. કોરોનાકાળના 2 વર્ષ બાદ ફરી એકવાર મોનસૂન ફેસ્ટિવલ ના આયોજન ને લઈને પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચોમાસામા નવપલ્લવિત થઈ ઉઠતી ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકોને મેઘમલ્હાર પર્વ દરમિયાન સાપુતારાના મુખ્ય ડોમ ખાતે શનિ, રવિની રજાઓ સહિત જાહેર રજાઓના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.  જન્માષ્ટમી પર્વે દહીં હાંડી સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ, તથા નેચર ટ્રેઝર હન્ટ ના વિશેષ કાર્યક્રમોનુ પણ આયોજન કરવામાં આવશે. મહોત્સવને ચોમાસા દરમ્યાન પર્યટકોનું વિશેષ આકર્ષણ બનાવવા પ્રયત્ન કરાઈ રહ્યો છે.

Follow Us
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
g clip-path="url(#clip0_868_265)">