Dahod : દાહોદમાં લાંબા વિરામ બાદ મેધરાજાની એન્ટ્રી થઈ હતી. વરસાદ (Rain) વરસતા જ ખેડૂતો (Farmer)માં આનંદની લાગણી છવાઈ હતી. હજુ પણ અમુક વિસ્તારોમાં વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતિત થયા છે.
દાહોદ (Dahod) જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. લાબા વિરામ બાદ મેઘરાજા ની એન્ટ્રી થતા ખેડૂતો (Farmer)માં આનંદની લાગણી ફેલાઈ હતી.લીમડી, દેપાડા, કારઠ સહિતના વિસ્તારમાં મેધરાજા ની પધારમણી થઈ હતી.
લાંબા વિરામ બાદ 10 જુલાઈથી મેધરાજા ફરી જમાવટ કરી શકે છે. 10 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો 11 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર બની રહ્યું છે. આ લૉ-પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. લોકોએ 9 જુલાઈ સુધી ઉકળાટનો સહન કરવો પડશે.
બીજી બાજુ સમગ્ર રાજ્યમાં હાલ વરસાદ ખેંચાયો છે, જેની સીધી અસર રાજ્યમાં આવેલા મુખ્ય જળાશયોને પહોંચી છે. વરસાદ વગર વાવેતર પાછળ ખેડૂતોએ કરેલા ખર્ચને લઈ મુશ્કેલી વધી છે.
આ પણ વાંચો :Jamnagar : છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળા છોડી, સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની સંખ્યા વધી