Dahod : રણીયાર ગામના રણછોડરાય મંદિરના પટાગણમાં ચુલના મેળાનું અનેરુ આયોજન

ઝાલોદ તાલુકાના રણીયાર ગામના રણછોડરાય મંદિરના પટાગણમાં ચુલના મેળાનું અનેરુ આયોજન કરવામાં આવ્યું હતું. ચુલના મેળામાં અહીંના લોકો ધગધગતા અંગારા પર ચાલીને પોતાની માનતા પુરી કરી હતી.

Dahod : રણીયાર ગામના રણછોડરાય મંદિરના પટાગણમાં ચુલના મેળાનું અનેરુ આયોજન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 8:46 AM

દાહોદ જિલ્લામાં ધુળેટીની પરંપરાગત અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ઝાલોદ તાલુકાના રણીયાર ગામના રણછોડરાય મંદિરના પટાગણમાં ચુલના મેળાનું અનેરુ આયોજન કરવામાં આવ્યું હતું. ચુલના મેળામાં અહીંના લોકો ધગધગતા અંગારા પર ચાલીને પોતાની માનતા પુરી કરી હતી. આ મેળામાં ઠંડી ચુલ અને ગરમ ચુલ એમ બે ચુલ ચાલવા માટે રાખવામાં આવે છે.

આ પણ વાંચો : Dahod : માવઠાની આગાહીને પગલે ખુલ્લા અનાજને સુરક્ષિત મૂકવાની ખેતીવાડી અધિકારીએ આપી સૂચના

આ ચૂલમાં ચાલવા માટે બાજુમા આવેલા તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચુલના ફેરા ફરે છે અને ત્યારબાદ પોતાની માનતા પુરી કરવા માટે લોકો ધગધગતા અંગારામા ચાલતા હોય છે. ચુલના મેળામાં ધગધગતા અંગારા પર ચાલતા લોકોને કોઈપણ જાતની ઈજાઓ થતી નથી કે પગમાં છાલા પણ પડ્તા નથી. આવી પરંપરા જોવા અને મેળાનો લાભ લેવા લોકો દૂર-દૂરથી અહીં આવી ધુળેટીનો તહેવાર રણછોડરાયના સાંનિધ્યમાં ઉજવતા હોય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

માનતા શા માટે માને છે

દાહોદના આદિવાસીઓ વર્ષોથી તેમની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ સાચવી રાખી છે. આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર હોળીનો હોય છે અને આ હોળીના તહેવારમાં આદિવાસી સમાજનો કોઈ પણ વ્યક્તિ દેશનાં કોઈ પણ ખૂણામાં ગયો હોઈ તે અવશ્ય પોતાના માદરે વતનમાં આવતા હોય છે.આદિવાસી લોકોને પ્રકૃતિ પૂજક માનવામાં આવે છે. તેમની આસ્થા અને માન્યતાઓ વિભિન્ન પ્રકારની હોઈ છે. બિમારીથી છૂટકારો મેળવવા ,કામધંધા અને ખેતીમાં સારી આવક થાય તે માટે તેમના ઇસ્ટદેવની માનતા લેતા હોય છે.

છોટા ઉદેપુરના ગામોમાં ચુલનો મેળો

હોળી બાદ છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ ગામોમાં ચુલનાં મેળા ભરાય છે. ચુલ એટલે કે એક ફૂટ પહોળો અને પાંચ થી છ ફૂટ જેટલો ખાડો ખોદે છે તેમાં હોળીના અંગારા અને કોલસા નાખવામા આવે છે. જેની બાધા પૂર્ણ થઈ હોઈ તે વ્યક્તિ ધકધક્તા અંગારા પર તલવાર અને નાળિયેર લઈ ને ચાલે છે. બાધા લેનાર વ્યક્તિ જે અંગારા પર ચાલે છે તેમની આ પરંપરા આસ્થા સોથે જોડાયેલી હોય છે. છોટાઉદેપુર ખાતે આવોજ મેળો યોજાયો હતો. જ્યા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જ્યા તેમની વર્ષોની પરંપરા મુજબ ઢોલ ત્રાશા અને પીહા વગાડી નાચગાન કરી આ હોળી જ્યાં સળગાવવામાં આવે છે ત્યાં ફેરા લે છે અને જે લોકો એ બધા લીધી હોઈ તે અહીં તેઓ પૂર્ણ કરતા હોય છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">