કોરોના કાળની અસર ભક્તો પર પડી, અંબાજી મંદિર 28 મે સુધી અને ચોટીલા મંદિર અનિશ્ચિત મુદત માટે બંધ

કોરોના કાળની અસર ભક્તો પર પણ પડી છે. મંદિરોના ટ્રસ્ટ દ્વારા દર્શાનાર્થીઓને દર્શન કરવા ન આવવાની પણ અપીલ કરવામાં આવી છે.

| Updated on: May 22, 2021 | 9:24 AM

કોરોના કાળની અસર ભક્તો પર પણ પડી છે. અંબાજી મંદિર 28 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. પહેલા આ નિર્ણય 21 મે સુધી લેવામાં આવ્યો હતો, પરંતુ હવે બંધ રહેવાની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે. બીજી તરફ ચોટીલા મંદિર પણ 21 મે સુધી બંધ રહેવાનું હતું, પરંતુ તેને પણ અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવ્યું છે. મંદિરોના ટ્રસ્ટ દ્વારા દર્શાનાર્થીઓને દર્શન કરવા ન આવવાની પણ અપીલ કરવામાં આવી છે.

હવે ગુજરાત કોરોના સામે જંગ જીતી રહ્યું છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં 43 દિવસ બાદ 4500 થી નીચે કેસ નોંધાયા છે. નવા દર્દીઓ સામે સતત 17માં દિવસે સાજા થનારા દર્દીઓ વધારે છે. કેસના આંકડા પર નજર કરીએ તો, સતત બીજા દિવસે રાજ્યમાં નવા 4 હજાર 251 કેસ સામે 8 હજાર 783 દર્દીઓ સાજા થયા છે, તો વધુ 65 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા.

આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9469 પર પહોંચ્યો છે, તો સાજા થનારા દર્દીઓની સંખ્યા 6 લાખ 86 હજાર 581 પર પહોંચી છે. આ સાથે જ રાજ્યમાં સક્રિય કેસ ઘટીને 84 હજાર 421 પર પહોંચ્યા છે. જો કે હજુ 692 દર્દીઓ વેન્ટિલેટર પર છે, પરંતુ રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 87.97 ટકા થયો છે.

રાજ્યના મહાનગરોની સ્થિતિ પર નજર કરીએ તો, અમદાવાદમાં 1376 દર્દીઓ સાજા થયા, જ્યારે 10 દર્દીના મૃત્યુ સાથે 831 કેસ નોંધાયા. સુરતમાં 782 દર્દીઓ સાજા થયા, જ્યારે 7 દર્દીના મૃત્યુ સાથે 440 કેસ નોંધાયા. વડોદરામાં 1066 દર્દી સાજા થયા, જ્યારે 7 દર્દીના મૃત્યુ સાથે 539 કેસ નોંધાયા છે. આ તરફ રાજકોટમાં 408 દર્દી સાજા થયા, જ્યારે 6 દર્દીના મૃત્યુ સાથે 287 કેસ નોંધાયા.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">