વડોદરામાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે, શહેરમાં રસીકરણ પણ ધીમું પડયું

|

Nov 23, 2021 | 5:58 PM

વડોદરામાં રસીકરણની વાત કરવામાં આવે તો રસીકરણ અભિયાન અહીં ધીમું પડ્યું છે. સોમવારે અહીં માત્ર 1650 લોકોએ જ રસી મુકાવી હતી. જેમાં બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા માત્ર 1168 જ હતી. રાહતની વાત એ છે કે, શહેરના 85 ટકા લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે.

કોરોનાનો કેર ફરી માથું ઉંચકી રહ્યો છે. જેમાં વડોદરા શહેરની વાત કરવામાં આવે તો કોરોનાના નવા 6 નવા કેસ સામે આવ્યા છે. વડોદરામાં હાલ કુલ 2 દર્દીઓ ઓક્સિજન પર છે તો બીજી તરફ 2 દર્દીઓ એવા છે કે, જે વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. વડોદરા શહેરના કપુરાઇ, ગોત્રી, અકોટા, સુભાનપુરા અને ગોરવા વિસ્તારમાં નવા કેસો નોંધાયા છે. વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં 72,265 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9,690 પશ્ચિમ ઝોનમાં 12,068 ઉત્તર ઝોનમાં 11,840, દક્ષિણ ઝોનમાં 11,850 વડોદરા ગ્રામ્યમાં 26,781 નોંધાયા છે.

કોરોનાના અત્યારસુધી કેટલા કેસ નોંધાયા

કોરોનાના કુલ કેસની વાત કરીએ તો વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 72,271 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,596 લોકોએ કોરોનાને માત આપી છે. હાલમાં કુલ 52 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વડોદરામાં હાલમાં 89 લોકોઓ કોરોનાના પગલે ક્વોરન્ટીન છે. તો બીજી તરફ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 10 દર્દીઓ એવા છે કે, જે મ્યુકોરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા છે. રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં મ્યુકોરમાઇકોસિસનો એકપણ કેસ સામે આવ્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કોરોના વેક્સિનેશન ધીમુ પડયું

વડોદરામાં રસીકરણની વાત કરવામાં આવે તો રસીકરણ અભિયાન અહીં ધીમું પડ્યું છે. સોમવારે અહીં માત્ર 1650 લોકોએ જ રસી મુકાવી હતી. જેમાં બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા માત્ર 1168 જ હતી. રાહતની વાત એ છે કે, શહેરના 85 ટકા લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. આગામી દિવસોમાં રસીકરણ ઝડપી બને તેવી સંભાવના છે.

નોંધનીય છેકે દિવાળી અને નવરાત્રિના તહેવાર બાદ કોરોના ધીમેધીમે પગપેસારો કરી રહ્યો છે. તેમાંપણ લોકો પ્રવાસ કરવા ગુજરાત બહાર નીકળી પડયા હતા. જેને કારણે ધીમેધીમે કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. આ વચ્ચે હજુ પણ કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. ત્યારે હજુ પણ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. પરંતુ, લોકો કોરોનાને લઇને ધીમેધીમે બેદરકાર બની ગયા છે. જેથી દરેક લોકોને સલાહ છેકે કોરોના હજુ આપણી વચ્ચે જ છે. ગયો નથી. જેથી સાવચેત રહો,

આ પણ વાંચો : કૃષિ કાયદા પરત લેવા મુદ્દે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક, ક્રિપ્ટોકરન્સી પર થઈ શકે છે મોટી જાહેરાત

Published On - 4:33 pm, Tue, 23 November 21

Next Article