AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 6275 કેસ નોંધાયા

ગુજરાતમાં 09 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 6275 કેસ નોંધાયા છે. જ્યારે ઓમીક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી.

ગુજરાતમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 6275 કેસ નોંધાયા
Gujarat Corona Update(File Photo)
| Updated on: Jan 09, 2022 | 10:16 PM
Share

ગુજરાતમાં(Gujarat)  09 જાન્યુઆરીના રોજ કોરોનાના(Corona)  નવા 6275 કેસ નોંધાયા છે. જ્યારે ઓમીક્રોનનો (Omicron)  એક પણ કેસ નોંધાયો નથી.ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 27913 કેસ નોંધાયા છે. જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર છે. તેમજ 27887 લોકો સ્ટેબલ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધેલા કેસો પર નજર કરીએ તો અમદાવાદમાં 2487, સુરતમાં 1696, વડોદરા 347, રાજકોટ 194, સુરત જિલ્લામાં 183 , ગાંધીનગરમાં 153, નવસારીમાં 118, વલસાડમાં 107, ભાવનગરમાં 98, કચ્છમાં 70,ભરૂચમાં 68 , ખેડામાં 67, આણંદમાં 64, રાજકોટ જિલ્લામાં 60, પંચમહાલમાં 57,

ગાંધીનગર જિલ્લામાં 53, વડોદરા જિલ્લામાં 51, જામનગરમાં 49, જુનાગઢમાં 45, સાબરકાંઠા 35, અમદાવાદ જિલ્લો 32, મોરબી 29, નર્મદા 25, અમરેલી 24, અરવલ્લી 24, મહેસાણા 19, પાટણ 17, બનાસકાંઠા 13, દ્વારકા 12, સુરેન્દ્રનગર 12, ભાવનગર જિલ્લો 11, ગીર સોમનાથ 09, મહીસાગર 09,

દાહોદ 08, જામનગર જિલ્લામાં 08, તાપી 07, પોરબંદર 06, છોટા ઉદેપુરમાં 03, બોટાદમાં 02, જૂનાગઢ જિલ્લામાં 02 અને ડાંગમાં 01 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં સૌથી વધુ વિકટ સ્થિતિ અમદાવાદ શહેરની છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના કેસનો આંકડો મળીને 2500ને પાર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના 2487 નવા દર્દી મળ્યાં તો 396 દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા. જ્યારે અમદાવાદ જિલ્લામાં 32 નવા કેસ મળ્યાં અને 14 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી.

રાજ્યના બીજા સૌથી મોટા મહાનગર સુરતમાં પણ કોરોનાનો મહાવિસ્ફોટ થયો સુરત શહેરમાં કોરોનાના 1696 નવા કેસ સામે આવ્યા. તો 263 દર્દીઓ સારવાર બાદ સાજા થયા. સુરત જિલ્લામાં 183 કોરોના કેસ નોંધાયા અને 49 દર્દી સારવાર બાદ સાજા થયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં  ઓમીક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં ઓમીક્રોનના કુલ કેસની સંખ્યા 236 પહોંચી છે. જેમાંથી 152 લોકોને સાજા થતાં રજા આપવામાં આવી છે. જેમાં ઓમીક્રોનના સૌથી વધુ કેસ અમદાવાદમાં 105 નોંધાયા છે.વડોદરામાં 35, આણંદમાં 23, સુરતમાં 20, ખેડામાં 12 ,

મહેસાણામાં 07, રાજકોટમાં 07, ગાંધીનગરમાં 05, કચ્છમાં 05, જામનગરમાં 04, ભરૂચમાં 04, બનાસકાંઠામાં 02, અમરેલીમાં 02, વડોદરા જિલ્લામાં 01, પોરબંદરમાં 01, જુનાગઢમાં 01, જામનગરમાં 01, અને અમદાવાદ જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો : વડોદરામાં પતંગરસિકોની બજારમાં ભીડ ઉમટી, કોરોના નિયમોનું ઉલ્લંઘન

આ પણ વાંચો :  Ahmedabad: કોંગ્રેસમાં વિપક્ષના નેતા પદ મુદ્દે વિવાદ, શહેજાદ ખાને કહ્યું તમામ આક્ષેપો ખોટા, પાર્ટીનો આદેશ શિરોમાન્ય

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">