Banaskantha : અનુસુચિત જાતિના બહિષ્કાર મુદ્દે સરપંચ સહિત 14 સામે ફરિયાદ

કરિયાણાની દુકાન હોય કે ફ્લોર ફેક્ટરી દરેક પ્રકારે અનુસૂચિત જાતિના લોકો સાથે વ્યવહાર બંધ કરી દેવાયો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 28, 2021 | 8:32 AM

Banaskantha ના નળાસર ગામે અનુસૂચિત જાતિના પરિવારોના બહિષ્કાર મુદ્દે Tv9ના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે.પાલનપુર તાલુકા પોલીસે 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કરવામાં મહત્વનો ભાગ ભજવનાર સરપંચ પતિ સહિત 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પાલનપુરના નળાસર ગામે અનુસૂચિત જાતિના લોકોનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે. અનુસૂચિત જાતિના લોકો સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. કરિયાણાની દુકાન હોય કે ફ્લોર ફેક્ટરી દરેક પ્રકારે અનુસૂચિત જાતિના લોકો સાથે વ્યવહાર બંધ કરી દેવાયો છે. અનુસૂચિત જાતિના લોકોનું કહેવું છે કે ગામમાં તેમની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે તેઓ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે. બાળકોને પાલનપુર શિક્ષણ માટે જવા વાહનચાલકો પણ તેમનો બહિષ્કાર કરી રહ્યા છે.

પોતાની સાથે થઈ રહેલા અત્યાચાર મામલે સમાજના આગેવાનો જિલ્લા મથકે પહોંચ્યા હતા. તેમણે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા સુધી રજૂઆતો કરી હતી. જે અંગે Tv9એ પણ ગઈકાલે અહેવાલ રજૂ કર્યો હતો. જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું.પોલીસે તાત્કાલિક ધોરણે અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કરવામાં મહત્વનો ભાગ ભજવનાર સરપંચ પતિ સહિત 14 લોકો સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tv9ના અહેવાલ બાદ બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર અનુસૂચિત જાતિ પર થયેલા અત્યાચાર મામલે એલર્ટ બની કાયદેસરની કાર્યવાહી કરી. પાલનપુર તાલુકાના નળાસર ગામે અનુસૂચિત જાતિના લોકોનો ગામ દ્વારા કરેલા બહિષ્કાર માં જે આગેવાનોની મુખ્ય ભૂમિકા હતી તેમની સામે એટ્રોસિટી તેમજ નાગરિક અધિકાર અધિનિયમ 1955 મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પાલનપુર તાલુકાના નળાસર ગામે અનુસૂચિત જાતિના લોકોનો ગામ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યું ગામના અનુસૂચિત જાતિના લોકોના સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવ્યો. ગામની કરીયાણા ની દૂકાન થી લઇ વાળંદ સુધી તેમની સેવા આપવાનો ઇનકાર કર્યો છે. ગામના અનુસૂચિત જાતિના લોકોનું કહેવું છે કે ગામમાં તેમની સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે તેઓ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે. બાળકોને પાલનપુર શિક્ષણ માટે જવા વાહનચાલકો પણ તેમનો બહિષ્કાર કરી રહ્યા છે. જેના કારણે અપરંપાર મુશ્કેલી વચ્ચે તેઓ જીવન વ્યતીત કરવા મજબૂર બન્યા છે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">