Ahmedabad માં ન્યુ મણિનગર અને જુહાપુરામાં શહેરીજનો પ્રાથમિક સુવિધાથી વંચિત, કોર્પોરેશનના દાવા પોકળ હોવાનો આક્ષેપ

|

Aug 24, 2021 | 7:06 PM

એએમસી દવારા આ વિસ્તારમાં જે સુવિધા આપવી જોઈએ તે સુવિધા નહી મળી રહી હોવાના સ્થાનિકોને આક્ષેપ છે. જેમાં કોર્પોરેશન દ્વારા નવા બનાવેલા રોડ મામલે વિવાદ સર્જાયો છે. તો લોકોની હલાકીમાં વધારો થયો છે.

Ahmedabad માં ન્યુ મણિનગર અને જુહાપુરામાં શહેરીજનો પ્રાથમિક સુવિધાથી વંચિત, કોર્પોરેશનના દાવા પોકળ હોવાનો આક્ષેપ
Citizens deprived of basic amenities in New Maninagar and Juhapura in Ahmedabad

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક વિસ્તારોના નાગરિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશનની હદમાં હોવા છતાં તેમની પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે. તેમજ તેવો આજે વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. જેમાં ન્યુ મણિનગર વિસ્તાર કે જે છેલ્લા થોડા વર્ષમાં ડેવલપ થયો  છે. જ્યાં સોસાયટી, બંગલા અને એપાર્ટમેન્ટ આવેલા છે.

 

એએમસી દવારા આ વિસ્તારમાં જે સુવિધા આપવી જોઈએ તે સુવિધા નહી મળી રહી હોવાના સ્થાનિકોને આક્ષેપ છે. જેમાં કોર્પોરેશન દ્વારા નવા બનાવેલા રોડ મામલે વિવાદ સર્જાયો છે. તો લોકોની હલાકીમાં વધારો થયો છે. 5 દિવસ પૂર્વે જ રામોલ-હાથીજણ વોર્ડના ન્યુ મણિનગર વિસ્તારમાં જલારામ વાટિકા પાસે રોડ બનાવાયો જે ગત રાત્રે બેસી ગયો. જેણે તંત્રની કામગીરીની પોલ ખુલી પાડી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જયારે સ્થાનિક ભાજપ કોર્પોરેટરો દ્વારા મધરાતે રાઉન્ડ લેવાતો હોવાનો પ્રચાર કર્યો હતો. તેમજ વટવા વિધાનસભામાં મોટો વિકાસ કરાતો હોવાના સ્થાનિક કોર્પોરેટર ચંદ્રિકાબેનનો એક ગીત મારફતે વિકાસનો વિડીયો પણ વાયરલ થયો અને જે રોડના કામની શરૂઆત સમયે મોટા ઉપાડે ભાજપ કોર્પોરેટરોએ પ્રચાર કર્યો હતો તે જ રોડ ગણતરીના સમયમાં બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા વ્યાપી છે.

જેણે હલકી ગુણવતાની કામગીરી કરાઈ હોવાની લોકોમાં છબી ઉભી કરી અને સ્થાનિકોમાં યોગ્ય કામગીરી તંત્ર દ્વારા કરાય તેવી માંગ ઉઠી છે .

એટલું જ નહીં પણ તેજ સ્થળ પાસે આવેલ સદગુરુ બંગલો પાસે 10 દિવસથી રસ્તો ખોદીને કોઈ કામ નહીં કરતા હોવાના સ્થાનિકો એ આક્ષેપ કર્યા. જે ખોદકામ કરેલ રોડને લઈને સ્થાનિકોને ઘરે વાહન લઇ જવા સાથે ચાલતા જવામાં પણ હાલાકી પડી રહી છે. અને તેમાં પણ જો વરસાદ પડે તો સ્થાનિકો માટે પડયા પર પાટા જેવી સ્થિતિ સર્જાય અને સમસ્યામાં વધારો થાય. જેના કારણે સ્થાનિકોએ સ્થાનિક કોર્પોરેટર સાથે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી સમસ્યા દૂર કરવા માંગ કરી.

મહત્વનું છે કે ન્યુ મણિનગર વિસ્તાર વટવાના ધારાસભ્ય અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો વિસ્તાર છે. તો તેમના બીજા વિસ્તાર એવા વસ્ત્રાલમાં આવેલ અબજી બાપા તળાવ પાસે પણ પરિસ્થિતિ ખરાબ છે. કે જ્યાં ડ્રેનેજ લાઈનનું કામ કરતા ખરાબ રસ્તા, ખાડા, કીચડ ખાડામાં ભરાતા પાણી અને તેમાં થતા મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો પરેશાન છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે 4 વર્ષથી તેમના વિસ્તારની હાલત ખરાબ છે છતાં તંત્ર દ્વારા ધ્યાન નહિ અપાતું. સ્થાનિકોની એ પણ રજુઆત હતી કે માત્ર લેક અને બગીચાનો વિકાસ કરાય છે પણ અન્ય સુવિધા બાબતે ધ્યાન નથી અપાતું.

મહત્વનું છે કે અબજી બાપા તળાવ. માધવ હોમ્સ સહિત 3 કિલો મીટર વિસ્તારની હાલત ખરાબ છે. જ્યાં વસ્ત્રાલ વિસ્તાર માં અનેક જગ્યાઓ પર ડ્રેનેજ લાઈનની કામગીરીને કારણે સમસ્યા વધી હોવાના આક્ષેપ છે. અને જો ગૃહ મંત્રીના વિસ્તારમાં આવી પરિસ્થિતિ હોય તો અન્ય વિસ્તારની કલ્પના શુ કરવી તે પણ ચર્ચા વહેતી થઈ છે.

તો આ તરફ જુહાપુરામાં એએમસીની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે જુહાપુરામાં સંકલિત નગરમાં 1 વર્ષ દરમિયાન બનાવેલ RCCરોડ ધોવાઈ ગયાના આક્ષેપ છે. તો સ્થાનિકોનો એ પણ આક્ષેપ હતો કે ઘણા સમય બાદ તેમને રોડ મળ્યો અને તેમાં પણ રોડ બન્યા બાદ પહેલા વરસાદમાં RCCરોડ ધોવાયો.

RCCરોડ ઉપરથી કપચીઓ ઉખડી ગઈ અને માત્ર જુહાપુરામાં એચ વોર્ડ નહિ પણ આસપાસ આઈ વોર્ડ સહિત ના વોર્ડમાં આ જ પ્રકારની પરિસ્થિતિ હોવાના સ્થાનિકોને આક્ષેપ છે. જેને લઈને સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિકોએ યોગ્ય કામગીરીની માંગ કરી છે. તેમજ ઘણા વર્ષો બાદ રોડ મળ્યો પણ તે પણ હલકી ગુણવત્તાનો રોડ બનતા સ્થાનિકોએ યોગ્ય કામગીરીની માંગ કરી તે સિવાય વરસાદી પાણી ભરાવવા જેવી સમસ્યાની નિકાલની માંગ કરવામાં આવી રહી છે.

હવે સવાલ એ છે કે તંત્રની કામગીરી સામે ઉઠેલા સવાલો અને આક્ષેપોને તંત્ર કેવી રીતે પહોંચી વળી શકશે અને તેનાથી  મોટી બાબત સામે છે કે એએમસી જે પ્રમાણે પ્રાથમિક સુવિધા આપવાના દાવા કરે છે તે પ્રમાણે સુવિધા આપી શહેરીજનોની સમસ્યા દૂર કરી શકશે કે કેમ.

આ  પણ વાંચો : Ahmedabad ના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે બનશે સીએનજી ભઠ્ઠી

આ  પણ વાંચો : ભારતના વિમાનને પણ તાલિબાનીઓએ કર્યુ હતુ હાઇજેક, પાયલટે જણાવ્યો હતો પોતાનો ખૌફનાક અનુભવ

Next Article