પાણીથી તંગીથી હેરાન કચ્છની મુલાકાતે પહોંચ્યા CM વિજય રૂપાણી, જુઓ સમસ્યાનું નિવારણ આપતા શું બોલ્યા મુખ્યપ્રધાન
પાણીની તંગીથી પીડાતા કચ્છની મુલાકાત લેવા વિજય રૂપાણી પહોંચ્યા, મીડિયા સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે કચ્છમાં પાણીની તંગી ન થાય અને પશુપાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે સરકાર કટિબદ્ધ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કચ્છની મુલાકાત લીધી છે. સૌ પ્રથમ CM રૂપાણીએ કોટેશ્વર મહાદેવાના દર્શન કર્યા હતા. સાથે જ નારાયણ સરોવની પણ મુલાકાત લીધી. જે બાદ […]
પાણીની તંગીથી પીડાતા કચ્છની મુલાકાત લેવા વિજય રૂપાણી પહોંચ્યા, મીડિયા સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે કચ્છમાં પાણીની તંગી ન થાય અને પશુપાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે સરકાર કટિબદ્ધ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કચ્છની મુલાકાત લીધી છે. સૌ પ્રથમ CM રૂપાણીએ કોટેશ્વર મહાદેવાના દર્શન કર્યા હતા. સાથે જ નારાયણ સરોવની પણ મુલાકાત લીધી. જે બાદ લખપતથી સીએમ રૂપાણીએ મુલાકાતનો દોર શરૂ કર્યો હતો. આ દરમિયાન CMએ લખપતના ગ્રામજનો, અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે મળી ચર્ચા કરી હતી. સાથે જ ડીએસએફ હેડક્વાટરની મુલાકાત લઈ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વિવિધ મુદ્દે ચર્ચા કરી.
કચ્છ જિલ્લામાં પાણી અને પશુપાલકોની સ્થિતીની સમીક્ષા કરવા માટે સીએમએ આ પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન મીડિયા સાથે થયેલી વાતચીતમાં સીએમએ જણાવ્યું કે કચ્છમાં પાણીની તંગી ન થાય અને પશુપાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે સરકાર કટિબદ્ધ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]