AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhotaudepur : ભારજ નદી પરનો વર્ષો જૂનો બ્રિજ જર્જરિત થતાં વાહનવ્યવહાર માટે બંધ કરાયો

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક આવેલ ભારજ નદી પર બનેલ વર્ષો જૂના બ્રિજના પાયા બેસી જતા બ્રિજ જોખમકારક બનતા તંત્ર દ્વારા રાહદારીઓ માટે અવરજવર બંધ કરાઇ છે.

Chhotaudepur : ભારજ નદી પરનો વર્ષો જૂનો બ્રિજ જર્જરિત થતાં વાહનવ્યવહાર માટે બંધ કરાયો
Bharaj River
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 11:16 AM
Share

Chhotaudepur : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક આવેલ ભારજ નદી (Bharaj River) પર બનેલ વર્ષો જૂના બ્રિજના પાયા બેસી જતા બ્રિજ જોખમકારક બનતા તંત્ર દ્વારા રાહદારીઓ માટે અવરજવર બંધ કરાઇ છે. નેશનલ હાઇવે નંબર 56 કે જે વડોદરા અને છોટાઉદેપુર સહિત મધ્ય પ્રદેશને જોડે છે. આ નેશનલ હાઈવે પર આવેલો ભારજ નદીનો બ્રિજ જર્જરિત બની ગયો છે. પાવી જેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી પર આવેલો આ બ્રિજ ખૂબ જ જૂનો અને જર્જરિત છે. જેના પરથી અસંખ્ય ભારે વાહનો પસાર થાય છે.

આ પણ વાંચો Chhotaudepur : બોડેલીમાં મેરિયા નદી પરનો કોઝવે તૂટતાં સ્થાનિકો મુશ્કેલીમાં, જુઓ Video

ભારજ નદીમાં પુષ્કળ વરસાદી પાણી આવતા પીલરો બેસી ગયા

આ બ્રિજ એટલો જર્જરિત બન્યો છે કે બ્રિજ ઉપરના રોડ પર તિરાડો પડી ગઈ છે તેમજ ભારજ નદીમાં ભારે વરસાદી પાણી આવતા પીલરો બેસી ગયા છે. જેને લઈ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા આ વર્ષો જૂના જર્જરિત બ્રિજ પર અવર જવર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વર્ષો જૂના આ બ્રિજનું સમારકામ કરવામાં આવે છે. છતાં રોડ પર તિરાડો પડી જતાં અને બ્રિજના પીલરો બેસી ગયા છે. સાઈડ પર સિમેન્ટની રેલીંગ હતી તેની જગ્યાએ પેરાફિટ બનાવવામા આવ્યા છે તેમજ રોડ પર વારંવાર ડામર નાખવામાં આવતા બ્રિજ પર વજન પણ વધી ગયું છે. જે બ્રિજ નમવાનું એક કારણ ગણી શકાય.

નદી પરના પીલર બેસી ગયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર હરકતમાં

નદી પરના પીલર બેસી ગયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્યાર બાદ તપાસ કરતાં સામે આવ્યું હતું કે આ બ્રિજ જોખમકારક છે. જેને લઇ છોટાઉદેપુર કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું છે અને રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ધટના ના બને તે માટે તાત્કાલિક રાત્રિના સમયે બેરિકેટ મુકી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બ્રિજ બંધ થતાં સ્થાનિકોને 25 કિમીનું ચક્કર લગાવવું પડશે

બ્રિજ બંધ થતાં સ્થાનિકોને મોટી સમસ્યા એ છે કે બોડેલીથી જો છોટાઉદેપુર જવું હોય તો તેમને મોડાસરથી જેતપુર આવવું પડે અને જેતપુરથી રંગલી ચોકડીથી બોડેલી આવવા માટે 25 કિમીનો વધારાનો ચક્કર લાગવવો પડે તેવી સ્થિતી સર્જાઈ છે.

(With Input : Maqbool Mansuri, Chotaudepur)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
g clip-path="url(#clip0_868_265)">