AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhota Udepur: દીપડાની દહેશત સાતમા દિવસે પણ યથાવત, બાળકોને શાળાએ મોકલતા ડરે છે વાલીઓ

દીપડાના ભયને કારણે બાળકો હવે નિશાળે જવા નું ટાળી રહ્યા છે તો ગામના ખેડૂતો ખેતરે આસપાસના તમામ લોકો દીપડાને જલ્દી પકડી પાડવા માટેની માંગ કરી રહ્યા છે. ગામમાં બાળકના અકાળે મૃત્યુ થતા ગામમાં માતમ છવાયો છે.

Chhota Udepur: દીપડાની દહેશત સાતમા દિવસે પણ યથાવત, બાળકોને શાળાએ મોકલતા ડરે છે વાલીઓ
Chhota Udaipur leopard AttackImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 11:43 PM
Share

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સાતમા દિવસે દીપડાની દહેશત વરતાઈ રહી છે તેમજ જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં બે બાળકોનાં મોત બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ બીકના કારણે ખેડૂતો ખેતરમાં જવાનું અને બાળકો શાળાએ જવાનું ટાળી રહ્યા છે તેમજ સ્થાનિકોએ માંગણી કરી છે કે વન વિભાગ વહેલી તકે દીપડાને પકડી લે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મુલધર,ટીંબી,ટોકરવા જેવા ગામોમાં દીપડાનો ડર દૂર થયો નથી.  બે દિવસ અગાઉ   મુલધર ગામના એક બાળકના હુમલા બાદ નજીકના ગામ ધોરીવાવના એક બાળકને શિકાર બનાવતા બાળકનું મોત નીપજ્યું હતું. જેના પગલે સમગ્ર પંથકમાં શોક અને ડરનો માહોલ જોવા મળ્યો છે.

દીપડાના ભયને કારણે  બાળકો હવે નિશાળે જવા નું ટાળી રહ્યા છે તો ગામના ખેડૂતો ખેતરે આસપાસના તમામ લોકો દીપડાને જલ્દી પકડી પાડવા માટેની માંગ કરી રહ્યા છે. ગામમાં બાળકના અકાળે મૃત્યુ થતા ગામમાં માતમ છવાયો છે તો બીજી તરફ આદમ ખોર દીપડાને પકડી પાડવા માટે વન વિભાગ અલગ અલગ ટીમો બનાવીને ખેતરોમાં તૈનાત છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામા આજ સાતમાં દિવસે પણ દીપડાની દહેશત યથાવત છે. દીપડા ના હુમલા માં બે બાળકો ના જીવ ગયા પછી આજે બોડેલી તાલુકા ના સાત જેટલા ગામો માં આદમ ખોર દીપડા ના ડર ને લઈ લોકો થરથર કાંપી રહ્યા છે. ખેડૂતો ખેતર જવા નું ટાળી રહ્યા છે તો બાળકો ને વાલી ઓ સ્કૂલ મા મોકલી નથી રહ્યા

મુલધર અને ધોરીવાવ ગામ ના બે બાળકો ના આદમ ખોર દીપડા ના હુમલા માં મોત થયા બાદ મુલધર,ટીંબી, જબુગામ , ધોરીવાવ ગામ ના લોકો માં દીપડા ની એવી તો દહેસત છે કે લોકો આજે ધર બહાર નીકળવા તૈયાર નથી .લોકો ના ખેતર ના પાક તૈયાર થવા ના આરે છે પણ પાણી વાળવા જઈ શકતા નથી લોકો ધર ની બહાર બાંધેલા પશુ ના રક્ષણ માટે રાત્રિ ના ઉજાગરા કરી રહ્યા છે. આદમ ખોર દીપડાના ડરને લઈ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જોકે વન વિભાગ પણ દીપડા ને પકડી પાડવાના તમામ પ્રયાસો કરી રહ્યા હોવા છતાં દીપડો પકડાય નથી રહ્યો .

તારીખ 29 જાન્યુઆરીના રોજ મુલધર ગામ ના એક બાળક પર હુમલો કરતા તેનું મોત થયું ત્યાર બાદ ફરી બે દિવસ અગાઉ ધોરીવાવ ગામે દીપડાના હુમલામાં બાળકનું મોત થતા સારા પંથકમાં એવો તો ડર જોવાઇ રહ્યો છે હવે ટોકરવા ગામમાં દીપડો દેખતા આ ગામના લોકોમાં ચિંતા જોવાઇ રહી છે . બાળકો પર જ ખાસ હુમલો દીપડો કરતો હોઈ બાળકોને તેમના વાલી એકલા છોડવા તૈયાર નથી. વાલી ઓ તેમના બાળકોને સ્કૂલે પણ મોકલવા તૈયાર હોય સ્કૂલમા જૂજ જ બાળકોની સંખ્યા જોવાઇ રહી છે.

બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહ્યો છે. જે બાળકો સ્કૂલે આવે છે તેની સ્કૂલના પ્રીન્સિપાલ સતત નિગરાની રાખી રહ્યા છે. સ્કૂલમા રિસેસ આપવામા આવતી નથી. બાળકો પણ દીપડાના આતંકથી ડરી રહ્યા છે .બાળકો સ્કૂલમાંથી છૂટે ત્યારે તેમના ઘર સુધી પ્રિન્સિપાલ મૂકવા જાય છે. વાલીઓની ચિંતા પણ યોગ્ય છે બે બે બાળકોના દીપડાના હુમલા માં મોત થયા હોય તો તેમના વ્હાલ સોયા બાળકોની ચિતા હોય જ કેટલાક વાલીઓનું કહેવું છે કે તેમના બાળકોને દીપડાના ડરને લીધે તેઓ સ્કૂલમાં મોકલતા નથી

વિથ ઇનપુટ ક્રેડિટ : મકબૂલ મન્સૂરી ટીવી9, છોટાઉદેપુર

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">