Chhota Udepur: સુવિધા માટે ઉભી કરાયેલી કેનાલો જ ખેડૂતો માટે આફતરૂપ બની, કેનાલોમાં ગાબડા થતા પાણી ખેતરોમાં ઘૂસ્યા

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ખાતે સુખી સિંચાઇ ડેમ આમ તો ખેડૂતોને સિંચાઇનો લાભ મળે અને ખેડૂતોની ખેતીમાં બમણી આવક થાય તે માટે વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો. પરંતુ આજે એજ સીંચાઇના પાણીથી ખેડૂતો હવે બેહાલ બનતા જઇ રહ્યા છે.

Chhota Udepur: સુવિધા માટે ઉભી કરાયેલી કેનાલો જ ખેડૂતો માટે આફતરૂપ બની, કેનાલોમાં ગાબડા થતા પાણી ખેતરોમાં ઘૂસ્યા
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 11:44 AM

ખેડૂત ખેતર (Farms)માં તનતોડ મહેનત કરે ત્યારે સ્વપ્નમાં પણ ખ્યાલ નથી હોતો કે કોઈ માનવસર્જીત ભૂલને કારણે તેની મહેનત પર પાણી ફરી વળશે. છોટા ઉદેપુર (Chhota Udepur)ના પાવીજેતપુરના ખેડૂતો (Farmers)ની મહેનત પર નર્મદા વિભાગની ઘોર બેદરકારીને કારણે આવી જ પરિસ્થિતિ ઉભી થઈ છે. ખેડૂતો રડતા રડતા તંત્રના અધિકારીઓ સામે રોષ ઠાલવી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાંટ ખાતે સુખી સિંચાઈ ડેમ આમ તો ખેડૂતોને સિંચાઈનો લાભ મળે અને ખેડૂતોની ખેતીમાં બમણી આવક થાય તે માટે વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો. પરંતુ આજે એજ સીંચાઈના પાણીથી ખેડૂતો હવે બેહાલ બનતા જઈ રહ્યા છે.

હાલમાં ખેડૂતોને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત છે. જેને લઈ સુખી સિંચાઈ વિભાગના ડેમ દ્વારા ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તે માટે માઈનોર કેનાલો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ પાવીજેતપુર તાલુકામાંથી પસાર થતી માઈનોર કેનાલમાં એટલા બધા ગાબડાં અને તીરાડો પડી છે કે ખેડૂતોના ખેતરમાં જે પાણી પહોચવું જોઈએ તેના કરતાં વધુ પાણી ખેતરોમાં જઈ રહ્યું છે. ઠેર ઠેર પડેલ ગાબડાંને લઈ સીધું પાણી તેમના ખેતરોમાં ઘુસી જતાં ઉભા પાકને નુકસાન કરી રહ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ખેડૂતો માટે હાલમાં ચોમાસામાં વધુ વરસાદથી થતી સ્થિતિ જેવુ નિર્માણ થયુ છે, જેના કારણે ખેડૂતો માટે વિકટ પરિસ્થિતિ હાલમાં ઉભી થઈ છે, જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. પાણી જે ખેતરોમાં આવે છે તેને રોકવા માટે ખેડૂત પ્રયત્નો કરે છે, જે નિરર્થક નીવડે છે. ખેડૂતોએ સિંચાઈ વિભાગમાં જાણ કરી હોવા છતાં પણ કોઈ નિકાલ નથી આવ્યો.

આ વખતે સારો વરસાદ પણ થયો હતો અને ડેમમાં પાણી પણ સારું ભરાયું છે. જેને લઈ ખેડૂતોને એક આશા હતી કે તેમની ખેતી આ વર્ષે સારી થશે પણ જે વર્ષોથી સમસ્યા છે તે ફરી તેમની સામે આવી છે. વારંવારની સમસ્યાઓને કારણે ખેડૂતોને પોતાના પરિવારના ગુજરાન માટે કચ્છ સૌરાષ્ટ તરફ જવું પ઼ડે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ કેનાલોની મરામતની કાળજી નથી લેતા, તેને લઈને મુશ્કેલી ઉભી થઈ છે. અધિકારીઓ આજે તેમની દશા જોવા પણ તૈયાર નથી.

તનતોડ મહેનત કર્યા પછી ડાંગરની કાપણી સમયે કેનાલના પાણી ખેતરમાં ઘુસી જતા ખેડૂતો માથે હાથ મુકીને રડવા લાગ્યા હતા. છતાં નર્મદા વિભાગના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. છેલ્લા 4 વર્ષથી ખેડૂતોની વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દરકાર લેતા નથી.

આ પણ વાંચો- અમદાવાદની આ જમીન સાણંદના હજારો લોકો માટે બની છે ખજાનો, જાણો દિવસ-રાત ખોદકામ કરી લોકો શું કાઢી રહ્યા છે

આ પણ વાંચો- આજે PSI ભરતીની પ્રિલિમનરી પરીક્ષા, 312 પરીક્ષા કેન્દ્ર પર કડક બંદોબસ્ત ગોઠવાયો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">