AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Breaking News : આજે ગુજરાતમાં કોરોનાના 392 કેસ નોંધાયા, કોરોનાને કારણે 1 દર્દીનું મોત

Gujarat Corona Today : આજે કોરોનાને કારણે ગીર સોમનાથમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2220 પર પહોંચી છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટીલેટર અને 2217 દર્દીઓ સ્ટેબલ છે. આજે 258 દર્દીઓ સાજા થયા છે અને કોરોના રિકવરી રેટ 98.97 થયો છે.

Corona Breaking News : આજે ગુજરાતમાં કોરોનાના 392 કેસ નોંધાયા, કોરોનાને કારણે 1 દર્દીનું મોત
Gujarat Corona Case today
| Updated on: Apr 14, 2023 | 7:44 PM
Share

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેમાં 14 એપ્રિલના રોજ નવા 382 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2220એ પહોંચી છે. ગઈકાલની સરખામણીમાં આજે થોડા ઓછા કેસ નોંધાયા છે પણ એક્ટિવ કેસમાં વધારો થયો છે. આજે અમદાવાદમાં 142, મહેસાણામાં 35,વડોદરા જિલ્લામાં 30, વડોદરામાં 28, સુરતમાં 27, રાજકોટમાં 15, વલસાડમાં 13, સુરત જિલ્લામાં 10, ગાંધીનગર જિલ્લામાં 9, મોરબીમાં 9, સાબરકાંઠામાં 8, ગાંધીનગરમાં 7, પાટણમાં 7, રાજકોટ જિલ્લામાં 7, અમરેલીમાં 6, કચ્છમાં 5, સુરેન્દ્રનગરમાં 5, નવસારીમાં 4, અમદાવાદ જિલ્લામાં 3, આણંદમાં 3, ભાવનગરમાં 3, ખેડામાં 3, પંચમહાલમાં 3, બનાસકાંઠામાં 2, ભરુચમાં 2, ભાવનગરમાં જિલ્લામાં 2, ગીર સોમનાથમાં 2, મહીસાગરમાં 1 અને પોરબંદરમાં 1 કેસ નોંધ્યો છે.

આજે કોરોનાને કારણે ગીર સોમનાથમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2220 પર પહોંચી છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટીલેટર અને 2217 દર્દીઓ સ્ટેબલ છે. આજે 258 દર્દીઓ સાજા થયા છે અને કોરોના રિકવરી રેટ 98.97 થયો છે.

તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 10 અને 11 એપ્રિલના રોજ  રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી હતી.  કોરોના દર્દી માટે વ્યવસ્થા સહિત કેસોને કેવી રીતે પહોંચી વળવા તેને લઈ મોકડ્રીલનું આયોજન કરવામાં આવી હતી. વેક્સિનને લઇને પણ આરોગ્ય પ્રધાને લોકોને આપી ખાતરી આપતા કહ્યું હતું કે વેક્સિનના જથ્થાની માગણી કરી છે અને વેક્સિન આવશે ત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવશે.

ડોક્ટર આપી રહ્યા છે સાવચેતી રાખવાની આપી સલાહ

કોરોનાએ ફરી એકવાર સ્પીડ પકડી છે.રોજના વધતાં આંકડાઓ ફિકર વધારી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં 6000થી વધુ કેસ આવતાં જ આરોગ્ય વિભાગ અને ડોક્ટર્સ પણ એલર્ટ મોડ પર આવી ગયા છે.જો સ્થિતિ આમ જ રહેશે તો આવનારો સમય મુશ્કેલી છે એ નક્કી.એટલે જ ડોક્ટર્સ લોકોને પહેલેથી જ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે . ફરી એકવાર ગુજરાત અને ભારતમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેનાથી સરકારની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં 10899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન

હાલ રાજ્યમાં કોવિડ-19 અંતર્ગત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 3 હજાર થી વધુ બેડ ઉપલબ્ધ છે. જે પૈકી 15 હજાર જેટલા આઇ.સી.યુ. અને 9700 જેટલા વેન્ટીલેટર બેડ ઉપલબ્ધ છે. રાજ્યમાં 10899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અને 476 પી.એસ.એ. પ્લાન્ટ દર્દીઓની સેવાર્થે કાર્યરત છે.

દૈનિક 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને હાલ રાજ્યમાં દૈનિક 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે. રાજ્યમાં કોવિડ-19 માટેના જરૂરી ટેસ્ટીંહગ માટે 207 લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે. જે પૈકી 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરી છે. જેની હાલ દૈનિક કુલ ટેસ્ટીંગ ક્ષમતા 1 લાખ 75 હજાર જેટલી છે. આર.ટી.પી.સી.આર. પોઝીટીવ દર્દીનું જીનોમ સીકવન્સીંગ કરવા માટે ગાંધાનગર ખાતે  દર મહીને 4000 થી વધુ ઝીનોમ સીકવન્સીંગ ટેસ્ટ કરવાની ક્ષમતા છે. રાજ્ય સરકારે કોવિડના ચોક્સસ મોનીટરીંગ માટે GERMIS સોફ્ટવેર વિકસાવ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
રાજકોટ એરપોર્ટ પર રખડતા ઢોરનો વીડિયો વાયરલ ! જુઓ-Video
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળે સરકાર બનાવશે આરોગ્ય-શિક્ષણ મંદિર
Breaking News : નર્સિંગ વિદ્યાર્થિનીનો આપઘાત જુઓ Video
Breaking News : નર્સિંગ વિદ્યાર્થિનીનો આપઘાત જુઓ Video
Breaking News : અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ
Breaking News : અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ
g clip-path="url(#clip0_868_265)">