AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વડોદરાના સાવલીમાં ધો.10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત, વિદ્યાર્થિની રાજસ્થાનના બાંસવાડાની હોવાનું ખુલ્યું

વડોદરાના સાવલીમાં ધો.10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત થયું છે. લસુન્દ્રા ખાતેની પાઠશાળા હોસ્ટેલમાં આ ઘટના બની છે. વિદ્યાર્થિની 15 વર્ષીય ખુશી તીરગર હોવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થિની પાઠશાળા હોસ્ટેલમાં જ રહેતી હતી.

Breaking News: વડોદરાના સાવલીમાં ધો.10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત, વિદ્યાર્થિની રાજસ્થાનના બાંસવાડાની હોવાનું ખુલ્યું
yunus.gazi
| Edited By: | Updated on: Jul 30, 2023 | 6:35 PM
Share

Vadodara: સાવલીમાં ધો.10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત થયું છે. લસુન્દ્રા ખાતેની પાઠશાળા હોસ્ટેલમાં આ ઘટના બની છે. વિદ્યાર્થિની 15 વર્ષીય ખુશી તીરગર હોવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થિની પાઠશાળા હોસ્ટેલમાં જ રહેતી હતી.

વડોદરા ખાતે હોસ્ટેલમાં રહેતી આ 15 વર્ષીય ખુશી રાજસ્થાનના બાંસવાડાની હોવાનું ખુલ્યું છે. મૃતદેહને સાવલીના જન્મોત્રી હોસ્પિટલ ખસેડાયો છે. મંજુસર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે હોસ્ટેલના સેક્રેટરી મૌસમી દત્તાએ જણાવ્યું, કે સવારે હોસ્ટેલમાં ટી-સ્ટોલ ખાતે કોઇ કાર્યક્રમ હતો, જેમાં ખુશી ડાન્સ કરવાની હતી અને જેમ જ તે મ્યુઝિક ચાલુ કરવા ગઇ, અચાનક ઢળી પડી હતી. કયા સંજોગોમાં વિદ્યાર્થિનીનું મોત થયું તે રહસ્ય અકબંધ છે. જેની સમગ્ર પોલીસ તપાસ બાદ જ વધુ ખુલાસા થશે. ઉલ્લેખનીય છે, વિદ્યાર્થિનીના મોત બાદ પરિવારજનો સહિત હોસ્ટેલમાં માતમનો માહોલ છવાયો છે.

બનાવ ની જાણ થતાં રાજસ્થાનના બાંસવડાથી દોડી આવેલ પરિવારજનો એ જ્યારે ખુશીનો મૃતદેહ જોયો તો હૈયાફાટ રુદન કરી મૂક્યું હતું ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલ મંજુસર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવા માં આવી છે. પી આઈ મયુર ચૉધરી એ Tv9 ને જણાવ્યું કે પોલના વાયરથી વીજ કરંટ લાગવાથી મોત થયું હોવાનું પ્રાથમિક રીતે સ્પષ્ટ થઈ રહ્યું છે.

પોલીસે કહ્યું અમે CCTV ફૂટેજની ચકાસણી કરી રહ્યા છીએ સાથેજ અન્ય બાળકો તથા સ્ટાફ પાસેથી પણ વિસ્તૃત વિગતો મેળવી રહ્યા છીએ. પોસ્ટ મોર્ટમની બાદ મૃત્યુના સાચા કારણો જાણી શકાય તેમ છે.

આ પણ વાંચો : Vadodara : ખુલ્લી ડ્રેનેજમાં પડ્યો યુવક, રાહદારીઓએ જહેમત ઉઠાવી યુવકને બહાર કાઢ્યો, જુઓ Video

ઘટના ને પગલે ગામમાં આ સંસ્થાના સંચાલકો પ્રત્યે આક્રોશ દેખાઈ રહ્યો છે, કારણ કે ઘટનાને દબાવવાની ભરપૂર કોશિશ કરવામાં આવી હતી છતાં સાંજે સ્થાનિક માધ્યમોને બનાવની જાણ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

જો વીજ વાયર ખુલ્લા હોય તો સંસ્થા સંચાલકો ની બેજવાબદારી સ્પષ્ટ રિતે ખુલ્લી પડી જાય છે પરંતુ આ બેજવાબદારી પોલીસની વ્યાખ્યા માં બેદરકારી કહેવાય કે નહીં એ મંજુસર પોલીસ સંસ્થા સંચાલકો ને છાવરયા વિના નિષ્પક્ષ તપાસ કરશે તોજ સ્પષ્ટ થશે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">