AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે તમે વડોદરાથી મુંબઈ 4 કલાકમાં પહોંચી જશો, 157 કિમી લાંબો એક્સપ્રેસ વે આ દિવસે ખુલ્લો મૂકવામાં આવશે

Mumbai–Vadodara Expressway : મુંબઈ અને વડોદરા વચ્ચે 157 કિલોમીટર લાંબો એક્સપ્રેસવેનું સેક્શન આગામી 2 મહિનામાં પૂર્ણ થવાની આશા છે. આનાથી બંને શહેરો વચ્ચે ટ્રાવેલ ટાઈમ માત્ર 4 કલાકનો થશે.

હવે તમે વડોદરાથી મુંબઈ 4 કલાકમાં પહોંચી જશો, 157 કિમી લાંબો એક્સપ્રેસ વે આ દિવસે ખુલ્લો મૂકવામાં આવશે
| Updated on: Jun 30, 2026 | 2:21 PM
Share

31 ઓગસ્ટ 2026 સુધીમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો મુંબઈ-વડોદરા સેક્શન ખુલવાની આશા છે. જેમાં મુંબઈ અને વડોદરા વચ્ચેની આ સફર ખુબ સરળ રહેશે. મહારાષ્ટ્રના સીએ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ નવા કોરિડોરથી મુસાફરીનો સમય અંદાજે 8 કલાકથી ઓછો થઈ 4 કલાકની આસપાસ રહેશે. જેનાથી કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સને પ્રોત્સાહન મળશે.

કેટલા કરોડનો ખર્ચો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી મોટો ઈન્ફ્રસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાંથી એક છે. અંદાજે 1,400 કિલોમીટર લાંબો આ 8 લેનનો એક્સેસ કંટ્રોલ્ડ ગ્રીનફીલ્ડ હાઈવે દિલ્હીને હરિયણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ , ગુજરાત અને મહારાષ્ટ્રથી થઈ મુંબઈ સાથે જોડાશે. આ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકારે અંદાજે 1 લાખ કરોડ રુપિયાના ખર્ચે વિકસાવી રહી છે.એકવાર આ કાર્યરત થઈ જશે, પછી મધ્યપ્રદેશથી મુંબઈ સુધી એક હાઇ-સ્પીડ રોડ નેટવર્ક સ્થાપિત થશે, જેનાથી વેપાર, ઉદ્યોગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોને ઘણો ફાયદો થશે.

આ એક્સપ્રેસ વે 6 રાજ્યોને જોડે

આ એક્સપ્રેસ વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડે છે. મધ્યપ્રદેશમાં, એક્સપ્રેસ વે આશરે 244 કિલોમીટર લાંબો છે, જે મંદસૌર, રતલામ અને ઝાબુઆ જિલ્લાઓમાંથી પસાર થાય છે.

સીએમ ફડણવીસે આપ્યા નિર્દેશ

એક રિવ્યુ વિઝિટ દરમિયાન મુખ્યમંત્રીએ અધિકારીઓને બાંધકામની ગુણવત્તા જાળવવા અને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. તેમણે ભાર મૂક્યો કે એક્સપ્રેસવે જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી (JNPA) માટે સીધો અને કાર્યક્ષમ જોડાણ બનાવશે, જેનાથી ઉત્તર ભારતથી માલ ઝડપથી અને ઓછા પરિવહન ખર્ચે બંદર સુધી પહોંચી શકશે. વડોદરા-મુંબઈ કોરિડોરનો મહારાષ્ટ્ર વિભાગ આશરે 157 કિલોમીટર લાંબો છે અને તેમાં 24,000 કરોડનું રોકાણ થવાનો અંદાજ છે. સાત બાંધકામ પેકેજોમાંથી પાંચ પૂર્ણ થઈ ગયા છે, જ્યારે બાકીના બે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની આશા છે.

દેશના સૌથી મોટા રોડ પ્રોજેક્ટ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે દ્વારા મધ્યપ્રદેશને એક મોટી ભેટ મળવાની તૈયારી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-મુંબઈ કોરિડોરનો 157 કિમીનો ભાગ આવતા મહિને, 31 ઓગસ્ટ,2026 ના રોજ ખુલવાની આશા છે.

મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. અહી ક્લિક કરો

Follow Us
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
g clip-path="url(#clip0_868_265)">