AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નર્મદા પૂર તારાજી મુદ્દે સરકારે જાહેર કર્યું પુનર્વસન પેકેજ, વડોદરાના 31 અને નર્મદાના 32 ગામોને થશે ફાયદો

નર્મદા પૂર તારાજી મુદ્દે સરકારે પુનર્વસન પેકેજ જાહેર કર્યું છે. ધંધાકીય અને ઘરોમાં નુકસાન માટે પેકેજની જાહેરાત કરી છે. ભરૂચના 40 ગામો અને બે શહેરોને આ પેકેજનો લાભ મળશે. તો વડોદરા જિલ્લાના 31 ગામો અને નર્મદાના 32 ગામોને ફાયદો થશે. સરકારની આ સહાયથી 103 ગામો અને બે શહેરોમાં પડી ભાંગેલા ધંધા-રોજગારની ફરી બેઠા થવાનો ટેકો મળશે.

Breaking News : નર્મદા પૂર તારાજી મુદ્દે સરકારે જાહેર કર્યું પુનર્વસન પેકેજ, વડોદરાના 31 અને નર્મદાના 32 ગામોને થશે ફાયદો
Government
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 29, 2023 | 8:05 PM
Share

Gandhinagar : નર્મદા નદીના પૂરના (Flood) સંકટ બાદ લોકો આર્થિક સ્થિતિને લઈને ચિંતામાં છે. ત્યારે રાજ્ય સરકાર વ્હારે આવી છે. રાજ્યમાં નર્મદા નદી, નર્મદા ડેમ અને ઓરસંગ નદીમાં આવેલા પૂરના કારણે અસરગ્રસ્ત ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વાણિજ્ય, વેપારી અને સેવાકીય અસરગ્રસ્તોને નુકસાનમાંથી પુર્વરત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સહાય જાહેર કરાઈ છે.

આ પણ વાંચો Breaking News : GPSCના પૂર્વ ચેરમેન ડો. દિનેશ દાસાની UPSCમાં નિયુક્તી, સોશિયલ મીડિયાના માધ્યમથી કરી જાહેરાત

નર્મદા પૂર તારાજી મુદ્દે સરકારે પુનર્વસન પેકેજ જાહેર કર્યું છે. ધંધાકીય અને ઘરોમાં નુકસાન માટે પેકેજની જાહેરાત કરી છે. ભરૂચના 40 ગામો અને બે શહેરોને આ પેકેજનો લાભ મળશે. તો વડોદરા જિલ્લાના 31 ગામો અને નર્મદાના 32 ગામોને ફાયદો થશે. સરકારની આ સહાયથી 103 ગામો અને બે શહેરોમાં પડી ભાંગેલા ધંધા-રોજગારની ફરી બેઠા થવાનો ટેકો મળશે.

આ સહાયના વિતરણ વિશેની વાત કરીએ તો, લારીધારકોને ઉચ્ચક 5 હજારની રોકડ સહાય કરાશે તેમજ 40 ચોરસ ફૂટ સુધીની નાની કેબિન ધરાવનારને 20 હજારની સહાય, તો 40 ચોરસ ફૂટથી મોટી કેબિન ધરાવનારાને 40 હજારની સહાય કરાશે. આ ઉપરાંત નાની અને મધ્યમ દુકાનધારકોને 85 હજારની સહાય કરાશે.

આ ઉપરાંત માસિક રૂ.5 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને મોટી અને પાકા બાંધકામવાળી દુકાન માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રૂ.20 લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે વધુમાં વધુ કુલ રૂ.૫ લાખ સુધીની સહાય કરાશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">