AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નર્મદા પૂર તારાજી મુદ્દે સરકારે જાહેર કર્યું પુનર્વસન પેકેજ, વડોદરાના 31 અને નર્મદાના 32 ગામોને થશે ફાયદો

નર્મદા પૂર તારાજી મુદ્દે સરકારે પુનર્વસન પેકેજ જાહેર કર્યું છે. ધંધાકીય અને ઘરોમાં નુકસાન માટે પેકેજની જાહેરાત કરી છે. ભરૂચના 40 ગામો અને બે શહેરોને આ પેકેજનો લાભ મળશે. તો વડોદરા જિલ્લાના 31 ગામો અને નર્મદાના 32 ગામોને ફાયદો થશે. સરકારની આ સહાયથી 103 ગામો અને બે શહેરોમાં પડી ભાંગેલા ધંધા-રોજગારની ફરી બેઠા થવાનો ટેકો મળશે.

Breaking News : નર્મદા પૂર તારાજી મુદ્દે સરકારે જાહેર કર્યું પુનર્વસન પેકેજ, વડોદરાના 31 અને નર્મદાના 32 ગામોને થશે ફાયદો
Government
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 29, 2023 | 8:05 PM
Share

Gandhinagar : નર્મદા નદીના પૂરના (Flood) સંકટ બાદ લોકો આર્થિક સ્થિતિને લઈને ચિંતામાં છે. ત્યારે રાજ્ય સરકાર વ્હારે આવી છે. રાજ્યમાં નર્મદા નદી, નર્મદા ડેમ અને ઓરસંગ નદીમાં આવેલા પૂરના કારણે અસરગ્રસ્ત ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વાણિજ્ય, વેપારી અને સેવાકીય અસરગ્રસ્તોને નુકસાનમાંથી પુર્વરત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સહાય જાહેર કરાઈ છે.

આ પણ વાંચો Breaking News : GPSCના પૂર્વ ચેરમેન ડો. દિનેશ દાસાની UPSCમાં નિયુક્તી, સોશિયલ મીડિયાના માધ્યમથી કરી જાહેરાત

નર્મદા પૂર તારાજી મુદ્દે સરકારે પુનર્વસન પેકેજ જાહેર કર્યું છે. ધંધાકીય અને ઘરોમાં નુકસાન માટે પેકેજની જાહેરાત કરી છે. ભરૂચના 40 ગામો અને બે શહેરોને આ પેકેજનો લાભ મળશે. તો વડોદરા જિલ્લાના 31 ગામો અને નર્મદાના 32 ગામોને ફાયદો થશે. સરકારની આ સહાયથી 103 ગામો અને બે શહેરોમાં પડી ભાંગેલા ધંધા-રોજગારની ફરી બેઠા થવાનો ટેકો મળશે.

આ સહાયના વિતરણ વિશેની વાત કરીએ તો, લારીધારકોને ઉચ્ચક 5 હજારની રોકડ સહાય કરાશે તેમજ 40 ચોરસ ફૂટ સુધીની નાની કેબિન ધરાવનારને 20 હજારની સહાય, તો 40 ચોરસ ફૂટથી મોટી કેબિન ધરાવનારાને 40 હજારની સહાય કરાશે. આ ઉપરાંત નાની અને મધ્યમ દુકાનધારકોને 85 હજારની સહાય કરાશે.

આ ઉપરાંત માસિક રૂ.5 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને મોટી અને પાકા બાંધકામવાળી દુકાન માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રૂ.20 લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે વધુમાં વધુ કુલ રૂ.૫ લાખ સુધીની સહાય કરાશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">