AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : GST વિભાગે રાજકોટમાં 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું, 50 જેટલી બોગસ પેઢીઓ મળી આવી

10 લાખથી માંડીને 3 કરોડ રૂપિયા સુધીના બિલો બનાવીને આ કૌંભાડ આચરવામાં આવ્યુ હોવાની માહિતી છે. તો સાથે જ 1600 જેટલા વેપારીઓની કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યુ છે.

Breaking News : GST વિભાગે રાજકોટમાં 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું, 50 જેટલી બોગસ પેઢીઓ મળી આવી
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 05, 2023 | 3:12 PM
Share

Rajkot :  GST વિભાગે રાજકોટમાં 1500 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ (Bogus billing scam) ઝડપી પાડ્યું છે. આ બોગસ બિલીંગ કાંડ રાજકોટ ડિવીઝનમાંથી પકડી પાડવામાં આવ્યુ છે. 10 લાખથી માંડીને 3 કરોડ રૂપિયા સુધીના બિલો બનાવીને આ કૌંભાડ આચરવામાં આવ્યુ હોવાની માહિતી છે. તો સાથે જ 1600 જેટલા વેપારીઓની કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યુ છે. તપાસમાં 50 જેટલી બોગસ પેઢીઓ (bogus firm) મળી આવી છે.

આ પણ વાંચો-Ahmedabad : એક મહિનામાં વિવિધ વિસ્તારોમાં 43 ભૂવા પડવાની ઘટના, શહેરના 19 માર્ગ બંધ કરાયા, જૂઓ Video

કૌભાંડમાં કુલ 1600 જેટલા વેપારીઓની સંડોવણી

GST વિભાગની તપાસમાં સામે આવ્યુ છે કે કેટલાક વેપારીઓ દ્વારા બોગસ પેઢીઓ ઊભી કરીને બોગસ બિલિંગ કરવામાં આવતુ હતુ. એક રીતે જોઇએ તો સરકારી તીજોરી પર ચુનો લગાવવાનું કામ કરવામાં આવતુ હતુ તેવુ પણ કહી શકાય. પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 10 લાખ રુપિયાથી લઇને 3 કરોડ રુપિયા સુધીના બોગસ બિલ બનાવવામાં આવતા હતા. આ આખા કૌભાંડમાં કુલ 1600 જેટલા વેપારીઓ સંડોવાયેલા હોવાની માહિતી મળી રહી છે.

50 જેટલી બોગસ પેઢી ઊભી કરવામાં આવી

માહિતીના આધારે GST વિભાગ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. એવુ પણ સામે આવ્યુ છે કે 50 જેટલી બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર મામલાને લઇને GST વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે તબક્કાવાર આ તમામ વેપારીઓને નોટિસ આપીને તેમના જે આધાર પુરાવા છે તેની ખરાઇ કરવામાં આવશે અને જો કસુરવાર જણાશે તો ઊંચો દંડ ફટકારવામાં આવી શકે છે.

વેપારીઓએ ખોટી રીતે બિલીંગ કરીને કૌંભાડ આચર્યાની ચોંકાવનારી હકિકતો સામે આવી હતી. GST વિભાગ દ્વારા આવા બેનિફીશયરોના એકાઉન્ટ,પેઢીનું સ્થળ અને હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આ ગેરરિતી પકડાય હતી.એટલું જ નહિ ૫૦ જેટલી પેઢીઓમાં સ્થળ તપાસ કરતા બોગસ સામે આવતા જીએસટી વિભાગ દ્રારા કાર્યવાહી કરાઇ હતી,આ તમામ વેપારીઓને જીએસટી વિભાગ દ્વારા એક મહિનાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને એક મહિનામાં રકમ જમા કરવામાં નહિ આવે તો જીએસટી નંબર રદ કરી દેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">