AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News : સુરતમાં આવેલી જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં લાગી આગ, ફાયર ફાયટરની ટીમ પહોંચી ઘટનાસ્થળે

સુરતના જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં આગ લાગી છે. આ માર્કેટમાં 500 જેટલી દુકાનો આવેલી છે. જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે.

Surat Breaking News : સુરતમાં આવેલી જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં લાગી આગ, ફાયર ફાયટરની ટીમ પહોંચી ઘટનાસ્થળે
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 05, 2023 | 2:08 PM
Share

Surat : સુરતના જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં આગ (Fire) લાગી છે. આ માર્કેટમાં 500 જેટલી દુકાનો આવેલી છે. જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે.

આ પણ વાંચો-Ahmedabad : દિલ્હીથી ઝડપાયેલા ISISના આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો, ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટનો હતો ઈરાદો

સુરતના બોમ્બે માર્કેટમાં આવેલી છે 500 જેટલી દુકાન

સુરતમાં આજે વહેલી સવારે જૂની બોમ્બે માર્કેટમાં લાગી આગ લાગવાની ઘટના બની છે. જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનો આવેલી છે. અહીં લગભગ 500 દુકાનો આવેલી છે. ત્યારે વેપારીઓ ઘટનાની જાણ થતા જ સ્થળ પર પહોંચી ગયા હતા.

શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં નંદીની નામની દુકાન આગ લાગી છે. અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. ત્યારે વેપારીઓ આગની ઘટનાની જાણતા જ સ્થળ પર જ પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ શરુ કર્યુ હતો. વેપારીઓનું કહેવુ છે કે ટાંકીમાં પાણી ન હોવાના કારણે વિકટ પરિસ્થિતિ થઇ હતી અને આગ બુઝાઇ શકાઇ ન હતી. જે પછી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી.

વેપારીઓએ ફાયર સેફ્ટીના સાધનો ન હોવાના લગાવ્યા આક્ષેપ

ફાયર બ્રિગેડની લગભગ પાંચ ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે અને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાનની અંદરનો સામાન બળીને ખાક થઇ ગયો છે. અંદાજે વેપારીને એક કરોડ રુપિયાથી વધુનું નુકસાન થયુ હોવાનો અંદાજો છે. તો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે માર્કેટમાં ફાયર કંટ્રોલના સાધનો ન હોવાના પગલે આગુ બુઝાવવાની કામગીરીમાં હાલાકી પડી રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">