AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દેવભૂમિ દ્વારકામાં Cyclone Biparjoyની અસર દેખાવાની શરુ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

દેવભૂમિ દ્રારકામાં વાવાઝોડાની અસરના પગલે વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની શરુઆત થઇ છે. આગાહી વચ્ચે ભારે પવન ફુંકાવાની સાથે વરસાદી માહોલ છવાયો છે.

Breaking News : દેવભૂમિ દ્વારકામાં Cyclone Biparjoyની અસર દેખાવાની શરુ, ભારે પવન સાથે  ધોધમાર વરસાદ ખાબક્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 11:04 AM
Share

Devbhumi Dwarka : ગુજરાત પર Cyclone Biparjoyનું સંકટ વધુ ઘેરુ બનતુ જઇ રહ્યુ છે. ધીરે ધીરે વાવાઝોડુ કચ્છના જખૌ તરફ આગળ વધી રહ્યુ છે. ત્યારે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરના પગલે વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની શરુઆત થઇ છે. આગાહી વચ્ચે ભારે પવન ફુંકાવાની સાથે વરસાદી (Rain) માહોલ છવાયો છે.

આ પણ વાંચો-Tender Today: સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફિટ કરવા માટે કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

ઈન્ડિયન આર્મીના 78 જવાનોને તહેનાત

બિપોરજોયના ખતરાને જોતા દ્વારકામાં ઈન્ડિયન આર્મીની બટાલીયન તૈનાત કરવામાં આવી છે. ઈન્ડિયન આર્મીના 78 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આર્મી બટાલીયનની મુલાકાત લીધી હતી. સાથે જ જવાનોનો જૂસ્સો વધાર્યો હતો. આર્મીની બટાલીયન રેસ્ક્યૂ માટેના ઉપકરણો સહીત તૈનાત કરવામાં આવીછે સાથે જ આ બટાલીયનમાં તબીબ અને એન્જિનિયરની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો-Viral Video: પાકિસ્તાની રિપોર્ટરે બિપરજોય વાવાઝોડા દરમિયાન હવામાનની સ્થિતિ વિશે આવી રીતે કર્યુ રિપોર્ટિંગ, લોકોએ ચાંદ નવાબને કર્યા યાદ

દ્વારકામાં ઓખાના બંદર પર લાંગરેલી બોટને નુકસાન થયુ

ગુજરાતમાં તોળાઈ રહેલા સંભવિત સંકટના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ત્યારે વાવાઝોડાના કારણે દેવભૂમિ દ્વારકામાં ઓખાના બંદર પર લાંગરેલી બોટને નુકસાન થયુ છે. દરિયામાં ભરતીના કારણે બોટને નુકસાન પહોંચ્યું છે. ફિશીંગ બોટ એકબીજા સાથે અથડાતી જોવા મળી હતી ઓખા-આરંભડા વચ્ચે 3000 જેટલી બોટ લાંગરી દેવામાં આવી છે.

દ્વારકા-પોરબંદર હાઇવે પર વીજપોલ ધરાશાયી

દ્વારકામાં બિપોરજોય વાવાઝોડા પહેલા જ ભારે નુકસાન થયું છે, ત્યારે દ્વારકા-પોરબંદર હાઇવે પર વીજપોલ ધરાશાયી થયા છે. બરાડિયા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનના કારણે અનેક વીજપોલ ઉખડી પડયા. બિપોરજોઈ વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈને અનેક વીજપોલ ધરાશાયી થયા છે. વીજપોલ ઉખડી પડતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">