AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં બદલાવ, હવે 26 સપ્ટેમ્બરે આવશે અમદાવાદ

પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે ગુજરાત આવવાના હતા. જયારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે અમદાવાદ આવશે. તેઓ 26 સપ્ટેમ્બરે 8 કલાકે એરપોર્ટ પર નારી શક્તિ વંદન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે.

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં બદલાવ, હવે 26 સપ્ટેમ્બરે આવશે અમદાવાદ
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 23, 2023 | 10:20 AM
Share

Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં બદલાવ થયો છે. પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે ગુજરાત આવવાના હતા. જયારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે અમદાવાદ આવશે. તેઓ 26 સપ્ટેમ્બરે 8 કલાકે એરપોર્ટ પર નારી શક્તિ વંદન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે.

આ પણ વાંચો-Ahmedabad news : ‘કર્ણાવતી’ શહેરમાં બન્યા ‘અવનવા સર્કલો’, જે રસ્તાની સુંદરતા જ નહીં પણ સામાજીક મેસેજ પણ આપે છે-જુઓ Photos

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 સપ્ટેબરે અમદાવાદ એરપોર્ટ પર આવવાના છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર સાંજે 7 વાગે ઉતરાણ કરશે. ત્યારબાદ એરપોર્ટ પર જ 8 વાગ્યા સુધી નારી શક્તિ વંદન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારબાદ એરપોર્ટ પરથી રવાના થઇને તેઓ ગાંધીનગર જવાના રવાના થશે. તેઓ ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

ત્યારબાદ 27 સપ્ટેમ્બરે તેઓ સવારે 10 વાગ્યાથી 11.15 વાગ્યા સુધી સાયન્સ સિટી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. જે પછી તેઓ સાયન્સ સિટી જવા રવાના થશે.

5 હજાર કરોડના શિક્ષણ કાર્યોનું લોકાર્પણ કરશે

જો તેમના ગુજરાતના કાર્યક્રમની વાત કરવામાં આવે તો એક શિક્ષણનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જો છોટા ઉદેપુરના બોડેલીમાં યોજાવાનો છે. જેમાં તેઓ હાજરી આપવાના છે. બોડેલીમાં આ કાર્યક્રમ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 હજાર કરોડના શિક્ષણ કાર્યોનું લોકાર્પણ કરવાના છે.

શાળા સંકુલ, ઓરડા,લેબોરેટરી તેમજ સ્માર્ટ ક્લાસનું તેઓ લોકાર્પણ

5 હજાર કરોડના આ શિક્ષણ કાર્યોમાં ગુજરાતમાં બનેલા નવા શાળા સંકુલ, ઓરડા,લેબોરેટરી તેમજ સ્માર્ટ ક્લાસનું તેઓ લોકાર્પણ કરવાના છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આ શિક્ષણનો કાર્યક્રમ અન્ય કોઇ જિલ્લામાં પણ થઇ શકતો હતો. જો કે છોટા ઉદેપુર એક આદિવાસી વિસ્તાર છે અને રાજકીય રીતે આદિવાસી વિસ્તારનું ખૂબ મહત્વ રહેલુ છે. આ સાથે અનેક અન્ય મુદ્દાઓને લઇને છોટા ઉદેપુરમાં આ કાર્યક્રમ યોજાવાનો છે.

છોટાઉદેપુરના બોડેલીથી PM મોદી વડોદરા જવા રવાના થશે. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અહીં મહિલાઓ PM મોદીનો મહિલા અનામત બિલ માટે આભાર માનશે. 2.50 થી 3.30 નારી શક્તિ વંદન અભિનંદન એરપોર્ટ પર યોજાશે. તેઓ 3.45 એ વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">