AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતમાં શનિવારથી ભાજપના જનસંપર્ક અભિયાનનો પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જનસભા સંબોધશે

ગુજરાતમાં શનિવારથી ભાજપના જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી. નડ્ડા અલગ અલગ જગ્યાએ જનસભાને સંબોધશે.

Breaking News: ગુજરાતમાં શનિવારથી ભાજપના જનસંપર્ક અભિયાનનો પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જનસભા સંબોધશે
Amit Shah Gujarat
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 09, 2023 | 1:03 PM
Share

Gandhinagar : ગુજરાતમાં(Gujarat)  શનિવારથી ભાજપના(BJP)  જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી. નડ્ડા અલગ અલગ જગ્યાએ જનસભાને સંબોધશે.પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર પણ જનસભા કરવામાં આવશે. આ ઉપરાંત વિશિષ્ઠ નાગરિક સંપર્ક પ્રબુદ્ધ સંમેલન થશે. જેમાં વિકાસ કાર્યો સાથે ફરી લોકો સુધી પહોંચી લોકો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવશે. ઉપરાંત વિધાનસભા લેવલ પર અલગ અલગ સંમેલનનું આયોજન કરાશે.

ભાજપે ‘9 સાલ, બેમિસાલ’ના સૂત્ર સાથે લોકો સુધી પહોંચવાનો સંકલ્પ લીધો હતો

ઉલ્લેખનીય છે કે લોકસભા ઇલેક્શનને લઇને ભાજપના મિશન 2024નો પ્રારંભ  કર્યો છે. જેમાં  અમદાવાદના ટાગોર હોલમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતુ. બેઠકમાંમાં ભાજપે ‘9 સાલ, બેમિસાલ’ના સૂત્ર સાથે લોકો સુધી પહોંચવાનો સંકલ્પ લીધો હતો . સાથે જ આ સ્લોગન લોકો સુધી કેવી રીતે પહોંચાડવું તે અંગે ચર્ચા કરવામાં આવી.

ગુજરાતની 26 બેઠકો માટે કવાયત

આપને જણાવી દઈએ કે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠક પર જીત મેળવી હતી. ત્યારે આગામી ચૂંટણીમાં પણ આવી જ ઐતિહાસિક જીત મળે તેને લઈને રણનીતિ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠક પર ભાજપ જીત્યું હતુ. તેથી લોકસભામાં પણ આ પ્રકારની જીત મળે તે માટે કવાયત હાથ ધરવામાં આવશે.

મેનીફેસ્ટોમાં જે સંકલ્પ હતા એ 9 વર્ષમાં પૂર્ણ થયા

આ અંગે માહિતી આપતા ભાજપ નેતાએ જણાવ્યું હતું કે વર્ષ 2014 પહેલા દેશ આંતરિક અને બાહ્ય સમસ્યા થી ઘેરાયેલો હતો. ભાજપે સત્તામાં આવી વિકાસની રાજનીતિ દેશમાં પ્રસ્થાપિત કરી છે. વર્ષ 2014માં મે મહિનામાં પીએમ મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. જે અપેક્ષાઓ હતી એ પૂર્ણ કરી છે. ત્યારથી જેટલી પણ ચૂંટણી આવી તેના મેનીફેસ્ટોમાં જે સંકલ્પ હતા એ 9 વર્ષમાં પૂર્ણ થયા છે.

એ રામમંદિર હોય કે કલમ 370 ની વાત હોય કે જીરો ટોલરન્સથી આતંકીઓ ને જવાબ આપવાની વાત હો. તેમજ પાડોશી દેશો સાથે સારા સબંધ, વિદેશનીતિ, રોજગાર શિક્ષણ આરોગ્ય , મહિલા સશકિતકરણ આવા અસંખ્ય વિષયમાં અભૂતપૂર્વ કામ કરી જનતાનો પ્રેમ મેળવ્યો છે અને એમની અપેક્ષા પૂરી કરી છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">