AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં ચોમાસાના આગમનને લઇને મોટા સમાચાર, ચોમાસામાં થઇ શકે છે વિલંબ,જુઓ Video

ગુજરાતમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે.ગુજરાતમાં ચોસામાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે.જે મુજબ ગુજરાતમાં ચોમાસા માટે લોકોએ રાહ જોવી પડશે.કેરળમાં ચોમાસું બેસ્યાના 15 દિવસ બાદ ગુજરાતમાં વરસાદ આવી શકે છે.

Breaking News : ગુજરાતમાં ચોમાસાના આગમનને લઇને મોટા સમાચાર, ચોમાસામાં થઇ શકે છે વિલંબ,જુઓ Video
Gujarat Monsoon 2023
| Updated on: Jun 06, 2023 | 10:27 AM
Share

Ahmedabad : ગુજરાતમાં(Gujarat)  ચોમાસાના(Monsoon 2023)  આગમનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ચોમાસામાં વિલંબ થઇ શકે છે. ગુજરાતવાસીઓને ચોમાસા માટે રાહ જોવી પડશે કેરળમાં ચોમાસાની સિસ્ટમ બની ન હોવાથી ગુજરાતમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે.ગુજરાતમાં ચોસામાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે.જે મુજબ ગુજરાતમાં ચોમાસા માટે લોકોએ રાહ જોવી પડશે.કેરળમાં ચોમાસું બેસ્યાના 15 દિવસ બાદ ગુજરાતમાં વરસાદ આવી શકે છે.

હાલ કેરળમાં કોઇ વરસાદી સિસ્ટમ બની નથી.તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં એક દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, તાપી અને વલસાડમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.અરબ સાગરમાં સર્ક્યુલેશન સિસ્ટમ બની હોવાથી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે…વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.તો બીજી તરફ આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે…જેને કારણે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે.

આ પણ વાંચો : Breaking News : ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત, 11 જૂને સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપશે, જાણો તેમના અન્ય કાર્યક્રમ

અરબી સમુદ્રમાં ગોવા અને યમન વચ્ચેના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.. જેના કારણે રાજ્યમાં ચોમાસું મોડું આવશે..આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 3થી 4 દિવસમાં વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગ પ્રમાણે હવાની આ ચક્રાકાર ગતિ એક દિવસ બાદ લો-પ્રેસરમાં અને ત્યારબાદ ડીપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.. અને આગામી 3થી 4 દિવસમાં જ લો-પ્રેશર ચક્રાવાતમાં ફેરવાય તેવી શક્યતા છે.

વાવાઝોડું વિનાશક અને પ્રચંડ શક્તિશાળી બની શકે છે પરંતુ હાલ ગુજરાત ઉપર તેનો ખતરો નહીવત્ છે. ભારે તોફાની વરસાદ લાવી શકતી અને સાથે વિનાશ વેરી શકતી આ સિસ્ટમ ઉત્તર, ઉત્તર-પશ્ચિમ દિશાતરફ એટલે કે યમન અને ઓમાન તરફ આગળ વધે તેવું પૂર્વાનુમાન છે.

જો કેટલાક ચક્રવાતની જેમ આ વાવાઝોડું તેની દિશા બદલીને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તો ગુજરાત ઉપર તેનો ખતરો સર્જાઈ શકે છે. જોકે હાલ તો ભેજ અને ઊંચા તાપમાનના કારણે આગામી ચાર દિવસ બફારો યથાવત્ રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">