ગઢડામાં મુખ્યપ્રધાને કહ્યું જ્યાં સુધી નરેન્દ્રભાઈ હશે ત્યાં સુધી વિકાસના કોઈ કામમાં પૈસા નહીં ખૂટે

સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગઢડામાં મુખ્યપ્રધાન પટેલે 20 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત લિંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કર્યું અને શ્રીજીના પૂજન અર્ચન કર્યા હતા.

ગઢડામાં મુખ્યપ્રધાને કહ્યું જ્યાં સુધી નરેન્દ્રભાઈ હશે ત્યાં સુધી વિકાસના કોઈ કામમાં પૈસા નહીં ખૂટે
CM Bhupendra patel said There will be no money shortage for any development work till PM Modi is there
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 1:41 PM

BOTAD : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ બોટાદ જિલ્લાના ગઢડાના પ્રવાસે છે. સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગઢડામાં મુખ્યપ્રધાન પટેલે 20 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત લિંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કર્યું અને શ્રીજીના પૂજન અર્ચન કર્યા હતા. આ વેળાએ નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ,પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સૌરભ પટેલ,આત્મારામ પરમાર તેમજ ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ અગ્રણીઓ અને ભાવકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અહી જાહેરસભાને સંબોધતા મુખ્યપ્રધાને વડપ્રધાન મોદી અને તેમના વિકાસમંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ અંગે વાત કરી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે સરકાર બધા સાથે રહીને જો આગળ વધારીએ ત્યારે તેનો વિકાસ જ કઈ ઓર હોય છે. તેમણે કહ્યું વડાપ્રધાન મોદીના વિકાસમંત્ર સૌનો સાથ, સૌનો વિકાસનો આજે આપણને અનુભવ થાય છે કે સૌ અઠે રહીએ તો કેટલો વિકાસ થાય છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મુખ્યપ્રધાને કહ્યું સરકાર અને સમાજ સાથે મળીને જે વિકાસ કરે છે એ લગા જ હોય છે. તેમણે કહ્યું નાની નાની વસ્તુઓ, જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફાઈ ઝુંબેશની વાત કરતા હોય, શૌચાલય બનાવવાની વાત હોય, ઘરે ઘરે ગેસ આપવાની વાત હોય, આપણને લાગે કે આટલા વર્ષો પછી પણ આટલી નાની નાની વાતો. ઘરે ઘરે પાણી માટેનું અભિયાન પણ અત્યારે શરૂ છે. અત્યારે આઝાદીના આટલા વર્ષો બાદ ઘરે ઘરે નલ સે જલ યોજનાથી પાણી આપવામાં આવી રહ્યું છે.

મુખ્યપ્રધાને કહ્યું વડાપ્રધાન મોદીના વિઝન આત્મનિર્ભર ભારત અને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં ગુજરાત પણ કદમ મિલાવી આત્મનિર્ભર ગુજરાત બનશે. તેમણે કહ્યું ગુજરાત સરકારની નવી ટીમ પણ એટલી જ તત્પર છે. મુખ્યપ્રધાને કહ્યું લોકોને કોઈ પણ કામ માટે બીજો ધક્કો ખાવો ના પડે એવા અમારા પ્રયાસ છે. તેમણે કહ્યું નીતિનિયમોમાં અસમંજસતા ભર્યા શબ્દોને સરકાર બદલવાનો પ્રયત્ન કરશે. લોકોને હેરાનગતિ ન થાય એના માટેના અમારા પ્રયત્નો છે.

મુખ્યપ્રધાને કહ્યું કે જ્યાં સુધી નરેદ્ર મોદી વડપ્રધાન છે ત્યાં સુધી વિકાસના કોઈ કામમાં પૈસા નહી ખૂટે. કોરોના જેવી મહામારીમાં પણ વિકાસના એક પણ કામ અટક્યા નથી. તેમણે કહ્યું વડાપ્રધાને જે કેડી કંડારી છે એ કેડી પર અમે પણ આગળ વધીએ.

આ પણ વાંચો : AHMEDABAD : ઇસ્કોનથી એરપોર્ટ સુધી BRTS બસ દોડશે, દર 15 મિનીટે બસ મળશે

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટમાં 7 નવા ન્યાયાધીશોની નિમણૂક, બે મહિલા જજનો પણ સમાવેશ

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">