AHMEDABAD : ઇસ્કોનથી એરપોર્ટ સુધી BRTS બસ દોડશે, દર 15 મિનીટે બસ મળશે

BRTS UDAN SEVA : BRTSની આ ઉડાન સેવાથી સૌરાષ્ટ્રભરના વિમાનયાત્રીઓને મોટો લાભ થશે.

AHMEDABAD : ઇસ્કોનથી એરપોર્ટ સુધી BRTS બસ દોડશે, દર 15 મિનીટે બસ મળશે
BRTS buses will run from ISKCON Cross Road to Ahmedabad Airport under BRTS Udan Seva
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 12:51 PM

AHMEDABAD : અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર અને સૌરાષ્ટ્રભરના વિમાનયાત્રીઓ કે જેઓ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જવા ઈચ્છે છે એવા લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું છે. વિદેશ જવા ઈચ્છતા અને ઘરેલું વિમાનસેવા માટે એરપોર્ટ સુધી પહોચવા ટ્રાફિકમાંથી પસાર થઈને જવું પડે છે, જેના માટે ફ્લાઈટના કલાકો પહેલા નીકળી જવું પડે છે. પણ હવે આ વિમાનયાત્રીઓ માટે સારા સામચાર છે. ઇસ્કોન ક્રોસ રોડથી એરપોર્ટ સુધી BRTS બસ સેવા ફરીથી શરૂ કરવા જઈ રહી છે.

BRTSની ઉડાન સેવા (BRTS Udan Seva) અંતર્ગત હવે ઇસ્કોન ક્રોસ રોડથી અમદાવાદ એરપોર્ટ સુધી BRTS બસ દોડશે. આ બસસેવામાં નવી ઇલેક્ટ્રિક બસો દોડશે. આ બસસેવ સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બસ મળશે. ઇસ્કોનથી દર 15 મીનીટે બસ મળશે, એ જ રીતે એરપોર્ટથી ઇસ્કોન સુધી આ બસ દોડશે.

BRTSની આ ઉડાન સેવાથી સૌરાષ્ટ્રભરના વિમાનયાત્રીઓને મોટો લાભ થશે. રાજ્યમાં હાલ એક જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને એ છે અમદવાદની સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. આથી વિદેશ જવા ઈચ્છતા સૌરાષ્ટ્રભરના વિમાનયાત્રીઓએ અમદવાદ એરપોર્ટ આવવું પડે છે. હવે સૌરાષ્ટ્રના આ વિમાનયાત્રીઓને BRTSની આ ઉડાન બસ સેવાનો સારો એવો લાભ મળશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ઇસ્કોનથી એરપોર્ટ સુધીની આ બસ સેવા પહેલા પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણસર આ બસ સેવા બંધ કરવામાં આવી છે, અને હવે ફરી એક વાર આ બસ સેવા શરૂ થવા જઈ રહી છે. સોમવારે 18 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે આ બસ સેવાની શરૂઆત ઇસ્કોન ક્રોસ રોડ ખાતેથી કરવામાં આવશે.

શહેરીજનોને સ્વચ્છ, આરામદાયક અને પ્રદૂષણરહિત જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ સાથે આ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ બસનો રૂટ ઈસ્કોન ક્રોસ રોડ, ઈસરો, સ્ટાર બજાર, હિંમતલાલ પાર્ક , યુનિવર્સિટી, મેમનગર, શાસ્ત્રીનગર , RTO સર્કલ અને અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ સુધીનો રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના સંક્રમણને પગલે લોકડાઉન અમલી બન્યા પછી AMC દ્વારા AMTS અને BRTS બસ સેવા બંધ કરવામાં આવી હતી અને લગભગ દોઢ વર્ષ પછી એરપોર્ટ અને ઈસ્કોન સર્કલ સુધીની બસ સેવાનો પુનઃપ્રારંભ થશે.

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટમાં 7 નવા ન્યાયાધીશોની નિમણૂક, બે મહિલા જજનો પણ સમાવેશ

આ પણ વાંચો : Vaccination: ગુજરાતના 95 ટકા લોકોને ડિસેમ્બર માસ સુધી કોરોના રસીના બંને ડોઝ આપવા કવાયત

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">