Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad: ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને દિવસે આઠ કલાક પૂરતી વીજળી મળે તેવી માંગ કરાઈ

રાત્રીના ખેતરોમાં પિયત માટે આવું પડી રહ્યું છે અને ભયના માહોલ હેઠળ કોઈ જીવ જતું કરડવાની બીકે ખેડૂતો ખેતીકામ કરી રહ્યા છે. ત્યારે દિવસે વીજળી આપે અને પૂરતા પ્રમાણમાં મળે તો ખેતીકામ કરવામાં તેમને સરળતા રહી શકે તેમ છે.

Botad: ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને દિવસે આઠ કલાક પૂરતી વીજળી મળે તેવી માંગ કરાઈ
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 1:38 PM

બોટાદ (Botad)  જિલ્લા ભારતીય કિસાન સંઘ  (Bhartiya kisan sangh) દ્વારા ખેડૂતો  (Farmers) ને દિવસે આઠ કલાક પૂરતી વીજળી (Electricity tariff) મળે તેવી કરી માંગ કરવામાં આવી છે. રાત્રે આપવામાં આવતી વીજળીના કારણે ખેડૂતોને ભયના માહોલ હેઠળ કરવી પડે છે ખેતી. ખેડૂતોની માંગ દિવસે વીજળી આપે અને પુરતા સમય પ્રમાણે આપે તો ખેતરમાં પિયત કરી શકે .હાલ તો ખેડૂતો વીજ પ્રશ્નને લઈને હેરાન થઈ રહ્યા છે.

બોટાદ જીલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરુ કરાઈ હતી. આ યોજના અતર્ગત ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવતી હતી. દિવસે વીજળી મળતા ખેડૂતોને શિયાળો ,ઉનાળો કે પછી હોઈ ચોમાંશું ખેડૂતો સમયસર પોતાના પાકને પિયત કરી શકતા હતા. પરતું સરકાર દ્વારા યોજના બધ કરી દેતા ખેડૂતોને ફરી પાછી રાતે વીજળી મળતા હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે.

પોતાના પરિવાર સાથે રાત્રીના ખેતરોમાં પિયત માટે આવું પડી રહ્યું છે અને ભયના માહોલ હેઠળ કોઈ જીવ જતું કરડવાની બીકે ખેડૂતો ખેતીકામ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે જે દિવસે વીજળી આપે અને પૂરતા પ્રમાણમાં મળે તો ખેતીકામ કરવામાં તેમને સરળતા રહી શકે તેમ છે. હાલ આપવામાં આવતી વીજળી ગમે તે સમયે આપવામાં આવે છે અને પૂરતા પ્રમાણે મળતી નથી જેના કારને ખુબ જ તકલીફનો સામનો કરવો પડે છે.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

ખેડૂતોને દિવસે અને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે માટે બોટાદ જીલ્લા ભારતીય કિસાન સઘન પ્રમુખ ઇન્દ્ર્સિંહ રાઈજાદા સરકાર પાસે રજૂઆત કરવામાં આવી છે કે સરકાર વહેલી તકે ખેડૂતોને પહેલાની જેમ વીજળી આપે જેથી ખેડૂતોને રાત્રીના હેરાનના થવું પડે.

ભારતીય કિસાન સંઘે રાજ્યમાં ખેડૂતોને એકસમાન વીજદર લાગુ કરવાની જર્ક તથા ગુજરાત સરકાર સમક્ષ માગણી કરી છે. કિસાન સંઘનું કહેવું છે કે અત્યારે ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક દર અને મીટર દર એમ બે પદ્ધતિથી બિલો અપાય છે. ત્યારે હવે હોર્સપાવર દીઠ ઉચ્ચક પદ્ધતિ લાગુ કરવા અથવા ઉપરનો ખર્ચ સરકાર ભોગવે તેવી માગણી સાથે કિસાન સંઘે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે.

કિસાન સંઘનો દાવો છે કે 18 લાખ ખેતીવાડીના કનેક્શન પૈકી જૂના જોડાણોમાં અપાતી વીજળીના વર્ષે ઉચ્ચક 66,500 વસૂલાય છે. જ્યારે 2003 પછીના જોડાણ મીટરવાળા છે. જેમાં યુનિટ દીઠ 60 પૈસાનો ભાવ અને હોર્સ પાવર દીઠ 20 રૂપિયા વસૂલાય છે. જેના કારણે મીટરવાળા ખેડૂતોને વર્ષે 1 લાખથી વધુ રકમ ચૂકવવી પડે છે. જેથી કિસાન સંઘની માગ છે કે કાં તો સરકાર બધા જ ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક રકમ નક્કી કરે અથવા મીટરવાળા ખેડૂતોનો ઉપરનો ખર્ચ સરકાર ભોગવે.

આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્રના કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુંની આત્મહત્યા, આત્મહત્યા પાછળ અમદાવાદનું ઓઝન ગ્રુપ જવાબદાર હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

આ પણ વાંચોઃ Ahmedabad: કેનેડામાં જનારા વિદ્યાર્થીઓનું વીઝા રિજેક્શન વધ્યું, જાણો શા માટે અને કેટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓનું રિજેક્શન વધ્યુ

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">