ગુજરાતમાં 2022 માં ભાજપ 182 બેઠકો કાર્યકર્તાની મહેનતથી જીતશે : સી.આર. પાટીલ

|

Sep 03, 2021 | 12:16 AM

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે તમને કોઈ જીતાડવાની જવાબદારી આપે અને જીતાડીએ એ પણ આપણી જીત છે. તેમજ સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પાર્ટી દ્રારા જ લડાશે અને મેન્ડેડ પણ અપાશે

ગુજરાતમાં 2022 માં ભાજપ 182 બેઠકો કાર્યકર્તાની મહેનતથી જીતશે : સી.આર. પાટીલ
BJP will win 182 seats in Gujarat in 2022 with the hard work of Workers Said C R Paatil

Follow us on

ગુજરાતમાં કેવડીયા ખાતે મળેલી પ્રદેશ કારોબારીની બેઠકને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે  જણાવ્યું હતું કે ભાજપ 2022 માં 182 બેઠકો જીતશે તેવો કાર્યકર્તાની મહેનત જોઈ એમના ઉપર મને ભરોસો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તમને કોઈ જીતાડવાની જવાબદારી આપે અને જીતાડીએ એ પણ આપણી જીત છે. તેમજ સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પાર્ટી દ્રારા જ લડાશે અને મેન્ડેડ પણ અપાશે

આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે અમે હવે ચૂંટણીના મોડમાં આવી ગયા છીએ. કેવડિયા ખાતે પ્રદેશ કારોબારી બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટતા કરી કે ભાજપનો ચૂંટણી પ્રચાર હવે શરૂ થઇ ગયો છે અને ચૂંટણીમાં પરિણામ મેળવવા માટે પ્રમુખથી માંડીને કાર્યકરો જવાબદારી નક્કી થયા મુજબ તનતોડ પ્રયાસ કરશે..

ગુજરાતમાં કેવડીયા ખાતે મળેલી ભાજપની પ્રદેશ કારોબારીમાં રાજકીય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ રજૂ કર્યો હતો. જ્યારે સાંસદ ડૉ.કિરીટ સોલંકી અને  કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પ્રસ્તાવને સમર્થન  આપ્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જયારે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે નર્મદાના દરવાજા માટે ઉપવાસ પણ નરેન્દ્રભાઈ એ કર્યા અને તે દરવાજાની ઉંચાઈ વધારવાનું કામ પણ નરેન્દ્રભાઈ એ કર્યું હતું. તેમજ આ સરદાર સાહેબ ને ઈતિહાસ માંથી ભુલાવવાનું કામ પણ કોંગ્રેસે કર્યું  છે. કોંગ્રેસના લોકો એ માત્ર આંબેડકરજી નો ઉપયોગ કર્યો સાચા અર્થમાં પંચ તીર્થનું નિર્માણ કરીને મોદીજીએ સન્માન કર્યું છે.

આ પ્રસંગે   કેન્દ્રીય રક્ષામંત્રી   રાજનાથસિંહજી એ કાર્યકરોને સંબોધનમાં જણાવ્યું હતું કે “ગુજરાતના ભાજપાનાં કાર્યકરોએ સી.આર પાટીલના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપયોગથી વધુ મજબૂત  બન્યા  છે. તેમજ  વિપક્ષ ભાજપને હંમેશા અલગ અલગ રીતે બદનામ કરવાના કામમાં વ્યસ્તછે. પરંતુ ભાજપે લોકોના દિલ જીત્યા છે.”

નાયબ મુખ્યમંત્રી  નિતીન પટેલે તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે એક તરફ સરકાર અને બીજી તરફ સંગઠન સિક્કાની એ બે બાજુ છે .  નિતીન  પટેલે જ્યારે તેમની આગવી અને રમુજી શૈલીમાં કહ્યું કે ”  પ્રધાનમંત્રી  નરેન્દ્ર  મોદીએ વેક્સિન મફત આપી મમતા બેનર્જીની બોલતી બંધ કરી દીધી હતી

આ  પણ વાંચો : Ahmedabad : કમલમ ફ્રૂટના ઉત્પાદનમાં ગુજરાત મોખરે, 1200 હેક્ટરમાં વાવેતર થયું

આ પણ વાંચો : Narmada : કેવડિયામાં ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક શરૂ, કેન્દ્રિય મંત્રી રાજનાથ સિંહ અને સીએમ રૂપાણીએ બેઠકનો પ્રારંભ કરાવ્યો

Published On - 7:34 pm, Thu, 2 September 21

Next Article