કેમ ભાજપે નવા સીએમ તરીકે Bhupendra Patelની વરણી કરી ? 2022 વિધાનસભા ચૂંટણી માટે પાટીદાર માસ્ટર સ્ટ્રોક

Bhupendra Patelના નામની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે મિશન 2022 માટે ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. ત્યારે સત્તાસંગ્રામમાં ફરી પાટીદાર પાવરમાં આવ્યા છે.

કેમ ભાજપે નવા સીએમ તરીકે Bhupendra Patelની વરણી કરી ? 2022 વિધાનસભા ચૂંટણી માટે પાટીદાર માસ્ટર સ્ટ્રોક
Bhupendra Patel, Why BJP Chose Him as The New Gujarat Chief Minister ahead of Assembly Election
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 11:57 AM

મિશન 2022 નજીક છે અને ત્યારે જ વિજય રૂપાણીનું રાજીનામું ગુજરાતમાં રાજકીય ગરમાટો લઈને આવ્યું અનેક ચર્ચાના દોર ચાલું થયા. ત્યારે ભૂપેન્દ્ર પટેલેના નામની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે મિશન 2022 માટે ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. ત્યારે સત્તાસંગ્રામના નવા સેનાપતિની જાહેરાત બાદ ફરી પાટીદાર પાવરમાં આવ્યા છે.

મિશન 2022 માટે ભાજપનો માસ્ટર પ્લાન

ગુજરાતના રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. આખા દિવસ દરમિયાન અનેક અટકળો વચ્ચે ચોંકાવનારૂ નામ ભૂપેન્દ્ર પટેલનું નામ સામે આવતા જ સૌ કોઈ ચોંકી ગયા હતા. ત્યારે વિજય રૂપાણીના રાજીનામા બાદ કોણ બનશે મુખ્યપ્રધાન તે સવાલનો પણ જવાબ મળી ગયો છે. ત્યારે મિશન 2022 માટે ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ફરી પાવરમાં પાટીદાર

જો કે, એક સમયે એવી પણ ચર્ચાઓ વહેતી થઈ હતી કે, ગુજરાતમાં પાટીદારોની નારાજગી ખાળવા માટે બીજેપી હાઈકમાન્ડ હાલ ગુજરાતના ડેપ્યુટી સીએમ રહેલા નીતિન પટેલના નામની જાહેરાત કરી શકે છે. તેમને મોટી જવાબદારી આપી શકે છે. ત્યારે આ બાબતને લઈને પણ હવે પૂર્ણ વિરામ લાગી ગયું છે. ગુજરાતના નવા સીએમ તરીકે કડવા પાટીદાર નેતાને વરણી કરીને પાટીદાર સમાજની નારાજગી દુર કરવાનું કામ કર્યુ છે.

ભાજપનો ચૂંટણી માટે પાટીદાર માસ્ટર સ્ટ્રોક

એક તરફ કોરોના, તો બીજી તરફ ગુજરાતમાં આપની એન્ટ્રી અને પાટીદારોની નારાજગીને જોતા 2022નો ફુલપ્રુફ પ્લાન સાથે ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે.ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ઘાટલોડિયા વિધાનસભામાંથી સૌથી વધારે લીડ સાથે જીત્યા હતા. ભૂપેન્દ્ર પટેલ 2017માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા જ્યાં સૌથી વધારે લીડ સાથે તેઓ અહીંથી જીત્યા હતા. ૧.૧૭ લાખ મતોની લીડ સાથે ચૂંટણી જીત્યા હતા.

ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વાર પાટીદાર નેતાની વરણી કરી છે. 2022ની ચૂંટણીને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વાર પાટીદાર નેતા પર દાવ ખેલ્યો છે.

પાટીદારોની નારાજગી દુર કરવાનો પ્રયાસ

પાટીદારોની નારાજગી ભાજપ માટે સૌથી પડકાર જનક હતી પરંતુ ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરીને ભાજપે સત્તાના સમિકરણો ફરી બદલી નાંખ્યા છે. એક તરફ કૉંગ્રેસ પક્ષમાં મજબૂત નેતાનો અભાવ છે. તો બીજી તરફ પાટીદારોની નારાજગીનો રાજકીય ફાયદો ઉઠાવી આપ પાર્ટી ગુજરાતમાં પોતાના મૂળી મજબૂત કરવા માગતી હતી. પરંતુ ભાજપના આ સ્ટ્રોકને પગલે આપ પાર્ટીની આ રણનીતિ પર પાણી ફરી વળ્યું છે.

મિશન 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખી ફરી ભાજપે જાતીગત ગણિતને સાધ્યું છે. જેનો ફાયદો ચોક્કસ 2022ની ચૂંટણીમાં મળશે. કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા જ રાજ્ય સરકારને અનામત કોટા નક્કી કરવાની પરવાનગી આપી. તેનો ફાયદો ગુજરાતના પાટીદારોને થશે. કેમકે, ભૂપેન્દ્ર પટેલ ખુદ પાટીદાર સમાજના હોવાથી સમાજ પ્રત્યે કુણુ વલણ દાખવે તેવી સંભાવના છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">