AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરનો મોતીબાગ ટાઉનહોલ જાળવણીના અભાવે ખંડેર બનવાની કગાર પર, કોર્પોરેશનની અણઆવડતનો વધુ એક નમૂનો- વીડિયો

ભાવનગરનો મોતીબાગ ટાઉનહોલ જાળવણીના અભાવે ખંડેર બન્યો છે. કરોડોના ખર્ચે રિનોવેશ કરાયા બાદ પણ કોર્પોરેશને ધ્યાન ન દેતા ટાઉનહોલ કબાડીખાનુ બની ગયો છે. કોર્પોરેશનના સત્તાધિશોની અણઆવડના પાપે રાજાશાહી સમયનો ઐતિહાસિક ધરોહર સમાન ટાઉનહોલ હવે બિહામણો ભાસી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2023 | 6:52 PM
Share

એક સમય હતો જ્યારે મોતીબાગ ટાઉનહોલ ભાવનગર શહેરની શોભા અને નજરાણુ ગણાતો હતો. ભાવનગર સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જ્યાં રાજ્યાભિષેક થયો હતો એવો રાજાશાહી સમયનો ઐતિહાસિક ધરોહર સમાન મોતીબાગ ટાઉનહોલ હાલ જાળવણીના અભાવે કબાડીખાનુ બનવાની કગાર પર છે. આજે મોતીબાગને જોઈને હરકોઈને એ જ વિચાર આવે કે ‘ખંડહર બતા રહા હૈ કિ ઇમારત કિતની બુલંદથી’

ટાઉનહોલને કોર્પોરેશનના કર્મચારીઓએ બનાવી દીધો કબાડીખાનુ

કરોડોના ખર્ચે રિનોવેશન કરાયા બાદ પણ જાળવણીના અભાવે ટાઉન હોલ ખંડેર બની ગયો છે. કોર્પોરેશનની અણઆવડતનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. બન્યુ એવુ કે શહેરમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી એ દરમિયાન ગેરકાયદ રીતે ઉભા કરાયેલા દબાણો હટાવવામાં આવ્યા પરંતુ આ દબાણ દરમિયાન જપ્ત કરાયેલા લારી ગલ્લાઓ મોતીબાગ ટાઉનહોલના બગીચામાં મુકવામાં આવ્યા.

આ તો કબાડી ખાનું છે કે ઐતિહાસિક ધરોહર!

જે ટાઉનહોલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો ધરોહર છે. જે ટાઉનહોલ ભારતીય મુઘલ અને ગ્રીક સ્થાપત્ય શૈલીનું સંયુક્ત ઉદાહરણ છે. જે મહારાજા સાહેબનો લગ્નમંડપ ગણાય છે, જે મોતીબાગમાં મહારાજાકૃષ્ણકુમારસિંહજીએ 1931માં પ્રજાલક્ષી યોજનાઓની જાહેરાતો કરી હતી. એ ટાઉનહોલને કોર્પોરેશને કબાડી ખાનુ બનાવી દીધો.જો કે વિવાદ બાદ મનપાના સત્તાધિશોનું કહેવુ છે કે આ વ્યવસ્થા કામચલાઉ છે. મેયર કહે છે કે દિવાળીનો તહેવાર હોવાથી શહેરમાં અડચણરૂપ લારી-ગલ્લા ટાઉનહોલની પાછળના ભાગમાં મુક્યા હતા હવે તેને તાત્કાલિક ઉઠાવી લેવામાં આવશે.

આ પણ વાંચો: ભાવનગરમાં ફટાકડા ફોડવા જેવી બાબતે કર્યો હુમલો તો અન્ય એક ઘટનામાં કાર કાઢવા જેવી બાબતે મારામારી- જુઓ વીડિયો

કોર્પોરેશનની આ દલીલ ભાગ્ય જ કોઈને ગળે ઉતરે. જે ધરોહરની જાળવણી પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે અને તેમા જ પાછો શહેરનો ભંગાર ઠલવવામાં આવે તે અણઘડ આયોજનનો નમૂનો નહીં તો બીજુ શું ? તે સવાલ થયા વિના ન રહે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">