AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર : મનપા તંત્રની ઘોર બેદરકારી, કળિયાબીડમાં ટાંકીનો સ્લેબ તૂટી ગયો હોવાછતાં રિપેરીંગ કરાતું નથી

ટીવી નાઈનના અહેવાલ બાદ મનપાના સ્ટે. કમિટીના ચેરમેન, સીટી એન્જીનીયર સહિત વોટર્સ વિભાગનો બહુ મોટો કાફલો ટાંકી એ પહોંચી તપાસ હાથ ધરી, હાલ પૂરતું ટાકીને ઢાંકવા માટે કામગીરી શરૂ કરાયેલ છે.

ભાવનગર : મનપા તંત્રની ઘોર બેદરકારી, કળિયાબીડમાં ટાંકીનો સ્લેબ તૂટી ગયો હોવાછતાં રિપેરીંગ કરાતું નથી
Bhavnagar: Municipal Corporation's negligence, tank slab in Kaliabid is broken but not repaired
Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 28, 2022 | 6:34 PM
Share

ભાવનગર (Bhavnagar) મહાનગરપાલિકાના (Corporation)શાસકો અને અધિકારીઓની ઘોર બેદરકારી (Negligence)સામે આવી છે. અને આ સંપૂર્ણ મનપાની બેદરકારી ટીવી નાઈન દ્વારા સામે લાવતા સમગ્ર તંત્ર દોડતું થયું છે. શહેરના કળિયાબીડ વિસ્તારમાં આવેલ દિલ બહાર ટાંકીનો ઉપરનો સ્લેબ છેલ્લા એક મહિનાથી તૂટી ગયો હોવા છતાં મનપા તેને નથી રીપેર કરાવતા અને નથી ઢાંકતા અને લોકોને દૂષિત પાણી પાઈ રહ્યા છે. જ્યારે ટીવી નાઈન દ્વારા ટાંકી ઉપરના ડ્રોનથી ફોટો વીડિયો બહાર લાવતા સમગ્ર ઘટના બહાર આવવા પામી છે.

ભાવનગર મહાનગરપાલિકાના કળિયાબીડ અને આજુબાજુના વિસ્તારના લોકોને પીવાનું પાણી પૂરું પાડવા દિલબહાર નામથી ટાંકી બનવવામાં ત્રીસ વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. આ ટાંકીની પાણી સંગ્રહ કેપિસિટી 17 લાખ લીટર છે. અને કળિયાબીડની અનેક સોસાયટીમાં એક લાખથી વધારે લોકોને પીવાનું પાણી નિયમિત સપ્લાય થાય છે. ત્યારે આ ટાંકીનો ઉપરનો બહુ મોટો સ્લેબ તૂટી ગયાને એક મહિના કરતા વધારે સમય વીતી ગયો હોવા છતાં વોટર વિભાગના કર્મચારીઓને જાણ હોવા છતાં આ ટાંકીને રીપેર કરવા કે ઢાંકવાની તસ્દી મનપા લઇ રહ્યું નથી. અને લોકોને દૂષિત પાણી મળી રહ્યું છે. કારણકે ઉપરનો સ્લેબ તૂટીને લોખંડ સહિતનો કાટમાળ પાણીમાં ગરકાવ છે. હવામાં ઉડતી ધૂળની રજો પાણીમાં જઈ રહી છે. બાજુમાં વિક્ટોરિયા પાર્ક હોવાને લીધે પક્ષીઓ ખુબજ મોટી સંખ્યામાં ટાંકીની ઉપર બેસતા પક્ષીઓની ચરક પાણીમાં ભળી રહી છે અને આ દુષિત પાણી મનપાની પોલમ પોલના લીધે લોકોને પાઇ રહ્યું છે.

ટીવી નાઈનના અહેવાલ બાદ મનપાના સ્ટે. કમિટીના ચેરમેન, સીટી એન્જીનીયર સહિત વોટર્સ વિભાગનો બહુ મોટો કાફલો ટાંકી એ પહોંચી તપાસ હાથ ધરી, હાલ પૂરતું ટાકીને ઢાંકવા માટે કામગીરી શરૂ કરાયેલ છે. જોકે ટાંકી ત્રીસ વર્ષ જૂની હોવાથી સમગ્ર ટાંકીની સ્થિતિ ચેક કરવી ખૂબ જરૂરી છે. ટાંકી મુખ્ય રસ્તા પર આવેલી હોવાથી જો ધરાશાયી થાય તો જાનહાની પણ થઈ શકે માટે મનપાના શાસકો ટાંકીની સંપૂર્ણ સ્થિતિ નિષ્ણાતો પાસે ચેક કરાવવી ખુબજ જરૂરી છે.

આ પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પર નાણાંનો વરસાદ, બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 250 કરોડ સુધી પહોંચ્યું

આ પણ વાંચો : અમદાવાદ : લૂંટેરી દુલ્હને લીધો યુવકનો ભોગ ! લગ્નના દસ દિવસ બાદ દાગીના લઈ ફરાર

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">