Bhavnagar : અલંગમાં વાવાઝોડા અને એમોનિયા લીકેજ અંગે મોકડ્રીલ યોજાઈ

અત્રે ઉલ્લેખનીય છે કે અલંગ ખાતે કુદરતી તેમજ આકસ્મિક ગેસ લીકેજ સહિતની કોઇપણ ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાન માલને થતુ નુકશાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોકડ્રીલ દર વર્ષે યોજવામાં આવે છે.

Bhavnagar : અલંગમાં વાવાઝોડા અને એમોનિયા લીકેજ અંગે મોકડ્રીલ યોજાઈ
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 24, 2023 | 8:46 PM

અલંગમાં વાવાઝોડા બાદ પ્લોટ નંબર 10 ખાતે એમોનિયા લીકેજ અંગે  એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલ   કુદરતી તેમજ માનવસર્જિત આફત અંગે યોજાઈ હતી. ભાવનગરના અલંગ ખાતે આવેલા 120 કિમી ઝડપે આવેલા વાવાઝોડા બાદ પ્લોટ નંબર 10 માં એમોનિયા ગેસ લીકેજ છે તેવા સમાચાર મળતા ભાવનગર જિલ્લાનું તંત્ર દોડતુ થયું હતુ. જો કે આ રીયલ નહીં પરંતુ મોકડ્રીલ હોવાની જાણ થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. અલંગ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં પ્લોટ આવેલા હોઈ તેમજ અલગ અલગ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો હોઈ કેમિકલ લીકેજ થાય તો તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી.

નુકશાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોકડ્રીલ દર વર્ષે યોજવામાં આવે છે.

જેમાં ફાયર ફાઇટર, 108  એમ્બ્યુલન્સ, ટેકનીશિયન ટીમ સહિત સંબંધિત કચેરીઓનો સ્ટાફ તાબડતોડ દોડી આવીને એમોનિયા ગેસ લીકેજ  પર કાબૂ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અલંગ ખાતે કુદરતી તેમજ આકસ્મિક ગેસ લીકેજ સહિતની કોઇપણ ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાન માલને થતુ નુકશાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોકડ્રીલ દર વર્ષે યોજવામાં આવે છે.

આ મોકડ્રીલમાં ભાવનગર જિલ્લાના ડિઝાસ્ટર ડી.પી.ઓ. ડિમ્પલબેન તેરૈયા, એન. ડી. આર. એફ. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવિણકુમાર, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર દિપક બાબુ, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર અજય કુમાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડના પોર્ટ ઓફિસર  કેપ્ટન રાકેશ મિશ્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

તંત્ર આપત્તિ સામે લડવા કેટલું તૈયાર છે તેની પણ જાણકારી મળે છે

તંત્ર  દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારની મોકડ્રિલ આયોજિત કરવાને લીધે કુદરતી તેમજ કૃત્રિમ આપત્તિ સમયે  ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કેવી રીતે કામકાજ કરવામાં આવે છે તેની લોકોને જાણ થાય છે  તેમજ તંત્ર આપત્તિ સામે લડવા કેટલું તૈયાર છે તેની પણ જાણકારી મળે છે.

આ પણ  વાંચો:  Gujarati Video: દ્વારકામાં ભૂરાયાં થયેલા આખલાના આતંકથી માલમત્તાને ભારે નુકસાન, જુઓ વાયરલ Video

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">