AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: અધૂૂરો ફ્લાય ઓવર બન્યો માથાનો દુખાવો, નગરજનો જાયેં તો જાયે કહાં?

સતત ટ્રાફિકવાળા  (Traffic) રસ્તાના લીધે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ ભાવનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કરાયો છે કે, આગામી સમયમાં ઝડપથી ફ્લાયઓવરનું કામ શરૂ કરાશે.

Bhavnagar: અધૂૂરો ફ્લાય ઓવર બન્યો માથાનો દુખાવો, નગરજનો જાયેં તો જાયે કહાં?
ભાવનગરમાં ફ્લાયઓવરના અધૂરા કામથી નાગરિકો ત્રસ્ત Image Credit source: સાંકેતિક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 9:16 AM
Share

ભાવનગરમાં  (Bhavnagar) ફલાયઓવર સુવિધાની જગ્યાએ સમસ્યા બની ગયો છે. ભાવનગર મહાનગરપાલિકા શહેરમાં  (Bhavnagar municipal corporation) પ્રથમ ફ્લાય ઓવરનું 115 કરોડના ખર્ચે નિર્માણ કરી રહી છે. બે વર્ષ પહેલાં કામ શરૂ કરાયુ છે. ફ્લાયઓવરને પૂર્ણ કરવાની સમય મર્યાદાને હવે માત્ર એક મહિનો જ બાકી છે. જો કે, અત્યાર સુધીમાં માત્ર 25 ટકા જેટલું જ કામ પૂર્ણ થયું છે. જેને લઈને નગરજનો માટે સુવિધા જ મુશ્કેલી બની ગઈ છે. સતત ટ્રાફિકવાળા  (Traffic) રસ્તાના લીધે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ ભાવનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કરાયો છે કે, આગામી સમયમાં ઝડપથી ફ્લાયઓવરનું કામ શરૂ કરાશે.

સુવિધાને બદલે અસુવિધા થઈ રહી છે

નાગરિકો જણાવી રહ્યા છે કે ઓવર બ્રિજ કે અંડર બ્રિજ નાગરિકોની સુવિધા માટે બનાવવામાં આવે છે લોકો સુવિધા મળે તે માટે ચેક્સ ભરે છે પરંતુ તંત્ર દ્વારા જો યોગ્ય સમયે કામ પૂર્ણ કરવામાં ન આવે  તો તેના માટે  જવાબદાર કોણ છે. આ અધૂરી કામગીરીને લીધે લોકોના નાણા તેજમ સમયનો વ્યય  થાય  છે.

મહુવામાં ફેલાયું છે ગંદકીનું સામ્રાજ્ય

તો બીજી તરફ ભાવનગરના મહુવામાં આવેલા આ ગામમાં ગ્રામ પંચાયત હોવા છતાં ગામ ગંદકી અને ખુલ્લી ગટરોનું સામ્રાજ્ય છે. આ સમસ્યા છેલ્લા બે વર્ષથી છે.અહીં  જાણીતા કથાકાર મોરારીબાપુ પણ રહે છે અને બાપુ પણ વતન આવે ત્યારે પોતાના આશ્રમથી નિવાસ સ્થાને જવા માટે આજ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ આવી ગંદકી વચ્ચેથી પસાર થવાના બદલે તેઓ પણ ફરી-ફરીને પોતાના નિવાસ સ્થાને જાય છે એવું ગામલોકોનું કહેવું છે આ સિવાય સ્મશાન જવા માટે પણ ગામલોકોએ આ જ રસ્તો પસાર કરવો પડે છે અને  સતત નગરવાસીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

હદ તો એ છે કે ગંદકીના કારણે આ વિસ્તારમાં રહેતા એક વિકલાંગ બેન પણ એક વર્ષથી શેરીની બહાર નથી નીકળી શક્યા અને એવું પણ નથી કે સમસ્યાનો ઉકેલ લાવવા કોઈએ કંઈ રજૂઆત જ ન કરી હોય, ગ્રામજનોએ ગ્રામ પંચાયતથી માંડીને અનેક જગ્યાએ અનેકવાર રજૂઆતો કરી છે. ગામ લોકોનું કહેવુ છે કે સ્વચ્છ અભિયાન પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે પરંતુ અહીંયા તો આવું કંઈ દેખાતું નથી. આખરે કંટાળેલા લોકો મીડિયા મારફતે સવાલ કરી રહ્યા છે કે આખરે આ સમસ્યાનો અંત ક્યારે આવશે?

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">