AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavanagr : શાકભાજીના ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓ આનંદિત, ખેડૂતોને આવ્યો રોવાનો વારો

આ વર્ષે શાકભાજીનું (Vegetable crop) ઉત્પાદન ભાવનગર જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને મજૂરી અને ટ્રાન્સપોટેશનનો ખર્ચ પોષાય તેમ નથી.

Bhavanagr : શાકભાજીના ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓ આનંદિત, ખેડૂતોને આવ્યો રોવાનો વારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 1:09 PM
Share

શાકભાજીનું વાવેતર કરી બેઠેલા ખેડૂતોને શાકભાજીના ભાવ ગગડતાં રોવાનો વારો આવ્યો છે. હાલમાં શાકભાજીના ભાવ ગગડી ગયા છે. ત્યારે ગૃહિણીઓ તો ઘણી આનંદિત છે કારણ કે વિવિધ પ્રકારના શાકભાજી ગૃહિણીઓને સાવ સસ્તા ભાવે મળી રહ્યા છે.  જો કે એકની ખુશી બીજા માટે દુખનું કારણ બની છે. શાકભાજીનો પાક ઉગાડનારા ખેડૂતો શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખૂબ નિરાશ થયા છે. આ વર્ષે શાકભાજીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને મજૂરી અને ટ્રાન્સપોટેશનનો ખર્ચ પોષાય તેમ નથી. ખેડૂતોનું કહેવું છે કે શાકભાજીના ભાવ ઘટવાને કારણે તેમને ભાડાના પૈસા પણ નથી નીકળતા.

યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નિરાશ

શિયાળા મોંઘા ભાવે બિયારણ લાવી કરેલા વાવેતર બાદ પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો પરેશાન બન્યા છે. ત્યારે ભાવનગરના ખેડૂતો યાર્ડમાં મફતના ભાવે શાકભાજી વેચી રહ્યા છે. શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને મહામૂલો પાક બજારમાં મફતના ભાવે વેચવો પડી રહ્યો છે. યાર્ડમાં શાકભાજીના વેચાણભાવની વાત કરીએ તો, 20 કિલો ટામેટાના 80થી 120 રૂપિયા, ગુવારના 20 કીલોના 100થી 180 રૂપિયા, કોબીના 90થી 170 રૂપિયા મળી રહ્યા છે તો મરચાં, કોથમીરના ભાવ સાવ ઓછા મળી રહ્યા છે પરિણામે ખેડૂતો નિરાશ છે અને તેમની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે.

આ વર્ષે શાકભાજીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને મજૂરી અને ટ્રાન્સપોટેશનનો ખર્ચ પોષાય તેમ નથી. ખેડૂતો સાથે વેપારીઓનો માલ પણ બિલકુલ વેચાતો નથી. જયારે સસ્તી શાકભાજી મળતા ગૃહિણીઓને સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો છે.

યાર્ડમાં આ રીતે મળી રહ્યા છે ભાવ

  • ટામેટાના 20 કિલોના ભાવ 80થી 120 રૂ.
  • ગવારના 20 કિલોના ભાવ 100થી 180 રૂ.
  • કોબીજના 20 કિલોના ભાવ 90થી 170 રૂ.
  • રીંગણાના 20 કિલોના ભાવ 80થી 250 રૂ.
  • વટાણાના 20 કિલોના ભાવ 200થી 400 રૂ.
  • મરચાના 20 કિલોના ભાવ 150થી 240 રૂ.
  • બટાકાના 20 કિલોના ભાવ 200થી 280 રૂ.
  • ગાજરના 20 કિલોના ભાવ 160થી 200 રૂ.
  • કોથમીરના 20 કિલોના ભાવ 200થી 300 રૂ.
  • મેથીના 20 કિલોના ભાવ 150થી 250 રૂ

ભાવ સિઝનમાં સૌથી તળિયે જતાં ખેડૂતોની કફોડી હાલત

શાકભાજીના ભાવ સિઝનમાં સૌથી તળિયે જતાં ખેડૂતોની કફોડી હાલત થઇ છે. ખેડૂતોને જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ બન્યો છે, થોડા સમય પહેલા રાજકોટ માર્કેટમાં ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચી રહ્યાં હતા. માત્ર એક મહિનામાં જ શાકભાજીના ભાવ અડધા થઇ ગયા છે. શાકભાજીના ભાવની વાત કરીએ તો એક મહિના પહેલા જે ટામેટા પ્રતિકિલો 15 રૂપિયે વેચાતા હતા તેના ભાવ ઘટીને પાંચ રૂપિયા થઇ ગયા છે. તો કોબી 10 થી ઘટી 2 રૂપિયે કિલો વેચાઇ રહી છે. જ્યારે દૂધી 3, રીંગણ 3, ભીંડા 10, ફ્લાવર 2, વાલ 15, ચોળી 15, મરચાં 10, વટાણા 10 અને કાકડી 5 રૂપિયે કિલોએ વેચાઇ રહી છે. જેને લઇ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">