AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ૧૫ મી નવેમ્બર બાળવાર્તા દિન તરીકે ઉજવવાની શિક્ષણ મંત્રીની જાહેરાત

બાળવાર્તાઓ વર્તમાનમાં પણ જીવંત રહે અને બાળકોના ઘડતરમાં તેનો ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગિજુભાઈ બધેકાના જન્મદિવસને 'બાળવાર્તા દિન' તરીકે ઉજવવાનો રાજ્ય સરકારે સ્તુત્ય નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં ૧૫ મી નવેમ્બર બાળવાર્તા દિન તરીકે ઉજવવાની શિક્ષણ મંત્રીની જાહેરાત
15th November Celebrate as Children Story Day in Gujarat Announce Eduaction Minister Jitu Vaghani
Ajit Gadhavi
| Edited By: | Updated on: Nov 13, 2021 | 9:35 PM
Share

ગુજરાતમાં (Gujarat)૧૫ મી નવેમ્બર બાળવાર્તા દિન (Children Story Day )તરીકે ઉજવવાની જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી કરી છે.ભાવનગરના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી(Jiti Vaghani)  એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાના(Gijubhai Badheka)  જન્મદિવસ ૧૫ મી નવેમ્બરને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવામાં આવશે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આ યુગમૂર્તિ બાળ કેળવણીકારે સો વર્ષ પહેલા જે ભાવેણાની ધરતી અને દક્ષિણામૂર્તિથી બાળમાનસને કેળવવાના અને ઘડતર કરવાના વિચારનો પાયો નાંખ્યો હતો તે ભૂમિ પરથી આ જાહેરાત કરતાં હું ગૌરવની લાગણી અનુભવું છું.

બાળ મંદિર, બાળ મંદિરનો ખ્યાલ અને બાળ માનસની કેળવણીના ભીષ્મપિતામહ અને જેને જગત ‘મૂછાળી માં’ તરીકે ઓળખે છે. તેવા ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ ગુજરાતમાં ‘બાળવાર્તા દિવસ’ તરીકે ઉજવીને તેમને સાચી સ્મરણાંજલિ આપવાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને દક્ષિણામૂર્તિ વિદ્યાલયના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રીને આ માટેની રજૂઆત કરવામાં આવી હતી અને જેનો હકારાત્મક પ્રતિભાવ આપીને ગિજુભાઈ બધેકાના જન્મદિવસને દક્ષિણામૂર્તિ વિદ્યાલય, ભાવનગર ખાતે ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું. ભારતનું ભવિષ્ય એવાં બાળકને જે બાળ વાર્તાઓ, બાળ ગીતો ગમે છે અને જેની કથની હવે લુપ્ત થઈ રહી છે તેવી બાળવાર્તાઓ વર્તમાનમાં પણ જીવંત રહે અને બાળકોના ઘડતરમાં તેનો ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગિજુભાઈ બધેકાના જન્મદિવસને ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનો રાજ્ય સરકારે સ્તુત્ય નિર્ણય કર્યો છે.

જાણીતા સાહિત્યકાર અને હાસ્યકાર શ્રી સાંઈરામ દવેએ જણાવ્યું કે, આઝાદી પહેલાંથી કેળવણીની દિશામાં ભાવનગરએ દીવાદાંડીરૂપ કાર્ય કર્યું છે.ભાવનગરમાં એટલાં બધાં કેળવણીકારો થઈ ગયાં છે કે, એક બાજુ સમગ્ર રાજ્યના કેળવણીકારોને મૂકવામાં આવે અને બીજી બાજુ ભાવનગરના કેળવણીકારોને મૂકવામાં આવે છતાં ભાવનગરનું પલ્લું ભારે રહે તે દિશાનું ખેડાણ આજથી વર્ષો પહેલા થયું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સો વર્ષ પહેલાં બાળગીતો- વાર્તાઓ દ્વારા બાળકોના ઘડતરની જે વાત ગિજુભાઈ બધેકાએ કરી હતી તેને નવી શિક્ષણ નીતિમાં પણ સામેલ કરવામાં આવી છે તેનો આનંદ છે.

ગુજરાતનું એક પણ બાળક વાર્તા ભૂખ્યૂ ન રહે તે માટેનું આ એક અનોખું પગલું છે. એક નાના કદમથી હજારો માઈલની યાત્રા થતી હોય છે, ત્યારે રાજ્ય સરકારે સંવેદનશીલતાથી લાગણીસભર આ નિર્ણય કર્યો છે તે માટે ગુજરાતભરના બાળકો તથા શિક્ષણપ્રેમીઓ વતી હું આભારની લાગણી વ્યક્ત કરું છું.

વધુમાં ઉમેર્યુ કે, આ નિર્ણયને પગલે રાજ્યમાં બાળ કેળવણી માટેનો સોનાનો સુરજ ઉગશે. ભાવનગરના શિક્ષણ પ્રેમીઓની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ૧૫ મી નવેમ્બરે સવારે ૭-૩૦ થી ૯-૦૦ વાગ્યા દરમ્યાન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ‘બાળવાર્તા દિન’ની વિધિવત જાહેરાત કરશે.

આ પણ વાંચો : વડોદરાના સાવલી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો : ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવા મુદ્દે રાજકારણ ગરમાયું, કોંગ્રેસ-ભાજપ આમને સામને

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">