Water Crises : ભરૂચ શહેરમાં ફરી જળસંકટના ભણકારા, શહેરીજનોને આગામી દિવસોમાં માત્ર એક ટાઈમ પાણી મળશે

Water Crises in Bharuch : હાલ તો પાલિકા તંત્રએ શહેરીજનોને પાણીનો વ્યય ન કરવા અપીલ કરી છે. બીજી તરફ  તેજ ગતિએ નિગમ સાથે સંકલનમાં રહી સમારકામ દુરસ્ત કરવાની ખાતરી પણ  આપી છે. ભરૂચની તમામ ટાંકીઓ પરથી સમગ્ર વિસ્તારને દિવસમાં નિયત કરેલ એક સમયે સવા થી દોઢ કલાક પાણી આપવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ,  ચીફ ઓફિસર અને વોટર વર્ક્સના ચેરમેન દ્વારા સંયુક્ત રીતે જણાવાયું છે.

Water Crises : ભરૂચ શહેરમાં ફરી જળસંકટના ભણકારા, શહેરીજનોને આગામી દિવસોમાં માત્ર એક ટાઈમ પાણી મળશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 7:01 AM
Water Crises in Bharuch : ફરીએકવાર ભરૂચ શહેરમાં જળસંકટની સ્થિતિનું નિર્માણ થયું છે.  નર્મદા નિગમમાંથી પાણી પુરવઠા ઉપર કંપની સૂચના મળતા ભરૂચ નગર પાલિકાએ વોટર ક્રાઈસીસ મેનેજમેન્ટ પ્લાન લાગુ કરી ભરૂચ શહેરની 2 લાખની વસ્તીને 10 દિવસ 50 ટકા પાણી કાપ વેઠવા મજબુર કરવાની તૈયારીઓ હાથ ધરી છે.  સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ગત પેહલી જાન્યુઆરીએ પડેલા મસમોટા ગાબડાના કારણે જળસંકટ સર્જાયા બાદ હવે  25 માર્ચે ઝનોર નજીક ફરી ભંગાણ પડતા ભરૂચ શહેરની 2 લાખ પ્રજાને ભરઉનાળે 29 માર્ચથી ફરી 50 % પાણી કાપ શાન કરવાની ફરજ પડશે.

અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ઝનોર ગામ નજીક ભંગાણ

ભરૂચ નગરપાલિકા દ્વારા સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ભરૂચ નગરપાલિકા દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની અમલેશ્વર ખાંચ કેનાલ મારફતે પીવાના પાણી  માટે દૈનિક 45 MLD જથ્થો મેળવવામાં આવે છે. આ પાણી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ટાંકી દ્વારા શહેરીજનોને સવાર-સાંજ પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. તા. ૨૫/૦૩/૨૦૨૩ ના રોજ અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ઝનોર ગામ નજીક ભંગાણ પડેલ છે. કેનાલ રિપેરીંગની કામગીરી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.

દિવસમાં એક સમય પાણી આપવામાં આવશે

તા. ૨૯/૦૩/૨૦૧૩ થી કેનાલ રિપેરીંગ પુર્ણ થયા સુધી ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં એક સમય પાણી આપવામાં આવશે. જે અંગેનું ટાંકી અને વિસ્તારો સાથેનું સમયપત્રક  પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન શહેરીજનોને પાણી કરકસરપૂર્વક વાપરવા તેમજ પાણીનો સંગ્રહ કરવા વિનંતી પણ કરવામાં આવી છે.

માતરિયા રિઝર્વ સ્ટોરેજમાં 8 થી 9 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાથી 29 માર્ચથી પાલિકા તંત્રએ શહેરને એક જ ટાઈમ પાણી આપવાનો નિર્ણય લીધો છે. માતરિયા તળાવમાંથી ફિલ્ટરેશન કરી શહેરની 9 ટાંકીઓ ઉપર નહેરનું ગાબડું દુરસ્ત ન થાય ત્યાં સુધી એક સમય એટલે કે 50 ટકા પાણી પૂરું પાડવામાં આવશે.

ભરૂચ શહેરમાં પાણીની ટાંકી ઉપરથી આ મુજબ વિતરણ વ્યવસ્થા અમલમાં મુકાશે

bharuch water supply
હાલ તો પાલિકા તંત્રએ શહેરીજનોને પાણીનો વ્યય ન કરવા અપીલ કરી છે. બીજી તરફ  તેજ ગતિએ નિગમ સાથે સંકલનમાં રહી સમારકામ દુરસ્ત કરવાની ખાતરી પણ  આપી છે. ભરૂચની તમામ ટાંકીઓ પરથી સમગ્ર વિસ્તારને દિવસમાં નિયત કરેલ એક સમયે સવા થી દોઢ કલાક પાણી આપવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ,  ચીફ ઓફિસર અને વોટર વર્ક્સના ચેરમેન દ્વારા સંયુક્ત રીતે જણાવાયું છે.
હાલ ચૈત્રી નવરાત્રી અને રમઝાન માસ ચાલતા હોય પાલિકાએ ગાબડાંના 5 દિવસ બાદ એક ટાઈમ પાણી આપવાનો નિર્ણય લીધો છે. દરમિયાન જ્યાં પાણીની પોકારો કે બુમરાણ પડશે ત્યાં ટેન્કર દ્વારા પણ પાણી પોહચાડવાની તૈયારી  પણ પાલિકાએ રાખી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">