AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch: આગ ઝરતી ગરમીમાં રહેશે 6 કલાકનો વીજકાપ, જાણો કેમ ?

ધગધગતા બપોરમાં જ્યારે માણસનું જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે. તેની વચ્ચે ભરૂચમાં પાવર કાપની જાહેરાત કરવામાં આવી છે. 6 કલાકનો પાવર કાપ રાખવામા આવ્યો છે. 6 જેટલા ફીડર પર 6 કલાક વીજકાપને લઈ લોકો ગરમીમાં રહેવા મજબૂર બનશે.

Bharuch: આગ ઝરતી ગરમીમાં રહેશે 6 કલાકનો વીજકાપ, જાણો કેમ ?
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 9:13 PM
Share

ભરૂચ જીલ્લામાં વીજકાપ રાખવાનો નિર્ણય કરાયો છે. જેમાં 44 ડીગ્રી ગરમી વચ્ચે વીજ કંપની પણ શહેરી જનોની પરીક્ષા લેશે. ત્યારે શનિવારે 6 ફીડર પર 6 કલાક વીજ કાપની જાહેરાત કરાતા લોકો ચિંતામાં મુકાયા છે. શુક્રવારે ગરમીનો પારો 44 ડીગ્રી હતો જોક ગુરુવાર 44.4 ડીગ્રી સાથે હોટેસ્ટ દિવસ તરીકે રહ્યો હતો. મહત્વનુ છે કે રવિવારથી શહેરીજનોને ગરમીમાં આંશિક રાહત મળશે એવું પણ સામે આવ્યું હતું.

આગ ઝરતી ગરમી વચ્ચે શનિવાર શહેરીજનો માટે અગ્નિપરીક્ષા

શનિવારે ભરૂચમાં 6 કલાકનો વિજકાપ છે જેમાં ભરૂચના 6 ફીડર પર આવતા 60 થી વધુ વિસ્તારોમાં શનિવારે સવારે 7 થી બપોરના 1 કલાક સુધી વિજ પુરવઠો બંધ રહેશે. ભરૂચ જિલ્લામાં આભમાંથી વરસતી આગ ઝરતી ગરમી વચ્ચે શનિવાર શહેરીજનો માટે અગ્નિપરીક્ષા રૂપ સાબિત થાય તો નવાઈ નહિ. કારણ કે હાલમાં જ્યારે પાવર હોય ત્યારે પણ પંખા નીચે લોકો રહી શકતા નથી તો પાવર કાપમાં કઇ રીતે લોકો સમય પસાર કરશે તેની ચિંતામાં લોકો મુકાયા છે.

ગુરૂવાર 44.4 ડીગ્રી સાથે ભરૂચ જિલ્લાનો સૌથી બળબળતો દિવસ ઉનાળાની આ સીઝનમાં પુરવાર થયો હતો. મહત્વનુ છે કે શુક્રવારે પણ ભરૂચનું મહત્તમ તાપમાન 44 ડીગ્રી રહ્યું હતું. આગ ઓકતી ગરમી વચ્ચે ભરૂચ શહેરમાં શનિવારે વીજ કંપની દ્વારા સવારે 7 થી બપોરે 1 કલાક સુધી શહેરના 6 ફીડર ઉપર પ્રિ મોન્સૂન કામગીરીને લઈ સમારકામ હાથ ધરવામાં આવનાર છે.

શનિવારે અંગ દઝાડતી ગરમીમાં 6 કલાક સુધી 6 ફીડર સોનેરી મહેલ, નવચોકી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, ફલશ્રુતિ ટાવર અને એસ.ટી. બસ ડેપો પર આવેલા 60 થી વધુ વિસ્તારોના રહેણાંક, ઓફીસ, ફ્લેટ, કોમર્શિયલ વપરાશકર્તાઓને વીજળી નહિ મળે. આ ગરમીમાં ભરુચ વાસીઓ હવે આ પાવર કાપની જાહેરાત સાંભળીને ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો : FSLના રિપોર્ટ બાદ જવાબદારો વિરુદ્ધ કરાશે કાર્યવાહી, ACP એ કહી આ વાત, જુઓ Video

જોકે રવિવારથી ભરૂચ જિલ્લાવાસીઓને ગરમીમાં આંશિક રાહત મળી રહેશે તેવી વાત પણ સામે આવી છે. ભરૂચ મકતમપુર કૃષિ યુનિવર્સીટીને આગામી 5 દિવસના મળેલા હવામાનની આગાહી મુજબ રવિવારથી જિલ્લાનું મહત્તમ તાપમાન 40 થી 42 ડીગ્રી જેટલું રહેશે. જોકે આ સ્થિતિમાં એચએએલ કરતાં ઓછી ગરમી રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
g clip-path="url(#clip0_868_265)">