AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડિમોલિશનના નામે 368 પરિવારોને રસ્તે રઝળતા કરી દેવાયાનાં આક્ષેપ સાથે અસરગ્રસ્તો ગરીબીની નનામી લઈ કલેકટર કચેરીએ પહોંચ્યા

ડીમોલેશન વખતે બતાવવામાં આવેલાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ચોખ્ખું ટાકવામાં આવ્યુ છે કે સરકાર અને કલેકટરે અસરગ્રસ્ત થયેલાં લોકોની દરકાર રાખવી જ પડશે પણ અહી કોઈ સહાય કે વૈકલ્પિક વ્યવસ્થા સહિતના પગલાં ભરાયા નથી તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

ડિમોલિશનના નામે 368 પરિવારોને રસ્તે રઝળતા કરી દેવાયાનાં આક્ષેપ સાથે અસરગ્રસ્તો ગરીબીની નનામી લઈ કલેકટર કચેરીએ પહોંચ્યા
અસરગ્રસ્તોએ ગરીબીની નનામી કાઢી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 4:48 PM
Share

ભરૂચ(Bharuch) જિલ્લામાં નેત્રંગ ખાતે તાજેતરમાં પાચ જ કલાક ની અંદર 368 જેટલા પરિવારોની મિલ્કતો ઉપર તંત્રએ બુલડોઝર(Demolition in Netrang)ફેરવી દીધું હતું. કાળઝાળ ગરમીમાં પરિવારોને નિરાધાર બનાવી અચાનક રસ્તા ઉપર લાવી દેવતા રોષ ફેલાયો હતો. આદિવાસી પટ્ટી(Tribal Belt) ઉપરના ગામમાં થયેલી આકરી કાર્યવાહીના ઘેર પ્રત્યાઘાત પડયા હતા. ડીમોલેશન બાદ નિરાધાર થયેલાં લોકોએ રાજકીય અગ્રણીઓ અને સરકાર તરફ રહેમની ગુહાર લગાવી હતી. નેતાઓ મુલાકાતે તો દોડી ગયા પણ સ્થાનિકોને અપેક્ષા હતી તેવી કોઈ સરકારી જાહેરાત કે અન્ય મદદ મળી નહિ. આખરે સ્થાનિકોએ આજે આંદોલનનું શસ્ત્ર જાતે ઉઠાવ્યું હતું.

ડીમોલેશન વખતે બતાવવામાં આવેલાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ચોખ્ખું ટાકવામાં આવ્યુ છે કે સરકાર અને કલેકટરે અસરગ્રસ્ત થયેલાં લોકોની દરકાર રાખવી જ પડશે પણ અહી કોઈ સહાય કે વૈકલ્પિક વ્યવસ્થા સહિતના પગલાં ભરાયા નથી તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આજે અસરગ્રસ્તો મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ધસી ગયા હતા. રોષ સાથે પહોંચેલા અસરગ્રસ્તોએ કલેકટર કચેરીની બહારથી ગરીબીની નનામી કાઢી કલેકટર કેચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા.

ગરીબીની નનામી કાઢી સ્થાનિકોએ ડિમોલિશનની કામગીરીથી અસરગ્રસ્તોને પડેલી હાલાકી તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. એક તરફ ક્રૂડના આસમાને આંબતા ભાવ વચ્ચે મોંઘવારીએ માઝા મૂકી છે તો બીજી તરફ દબાણ દૂર કરવાની કાર્યવાહીના નામે અનેક પરિવારોને રોડ ઉપર લાવી દેવતા રોષ ભભૂકી ઉઠ્યો છે. ડિમોલિશન બાદ ગામમાં સ્થાનિકોની પડખે ભાજપ અને બીટીપીના નેતાઓ પહોંચ્યા હતા. નેતાઓએ રજુઆત દ્વારા સમસ્યા ઉપર સુધી પહોંચાડવા હૈયાધારણા આપી હતી પણ નેતાઓના વચન માત્ર વાતો પૂરતા માર્યાદિત દેખાયા છે.

૭ દાયકા જુના મારા ઘરને જમીનદોસ્ત કરી નખાયું : આશિષ પટેલ

૭ દાયકા જૂની મારુ મકાન હતું. મારા બાપ -દાદા નું મકાન હતું. ૩૦ માર્ચે લાઠીના જોરે સમાન સાથે બુલડોઝર ફેરવી દીધું છે. અમે વેરા અને બિલ ભરીએ છે છતાં અમને ઘરવિહોણા કરી નખાયા છે. ૮૦૦ થી વધુ ઘરવિહોણા બની ગયા છે.

ગરીબોની અજુઆત કોઈએ ન સાંભળી અને બુઝડોઝર ફેરવી દેલાયું :રાબિયાંબીબી મુલતાની

અમે ગરીબ છે એટલે અમારા ઉપર અત્યાચાર કરાયા છે. અમારા પાસે ગુજરાન ચલાવવા પૈસા નથી અને હવે કઈ રીતે ફરી બેઠા થઈશું. અમારી ઘરવખરી સાથે બુલડોઝર ફેરવી દેવાયા છે.

આ પણ વાંચો : મિલિટ્રી સિસ્ટમ અને હથિયારોની આયાત ઉપર બ્રેક લગાવતા ડિફેન્સ સેક્ટરના સ્ટોક ઉછળ્યા, જાણો વિગતવાર

આ પણ વાંચો : શ્રીલંકા બાદ પાકિસ્તાનમાં અર્થતંત્રના પાયા ડામાડોળ: ડોલર સામે પાક. રૂપિયો 189ની વિક્રમી સપાટીએ પહોંચ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">