Ganesh Visarjan 2022 : 10 દિવસનું આતિથ્ય માણનાર દુંદાળા દેવને ભક્તોએ વિદાય આપી, કૃત્રિમ કુંડમાં કરાશે પ્રતિમાઓનું વિસર્જન

અંકલેશ્વર નગર પાલિકા ખાતે શુક્રવારના રોજ ગણેશ વિસર્જન નિમિતે તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી.

Ganesh Visarjan 2022 : 10 દિવસનું આતિથ્ય માણનાર દુંદાળા દેવને ભક્તોએ વિદાય આપી, કૃત્રિમ કુંડમાં કરાશે પ્રતિમાઓનું વિસર્જન
Ganesh Visarjan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 9:43 AM

Ganesh Visarjan 2022 : સમગ્ર ભારતમાં અનંત ચતુર્દશી ઉજવણી કરવામાં આવી છે. હિંદુ કેલેન્ડર અનુસાર અનંત ચતુર્દશી ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. અનંત ચતુર્દશીને અનંત ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણેશ(Ganesh) વિસર્જન અનંત ચૌદસના દિવસે કરવામાં આવે છે. એટલે કે દસ દિવસ સુધી ચાલતો ગણેશોત્સવ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થાય છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત સહીત ભરૂચ , નવસારી , તાપી , ડાંગ અને વલસાડ જિલ્લામાં ગણેશ પ્રતિઓમાંનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ૧૦ દિવસનું આતિથ્ય માનનાર દુંદાળા દેવને ભક્તોએ આવતા વર્ષે જલ્દી પધારવાની પ્રાર્થના સાથે વિદાય આપી હતી.

ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશજીને ભવ્યરીતે શણગારવામાં આવે છે અને ૧૦ દિવસ તેમની પૂજા કરવામાં આવે છે. છેલ્લા દિવસે ઢોલ-નગારાં સાથે ગણેશજીની વિસર્જન યાત્રા નીકળે છે અને પ્રતિમાઓને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. હિન્દુ પૂજા પ્રણાલીનો નિયમ છે કે તમામ દેવી-દેવતાઓમાં પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવે છે. પૂજા સિવાય તમામ શુભ કાર્યો પહેલા લંબોદરનું સ્મરણ કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. ગણપતિ મહારાજ ભગવાન શિવ, દેવતાઓના દેવ અને માતા ગૌરી પાર્વતીના પુત્ર છે.

ભરૂચમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

શુક્રવારે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર પોલીસ વડાની આગેવાનીમાં કટિબદ્ધ બન્યું છે. આંનદ, ઉલ્લાસની છોળો વચ્ચે આસ્થા તેમજ શ્રદ્ધાભેર ભરૂચમાં શ્રીજીનું વિસર્જન સંપન્ન થાય તે માટે ભરૂચમાં 1398 પોલીસકર્મીઓનો કાફલો ખડકી દેવાયો છે. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે માહિતી આપી હતી કે વિસર્જનમાં 2 એસ.આર.પી. કંપની, ડ્રોન, બોડી વૉન કેમેરા, 30 સ્થળોએ વિડીયો ગ્રાફી સાથે બંદોબસ્ત કાયદો-વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે.ભરૂચમાં 4 નાયબ અને અધિક પોલીસ અધિક્ષક, 27 પી.આઈ., 38 પોસઇ, 978 પોલીસ જવાનો, 1128 હોમગાર્ડ, 750 જીઆરડી અને બે એસ.આર.પી. કંપનીનો બંદોબસ્ત ફાળવાયો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

નદી કિનારે પોલીસ બંદોબસ્ત રહેશે

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને એન.જી.ટી. ના આદેશનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. ભરૂચ અને અંકલેશ્વરમાં નર્મદા નદી કિનારે વિસર્જન ન કરાય તે માટે પણ પોલીસ તહેનાત રહેશે. વિવિધ મંડળોની વિસર્જન યાત્રા સુપેરે પાર પડે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કટિબદ્ધ બની છે.

અંકલેશ્વર નગર પાલિકા ખાતે શુક્રવારના રોજ ગણેશ વિસર્જન નિમિતે તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી. નક્કી કરાયેલ ચાર સ્થળે કરેલ વિસર્જનની વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી હતી. ગણેશ વિસર્જન નિમિતે પોલીસ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ સહીત એસઆરપી સહીત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

ગણેશ મંડળો સાથે વિસર્જનની બેઠક યોજાઈ

અંકલેશ્વરમાંશુક્રવારના રોજ ગણેશ વિસર્જન નિમિતે ઇન્ચાર્જ મામલતદાર હાર્દિક બેલડીયા,ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને પાલિકાના પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતા હેઠળ પાલિકાના સભાખંડ ખાતે ગણેશ વિસર્જન માટે ગણેશ આયોજક મંડળો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાનમાં અંકલેશ્વરમાં કમલમ તળાવ પાસે કુત્રિમ તળાવ, જળકુંડ, સુરવાડી ગામ નજીકના કૃત્રિમ તળાવ અને જીઆઇડીસી વિસ્તારમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા અંગેની વ્યવસ્થાની માહિતી આપવામાં આવી હતી.

બીલીમોરામાં લેઝીમ રમતા બાપ્પાની શોભાયાત્રા કાઢવામાં આવે છે

10 દિવસ ચાલતા આ આસ્થાના પર્વ સમા આ ગણેશોત્સવ બાદ અનંત ચૌદશના દિને બાપ્પાની શણગારેલા રથમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે અને વાજતે ગાજતે લેઝીમ ગાતા નાચતાં ઝૂમતા શાંતિપૂર્ણ માહોલમાં બાપ્પાની અશ્રુભીની વિસર્જન વિદાય કરવામાં આવે છે. બાપ્પાની વિસર્જન યાત્રામાં કોઈ પણ પ્રકારના શોરબકોર કે ડીજે વગાડવામાં આવતું નથી. માત્ર પરંપરાગત લેઝીમ ઢોલ સાથે લેઝીમ રમતા બાપ્પાની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડે છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">