Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHARUCH : ભરૂચ પોલીસની આ કામગીરી માટે તમે પણ કહી ઉઠશો.. સલામ બોસ

ભરૂચ પોલીસે(Bharuch Police) આજે ૧૨ કલાકની અંદર બે એવા કામ કાર્ય કે લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે.

BHARUCH : ભરૂચ પોલીસની આ કામગીરી માટે તમે પણ કહી ઉઠશો.. સલામ બોસ
Police Rescue 45 People Near Dahej
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 8:44 PM

મોટેભાગે પોલીસ ટીકા કે ટિપ્પણીનો સામનો કરતી હોય છે પણ ભરૂચ પોલીસે(Bharuch Police) આજે ૧૨ કલાકની અંદર બે એવા કામ કાર્ય કે લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ(Heart Transplant)માટે સુરતથી અમદાવાદ જતી એમ્બ્યુલન્સને પોલીસે 5 કિમીના ચક્કાજામ(Traffic Jam) છતાં વિસ્તાર માંથી ગણતરીની પળોમાં પસાર કરી તો દહેજ(Dahej) નજીક બોટ ખુંપી જવાના કારણે મધદરિયે ૪૫ લોકોના જીવ પડીકે બંધાતા મરીન પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને સલામત જેટી ઉપર ખસેડયા હતા.

સમુદ્રમાં ફ્સાયેલા 45 પરિક્રમાવાસીઓને બચાવી લેવાયા  સાંજના સુમારે દહેજ મેરિન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર વિપુલ ગાગીયાને દહેજ નજીક લુવારા ગામ પાસે સમુદ્રમાં ૪૫ નર્મદા પરિક્રમાવાસીઓ ફસાયા હોવાની માહિતી મળતા મરીન પોલીસ લુવારા જેટી ઉપર પહોંચી હતી. તપાસ કરતા જાગેશ્વરથી નર્મદા પરિક્રમા પૂર્ણ કરવા ૪૫ પરિક્રમાવાસીઓ બોટમાં લુવારા તરફ રવાના થયા હતા. ભરતી ઉતરવાના કારણે સમુદ્રમાં વચ્ચે બેટ ઉપસી આવ્યો હતો જે બેટમાં બોટ ખુંપી ગઈ હતી. આ બોટમાંથી ભાર ઉતરી બોટ બહાર કાઢવી શક્ય ન હતી તો પાણીની થાપતોના કારણે બોટ પલ્ટી જવાનો ભય હતો. ૪૫ લોકોના જીવ જોખમમાં જણાતા મરીન પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ પરિક્રમાવાસીઓને સલામત મધ દરિયે બીજી બોટમાં ખસેડી જેટી સુધી પહોંચાડયા હતા. પોલીસ અધિકારી વિપુલ ગાગીયાએ જણાવ્યું હતું કે સમુદ્રમાં ભરતી ઉતરવાના કારણે બોટ ચાલકને અંદાજ ન રહેતા બોટ ખુંપી હતી. ભયભીત બોટ સવારોને સલામત કિનારે ખસેડવામાં આવ્યા છે.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

દર્દીનો જીવ બચાવવા સેંકડો વાહનો વચ્ચેથી એમ્બ્યુલન્સ ગણતરીની પળમાં પસાર કરી  અન્ય એક પ્રસંશીય કામગીરીની વાત કરીએતો જીવ બચાવવાની વધુ એક પ્રસંશીય કામગીરી નબીપુર પોલીસે કરી હતી. નેશનલ હાઇવે ૪૮ ઉપર બ્રીજનું કામ ચાલતું હોવાથી ૪ દિવસથી ચક્કાજામની સ્થિતિ છે. આ સ્થિતિમાં સુરતથી અમદાવાદ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની કામગીરી માટે એમ્બ્યુલન્સ માનવ અંગ સાથે રવાના થી હતી. એક એક મિનિટ કિંમતી હતી તે સંજોગોમાં ૫ કિમીના ટ્રાફિક જામમાં ૨ થી ૩ કલાકનો સમય બગડે તો અંગ ડેન કરનારનું અંગ અને બીમાર વ્યક્તિનું સ્વાસ્થ્ય બન્ને બગડવાનો ભય હતો. નબીપુર પોલીસે પાઈલોટિંગ સાથે રોગ સાઈટ ઉપર પુરપાટ ઝડપે કાફલો દોડાવી ૫ મિનિટ કરતા ઓછા સમયમાં વિસ્તારમાંથી એમ્યુલન્સ પસાર કરાવી હતી. નબીપૂરના સબ ઇન્સ્પેકટર જે એમ જાડેજાએ જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સ આગળ પાયલોટિંગ વેન દોડાવાઈ હતી. જોખમી છતાં અંત્યંત જરૂરી હોવાથી પોલીસે આ કામગીરી સાથે બીમારીનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો.

ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ  ચુડાસમાએ જણાવ્યું હતું કે બન્ને મામલાઓમાં કોઈનો જીવ બચાવવો એ પોલીસની પ્રાથમિકતા હતી માટે પોલીસે શક્ય એ હદે મદદરૂપ બનવાનો પ્રયાસ કર્યો હતો. બંને મામલાઓમાં પોલીસને સફળતા પણ મળી છે તે ગર્વની બાબત ગણી શકાય તેમ છે.

આ પણ વાંચો :  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આણંદની મુલાકાતે, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પ્રી વાઇબ્રન્ટ સમીટમાં રહેશે ઉપસ્થિત

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">