Bharuch : વેલસ્પન કંપનીના કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્યું, 70 ગામના સરપંચોએ સમર્થન આપ્યું

વેલસ્પન કંપનીએ એક સાથે 400 જેટલા કર્મચારીઓની બદલી કરી નાખતાં આ કર્મચારીઓએ મેનેજમેન્ટ સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ભરૂચમાં કંપનીના પરિસરની બહાર આ કર્મચારીઓ એકઠા થયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2021 | 4:52 PM

ભરૂચમાં વેલસ્પન કંપનીના કર્મચારીઓએ તેમનું આંદોલન ઉગ્ર બનાવી દીધું છે. કંપનીએ એક સાથે 400 જેટલા કર્મચારીઓની બદલી કરી નાખતાં આ કર્મચારીઓએ મેનેજમેન્ટ સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. તેમના આ આંદોલનને 70 ગામના સરપંચોએ પણ સમર્થન આપ્યું છે.

આ પૂર્વે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ પણ વેલસ્પનના  કર્મચારીઓને ટેકો આપવાનું જાહેર કરી ચૂક્યા છે. ભરૂચમાં કંપનીના પરિસરની બહાર આ કર્મચારીઓ એકઠા થયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે.

ભરૂચમાં દહેજની વેલસ્પન કંપનીમાં 400 કર્મચારીઓનો બદલીનો મુદ્દો ધીરે ધીરે આક્રમક બની રહ્યો છે. જેમાં સામૂહિક બદલી બાદ
સતત કર્મચારીઓના પરિવારનું વિરોધ પ્રદર્શન ચાલુ જ છે. છેલ્લા 12 દિવસથી લોકો કંપની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. તેમજ કંપની બદલીના નામે કર્મચારીઓને છૂટા કરવા માગતી હોવાનો આક્ષેપ તેમના પરિવારજનો કરી રહ્યાં છે.

કંપનીએ સામુહિક બદલી કરી કામદારોની પરોક્ષરીતે છટણી કરી નાખી હોવાના કર્મચારીઓ દ્વારા આક્ષેપ થઇ રહ્યા છે. બદલીના આદેશો બાદ કર્મચારીઓ નોકરી બચાવવા અનેક દિવસોથી વલખા મારી રહ્યા છે પરંતુ તેમની વાત સાંભળવા કંપનીમાં મેનેજમેન્ટનું કોઈ વ્યક્તિ કે અધિકારી હાજર રહેતું નથી.

કર્મચારીના પત્ની લક્ષ્મી ગોહિલએ કહ્યું હતું કે કોરોનાકાળમાં ૧૦૦ ટકા હાજરી સાથે કંપનીએ કામ લીધું હતું હવે બંધ કરવા માંગે છે . તેમના પતિ વર્ષોથી કંપનીમાં કામ કરે છે. કર્મચારીઓનો એટલો પગાર નથી કે બીજે સ્થાયી થઇ શકે. સ્થાનિક કંપની શરૂ કરવી જોઈએ.

આ પણ વાંચો : Rajkot : જિલ્લાના 92 ગામોમાં 100 ટકા વૅક્સીનેશન, જેતપુરના સર્વાધિક 22 ગામોમાં રસીકરણ પૂરૂ

આ  પણ વાંચો : Junagadh : ગિરનાર રોપ-વે સેવા બંધ, ભારે પવનને કારણે રોપ-વે સેવા બંધ

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">