Bharuch: નાર્કોટીક્સના મુદ્દામાલનો BEIL ખાતે કરાયો નાશ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુલી જોડાયા

અંકલેશ્વર સ્થિત કેમિકલ વેસ્ટ ડિપોઝલ સાઈટ BEIL ખાતે નારકોટિક્સના મુદ્દામાલનો નાશ કરાયો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ કાર્યક્રમમાં વર્ચ્યુલી જોડાયા હતા.

Bharuch: નાર્કોટીક્સના મુદ્દામાલનો BEIL ખાતે કરાયો નાશ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુલી જોડાયા
નાર્કોટીક્સના મુદ્દામાલનો BEIL ખાતે કરાયો નાશ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 26, 2022 | 7:01 PM

Bharuch: અંકલેશ્વર સ્થિત કેમિકલ વેસ્ટ ડિપોઝલ સાઈટ BEIL ખાતે નારકોટિક્સના મુદ્દામાલનો નાશ કરાયો હતો. BEIL ખાતે દેશનું સૌથી મોટું ઇનસીનરેટર આવેલું છે. ગુજરાત ATS, CID ક્રાઇમ અને ગુજરાત પોલીસે ઝડપી પાડેલા નશીલા પદાર્થનો નિકાલ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) પણ કાર્યક્રમમાં વર્ચ્યુલી જોડાયા હતા. IGP સુભાષ ત્રિવેદી અને ભરૂચ SP ડો. લીના પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 8 IPS અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસે ઝડપી પાડેલા નશીલા પદાર્થોનો ઇનસીનરેટરમાં સળગાવી નિકાલ કરવામાં આવ્યો હતો.

અગાઉ 30,000 કિલો ડ્રગ્સનો નાશ કરાયો હતો

આ પહેલા 30 જુલાઇ 2022ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચંદીગઢમાં નશીલી દવાઓની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન NCBએ અમિત શાહની દેખરેખ હેઠળ જપ્ત કરાયેલ 30,000 કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કર્યો હતો. આ કોન્ફરન્સમાં શાહે કહ્યું, ‘ડ્રગની દાણચોરી, ડ્રગ્સનો ફેલાવો કોઈપણ સમાજ માટે ખૂબ જ ઘાતક છે. જો કોઈ આતંકવાદી ઘટના બને છે, તો તેનું નુકસાન મર્યાદિત છે, ડ્રગની દાણચોરી પેઢીઓને બરબાદ કરી દે છે. તે આપણા સમાજ અને દેશની જડો માટે ઉધઈની જેમ કામ કરે છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

તે સમયે અમિત શાહે કહ્યું હતુ કે, ‘ડ્રગના ધંધામાં જે પૈસા આવે છે. તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે. 2014 થી ભારત સરકારે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. માદક પદાર્થ માનવીની સાથે સાથે સમાજ, અર્થતંત્ર અને દેશની સુરક્ષા પર પણ ખરાબ અસર કરે છે. શાહે કહ્યું, નશીલા પદાર્થોની દાણચોરી સમાજ માટે ખતરો છે. કોઈપણ સમૃદ્ધ રાષ્ટ્રને નશીલા પદાર્થોની દાણચોરી પ્રત્યે ઝીરો ટોલરન્સ રાખવી જોઈએ. આપણે નશીલા પદાર્થોની દાણચોરી પર લગામ લગાવીને આજની યુવા પેઢીને બચાવવાની છે.

Latest News Updates

કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
g clip-path="url(#clip0_868_265)">