Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharuch : અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, નર્મદા બે કાંઠે વહેતી થઇ, રાજપરામાં ચેકડેમ ઓવરફ્લો થયો

ભરૂચના ચાર રસ્તા ગાંધીબજાર વિસ્તારમાં વરસાદી પાણીએ જાણે ફ્લેશ ફ્લડ જેવો આભાસ કરાવ્યો હતો. ગણતરીના સમયમાં બે ઇંચ વરસાદ ખાબકતા ધસમસતા પાણીએ સ્થાનિકોમાં ભય ફેલાવ્યો હતો

Bharuch : અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, નર્મદા બે કાંઠે વહેતી થઇ, રાજપરામાં ચેકડેમ ઓવરફ્લો થયો
The water level of rivers increased
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 7:43 PM

નર્મદા(Narmada) જિલ્લામાં ભારે વરસાદના પગલે કરજણ જળાશયમાંથી છોડાતા 50 હજાર ક્યુસેક પાણીના કારણે ગરૂડેશ્વર વિયર ઓવરફ્લો થવા સાથે ડાઉન સ્ટ્રિમમાં નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે.ભરૂચ(Bharuch) નજીક રેવાજી બે કાંઠે વહેતા થયા છે. સીઝનમાં પહેલીવાર નર્મદાનું આ નયનર૫મય સ્વરૂપ જોવા મળ્યું છે તો સાથે હાલમાં નર્મદા ભયજનક સપાટીને સ્પર્શે તેવી કોઈ ચેતવણી ન હોવાથી તંત્ર માટે પણ રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે. સવારે 7 કલાકે ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 10.49 ફૂટ હતી. જે બપોરે 2 કલાકે 4.99 ફૂટ વધીને 15.48 ફૂટ થઇ હતી. પૂનમની ભરતીને લઈ ને પણ ગોલ્ડનબ્રિજ ખાતે સપાટી વધવા સાથે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો અને 17 ફુટ સુધી સપાટી સ્પર્શી હતી. નર્મદાનું વોર્નિંગ લેવલ 22 ફુટ છે.

ઘરમાં સફેદ કબૂતરનું આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
Plant in pot : ઉનાળામાં જેડ પ્લાન પાન ખરી જાય છે ? આ ખાતરનો ઉપયોગ કરો લીલોછમ રહેશે છોડ
કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો

ભરૂચ શહેરમાં માત્ર અડધા કલાકમાં 2 ઇંચ વરસેલા વરસાદે જળબંબાકારની સ્થિતિનું સર્જન કરી નાખ્યું હતું. ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદને લઈ હાલ રેડ એલર્ટ અપાયું છે. આજે સોમવારે બપોરથી સતત વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. બે ઇંચ વરસાદ વરસતા શહેરમાં પાણીના ભરાવાની સમસ્યાઓ ઉભી થઇ હતી. શહેરના સેવાશ્રમ રોડ અને પાંચબત્તી વિસ્તારમાં પાણી દુકાનોમાં ઘુસી જતા દુકાનદારો સમાન બચાવવા દોડધામ કરવા લાગ્યા હતા. પાણી વચ્ચે અચાનક ભુવો પડતા પોલીસ જવાન ખાબક્યો હતો. શક્તિનાથ અને કલેકટર કચેરી માર્ગે આવેલું ગરનાળુ પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું. હાલ શહેરમાં ભૂગર્ભ ગટર માટે કરેલા ખોદકામથી શહેરની સ્થિતિ બદ થી બદતર બની ગઈ હતી.

વાલીયા તાલુકાના રાજપરા ગામે ચેકડેમ ઓવરફ્લો થયો છે. ડેડીયાપાડા, નેત્રંગ ,વાલીયા તાલુકામાં ભારે વરસાદના પગલે ચેક ડેમો ઓવર ફ્લો થયા છે. ખેડૂતોએ પણ ચેકડેમ ઓવરફ્લો થતાં નવાનીર ના વધામણાં કર્યા હતા.

સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી વરસેલ વરસાદના આંકડા આ મુજબ હતા

  • ભરૂચ 2 ઇંચ
  • અંકલેશ્વર 1 ઇંચ
  • આમોદ 7મી.મી.
  • વાગરા 12 મી.મી.
  • હાંસોટ 16મી.મી.
  • જંબુસર 7 મી.મી.
  • વાલિયા 2 ઇંચ
  • ઝઘડિયા 1.5 ઇંચ
  • નેત્રંગ 2.5 ઇંચ

ભરૂચના ચાર રસ્તા ગાંધીબજાર વિસ્તારમાં વરસાદી પાણીએ જાણે ફ્લેશ ફ્લડ જેવો આભાસ કરાવ્યો હતો. ગણતરીના સમયમાં બે ઇંચ વરસાદ ખાબકતા ધસમસતા પાણીએ સ્થાનિકોમાં ભય ફેલાવ્યો હતો જોકે વરસાદ વિરામ લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. ઉલ્લેખનીય છે કે 2 દિવસ ભારે વરસાદની આગાહીના પગલે લોકોને સતર્ક રહેવા તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ બિનજરૂરી પ્રવાસ ટાળવા અનુરોધ કર્યો છે.

આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળે મોટા લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ અને ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી
મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ
મેટ્રો સ્ટેશન પર એક યુવક મર્યાદા ભૂલ્યો, હરકત જોતાં જ પબ્લિક ઉશ્કેરાઈ
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ફરી એકવાર આગનો આતંક, 5000 રહીશોના જીવ જોખમમાં મુકાયા
અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે
અમદાવાદમાં ગટરના પાણી ભરાવા મુદ્દે સ્થાનિકોએ અર્બન સેન્ટર લીધુ માથે
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ?
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
g clip-path="url(#clip0_868_265)">