AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંકલેશ્વર રૂરલ પોલીસે બળાત્કારી પિતાની ધરપકડ કરી, પિતાના પિશાચી કૃત્ય સામે માતાએ ફરિયાદ નોંધાવી હતી

અંકલેશ્વર રૂરલ પોલીસે પોક્સો અને બળાત્કાર સહિતની કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેના રિપોર્ટ બાદ તેની જરૂરી તબીબી તપાસ સાથે પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અંકલેશ્વર રૂરલ પોલીસે બળાત્કારી પિતાની ધરપકડ કરી, પિતાના પિશાચી કૃત્ય સામે માતાએ ફરિયાદ નોંધાવી હતી
પુત્રીને હવસનો શિકાર બનાવનાર પિતાની ધરપકડ કરાઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 7:35 AM
Share

અંકલેશ્વર(Ankleshwar)માં પિતા – પુત્રીના સંબંધોને લજવનાર પિતાની અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી છે. પિશાચી પિતાએ પોતાની સગી દીકરીને હવસનો શિકાર બનાવી તેને માર મારી ભયમાં રાખતો હતો. બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો દાખલ કરી બળાત્કારી પિતાની ધરપકડ કરી છે. આરોપીને અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડી તબીબી તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીએ છેલ્લા ત્રણ મહિનામાં અનેકવાર પોતાની ૧૨ વર્ષીય પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવી હતી અને બાળકી તેના કુકર્મોની જાણ અન્ય કોઈને ન કરે તે માટે માર મારી ભયમાં રાખતો હતો.

સૂત્રો અનુસાર તાજેતરમાં બાળકી શારીરિક પીડા શારીરિક પીડાઓનો સામનો કરી હોવાની અને સાથે તે અત્યંત ભયભીત પણ જણાતા માતા બાળકીને પૂછતાં પિતા દ્વારા બળાત્કાર ગુજારાતો હોવાનું બાળકીએ જણાવ્યું હતું. હકીકત સાંભળી ચોકી ઉઠેલી માતા બાળકીને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. ઘટનાની ગંભીરતા પારખી પોલીસે માતાની ફરિયાદના આધારે પિતા વિરુદ્ધ પુત્રી ઉપર બળાત્કાર ગુજારવાની અને માર મારવાની ફરિયાદ દાખલ કરી હતી. બાળકીની તબીબી તપાસ સાથે સારવાર શરુ કરાવી અંકલેશ્વર પોલીસે કાયદાકીય કાર્યવાહી સાથે સારવારનું માનવતાનું પગલું પણ ભર્યું હતું.

ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસે તપાસ શરૂ કરી હતી. ફરિયાદ બાદ બાળકીની સારવાર અને મેડિકલ ટેસ્ટ ઉપરાંત તેની સારવાર કરાવાઈ હતી. બીજી તરફ સગી દીકરી સાથે દુષ્કર્મ આચરનાર પિતાની પણ ધરપકડ માટે પ્રયાસો હાથ ધરાયા હતા. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વિક્રમ રબારીએ જે વિસ્તારમાં બાળકી રહેતી હતી તેની આસપાસના વિસ્તારમાં આરોપીની શોધખોળ શરૂ કરાવી હતી. જે દરમ્યાન આખરે બળાત્કારી પિતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

અંકલેશ્વર રૂરલ પોલીસે પોક્સો અને બળાત્કાર સહિતની કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેના રિપોર્ટ બાદ તેની જરૂરી તબીબી તપાસ સાથે પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : અંકલેશ્વરમાં પિતા – પુત્રીનો પવિત્ર સંબંધ લજવાયો, પિતાના પિશાચી કૃત્ય સામે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

આ પણ વાંચો : ભરૂચ : કાંકરિયા ગામમાં ધર્માંતરણ કેસમાં 4 આરોપીની ધરપકડ, અગાઉ ઝડપાયેલા 8 આરોપીની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">