અંકલેશ્વરમાંથી એકજ પરિવારના 4 બાળકો લાપતા બન્યા બાદ સુરતથી મળી આવ્યા, જાણો 4 ભાઈ બહેનોનો લાપતા બનવાથી સલામત મળી આવવાની કહાની

ચોક્કસ માહિતી સાંપડતા આજે અંકલેશ્વર પોલીસે સુરતને ધમરોળી નાખ્યું હતું જ્યાં ચારેય બાળકો એક ઝાડ નીચે બેઠેલા નજરે પડતા પોલીસે રાહતનો દમ લીધો હતો. બાળકો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા? તેમને કોઈ લઈ ગયું હતું કે કેમ? આ સહિતના પ્રશ્નોના જવાબ માટે બાળકોના અંકલેશ્વર પહોંચવાનો ઇંતેજાર કરવામાં આવી રહ્યો છે.

અંકલેશ્વરમાંથી એકજ પરિવારના 4 બાળકો લાપતા બન્યા બાદ સુરતથી મળી આવ્યા, જાણો 4 ભાઈ બહેનોનો લાપતા બનવાથી સલામત મળી આવવાની કહાની
લાપતા 4 બાળકો સોનગઢથી મળી આવ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 9:06 PM

અંકલેશ્વર(Ankleshwar)માં વાલિયા ચોકડી બ્રિજ નજીક રહેતા ગરીબ પરિવારના ચાર બાળકો અચાનક લાપતા  ફરિયાદ સાથે માતા -પિતા પોલીસ પાસે પહોંચતા ભરૂચ જિલ્લા પોલીસતંત્ર(Bharuch Police) દોડતું થઇ ગયું હતું. 18 એપ્રિલે એકસાથે એકજ પરિવારના ૪ બાળકો લાપતા બન્યા હતા. મામલો ઘટનાના સપ્તાહ બાદ પોલીસ પાસે પહોંચતા પોલીસતંત્ર  માટે ચિંતાજનક સાથે પડકારજનક સ્થિતિનું નિર્માણ થયું હતું. આખરે ફરિયાદના ૨૪ કલાકમાં અંકલેશ્વર શહેર પોલીસે ચારેય બાળકોને સુરતથી શોધી કાઢ્યા છે. આ બાળકો સોનગઢ થઇ સુરત સુધી કઈ રીતે પહોંચ્યા? તે સહિતના પ્રશ્નોના જવાબ માટે બાળકોના અંકલેશ્વર આવવાનો ઇંતેજાર કરવામાં આવી રહ્યો છે.૭ થી ૧૦ વર્ષની વયના જ્યા, રેખા , ભગો અને રાકેશ નામના બાળકો ગત ૧૮ તારીખે વાલિયા ચોકડી અંકલેશ્વર નજીક આવેલા તેમના પડાવમાંથી રહસ્યમય સંજોગોમાં લાપતા બન્યા હતા.

પરિવારે સપ્તાહ સુધી પોતાના સંપર્ક અને આસપાસના વિસ્તારોમાં બાળકોની ભાળ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. ૭ દિવસ સુધી બાળકોનો કોઈ પત્તો ન મળતા આખરે પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. પોલીસ અધિકારીઓને એક બે નહિ પરંતુ પરિવારના ચાર – ચાર બાળકોના ગમ થવાથી જાણ કરતા અધિકારીઓ પણ ચોકી ઉઠ્યાં હતા. મામલાની જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ વડા સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવતા મામલાને પ્રાથમિકતા સાથે ગંભીરતાથી લેવા સૂચના મળી હતી.

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી એન રબારીએ મામલાની તપાસ શરૂ કરી હતી. PI રબારીએ અલગ – અલગ ચાર ટુકડીઓ બનાવી શોધખોળ શરૂ કરી હતી. એક ટીમે બાળકોના પરિવાર અને અન્ય લોકો સાથે પૂછપરછ તો બીજી ટીમોને વિસ્તારના આધારે શોધખોળ અને પ્રચાર માટેનબી કામગીરી સોંપાઈ હતી. એક ટીમને વાલિયા ચોકડી વિસ્તારમાં રમતા નાના બાળકો મારફતે માહિતી મળી કે બાળકો ફરવા જવા માટે ખુબ ઉત્સાહિત હતા અને વારંવાર ફરવા જવાના હોવાનું કહેતા રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

બાળકો કઈ દિશામાં અને ક્યાં શહેરમાં ગયા હશે તેની કોઈ માહિતી પોલીસ પાસે ન હતી. બાળકોનું પરિવાર મૂર્તિઓ અને કટલરીનો વ્યવસાય કરે છે. પરિવારે છેલ્લે ક્યાં ક્યાં વિસ્તારમાં પડાવ નાખ્યો હતો અને ક્યાં બાળકોને વધુ મજા પડી હતી તેની માહિઓટી એકત્રિત કરી ટીમ તે સ્થળોએ રવાના કરાઈ હતી. બે દિવસ અગાઉ સુરતના કામરેજ વિસ્તારમાં બાળકો નજરે પડ્યા હોવાની પોલીસને પહેલી સફળતા અહીં મળી હતી. આ બાદ દક્ષિણ ગુરાતની પોલીસ અને સંપર્કોનો ઉપયોગ કરી તપાસ કરવામાં આવતા સોનગઢમાં  બાળકો નજરે પડ્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. બાળકો દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ સ્થળે નજરે પડ્યા હતા

આજે બાળકો સુરતમાં હોવાની ચોક્કસ માહિતી સાંપડતા આજે અંકલેશ્વર પોલીસે સુરત ધમરોળી નાખ્યું હતું જ્યાં ચારેય બાળકો એક ઝાડ નીચે બેઠેલા નજરે પડતા પોલીસે રાહતનો દમ લીધો હતો. બાળકો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા? તેમને કોઈ લઈ ગયું હતું કે કેમ? આ સહિતના પ્રશ્નોના જવાબ માટે બાળકોના અંકલેશ્વર પહોંચવાનો ઇંતેજાર કરવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર પોલીસની એક ટીમ બાળકોને લઈ અંકલેશ્વર આવવા રવાના થઈ ગઈ છે.

આ પણ વાંચો : યુનિવર્સીટીએ કરેલી ભૂલ સુધારવા વિદ્યાર્થીઓએ 3000 રૂપિયા સુધી ખર્ચ કરવો પડશે, ફરમાન સામે NSUI એ વિરોધ કર્યો

આ પણ વાંચો : વિશ્વાસ જીતી વિશ્વાસઘાત કરી રૂપિયા 50 લાખની ખંડણી માટે મુંબઈના ઉદ્યોગપતિનું કરાયું હતું અપહરણ, જાણો સંપૂર્ણ મામલો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">