AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHARUCH : આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર નિમાયા

ધર્માંતરણના સંવેદનશીલ મામલામાં ભરૂચ જિલ્લા પોલીસે સ્પેશ્યલ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણુંક કરવા રાજ્ય સરકારને ભલામણ કરી હતી. જેમાં સરકાર દ્વારા ભરૂચ પોલીસની ભલામણ ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પરેશ પંડ્યાની નિમણૂક કરાઈ છે.

BHARUCH : આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર નિમાયા
Paresh Pandya Appointed as a Special public prosecutor
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 7:40 AM
Share

આમોદ તાલુકાના કાંકરિયા(Kakariya) ગામે વિદેશી ફન્ડિંગથી 150 આદિવાસીઓનું કરાયેલ ધર્માંતરણની ઘટનામાં ભરૂચ જિલ્લા પોલીસની ભલામણને ધ્યાને લઇ રાજ્ય સરકારે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર(Special public prosecutor) તરીકે પરેશ પંડ્યા(Paresh Pandya)ની નિમણુંક કરી છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામેથી લોભ, લાલચ, પ્રલોભનો આપી 150 આદિવાસીઓના કરવાયેલા ધર્માંતરણનો ઘટસ્ફોટ થયો હતો. વિદેશી ફન્ડિંગના જોરે કરાયેલા ધર્મ પરિવર્તનમાં ઉત્તરપ્રદેશ અને વડોદરા સાથે જોડાયા હતા. સલાઉદ્દીન શેખ, ઉંમર ગૌતમ અને મૂળ નબીપુરના અને વર્ષોથી લંડન સ્થાયી થયેલા અબ્દુલ્લા ફેફડાવાલાનું કનેક્શન આ સમગ્ર મામલે બહાર આવ્યું હતું.

ભરૂચ પોલીસે પણ ફેફડાવાલા સહિત 9 આરોપી સામે ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં રિમાન્ડ અને તપાસ દરમિયાન ઘણી હકીકતો બહાર આવી હતી.

ધર્માંતરણના સંવેદનશીલ મામલામાં ભરૂચ જિલ્લા પોલીસે સ્પેશ્યલ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણુંક કરવા રાજ્ય સરકારને ભલામણ કરી હતી. જેમાં સરકાર દ્વારા ભરૂચ પોલીસની ભલામણ ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પરેશ પંડ્યાની નિમણૂક કરાઈ છે. ધર્માંતરણ મામલે હવે ભરૂચના સરકારી વકીલ પરેશ પંડ્યા સરકાર તરફ કેસ લડશે. તેઓએ સરકારી વકીલ તરીકે બળાત્કાર , હત્યા અને રાજકીય હુમલાઓ સહિતના ગંભીર કેસોમાં આરોપીઓને સજા ફટકારવમાં સફળ ભૂમિકા ભજવી છે.

આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે ભરૂચના (Bharuch) બહુચર્ચીત કાંકરિયા ધર્માંતરણ કેસમાં (Religion conversion case) પોલીસે હિન્દુમાંથી મુસ્લિમ બનેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમના 5 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. રિમાન્ડમાં લેવાયેલા આરોપીની પૂછપરછમાં એવી માહિતી બહાર આવી છે કે, મુસ્લિમો દ્વારા અપાતી 2.5 ટકા જકાતના (Zakat) નાણાંનો ઉપયોગ ધર્મપરિવર્તન માટે કરાયો હતો. આ મામલે ધર્માંતરણની કાર્યવાહીમાં અંદાજીત 150 થી વધુ માણસોએ પોતાનું મૂળ હિન્દુ નામ બદલી મુસ્લિમ નામ ધારણ કરેલ છે. આ અંગે સોગંદનામા, આધારકાર્ડ અને ગેઝેટ બનાવી નામકરણ કરવા સુધીના આધાર પુરાવા મળી આવ્યા છે. તો મોટી સંખ્યામાં ગેઝેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  બાળકી પર દુષ્કર્મ કરનાર હેવાનને ફાંસીની સજા બાદ રાજય સરકારનો મોટો નિર્ણય, રાજ્યભરમાં થશે આ કામ

આ પણ વાંચો :  Vibrant Gujarat Summit 2022: સીએમ ભૂપેન્દ્ર પટેલે દુબઇમાં પ્રથમ દિવસે યુએઇના બે મંત્રી અને આઠ ઉદ્યોગપતિઓ સાથે સફળ મુલાકાત કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">