AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHARUCH : આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર નિમાયા

ધર્માંતરણના સંવેદનશીલ મામલામાં ભરૂચ જિલ્લા પોલીસે સ્પેશ્યલ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણુંક કરવા રાજ્ય સરકારને ભલામણ કરી હતી. જેમાં સરકાર દ્વારા ભરૂચ પોલીસની ભલામણ ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પરેશ પંડ્યાની નિમણૂક કરાઈ છે.

BHARUCH : આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર નિમાયા
Paresh Pandya Appointed as a Special public prosecutor
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 7:40 AM
Share

આમોદ તાલુકાના કાંકરિયા(Kakariya) ગામે વિદેશી ફન્ડિંગથી 150 આદિવાસીઓનું કરાયેલ ધર્માંતરણની ઘટનામાં ભરૂચ જિલ્લા પોલીસની ભલામણને ધ્યાને લઇ રાજ્ય સરકારે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર(Special public prosecutor) તરીકે પરેશ પંડ્યા(Paresh Pandya)ની નિમણુંક કરી છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામેથી લોભ, લાલચ, પ્રલોભનો આપી 150 આદિવાસીઓના કરવાયેલા ધર્માંતરણનો ઘટસ્ફોટ થયો હતો. વિદેશી ફન્ડિંગના જોરે કરાયેલા ધર્મ પરિવર્તનમાં ઉત્તરપ્રદેશ અને વડોદરા સાથે જોડાયા હતા. સલાઉદ્દીન શેખ, ઉંમર ગૌતમ અને મૂળ નબીપુરના અને વર્ષોથી લંડન સ્થાયી થયેલા અબ્દુલ્લા ફેફડાવાલાનું કનેક્શન આ સમગ્ર મામલે બહાર આવ્યું હતું.

ભરૂચ પોલીસે પણ ફેફડાવાલા સહિત 9 આરોપી સામે ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં રિમાન્ડ અને તપાસ દરમિયાન ઘણી હકીકતો બહાર આવી હતી.

ધર્માંતરણના સંવેદનશીલ મામલામાં ભરૂચ જિલ્લા પોલીસે સ્પેશ્યલ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણુંક કરવા રાજ્ય સરકારને ભલામણ કરી હતી. જેમાં સરકાર દ્વારા ભરૂચ પોલીસની ભલામણ ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પરેશ પંડ્યાની નિમણૂક કરાઈ છે. ધર્માંતરણ મામલે હવે ભરૂચના સરકારી વકીલ પરેશ પંડ્યા સરકાર તરફ કેસ લડશે. તેઓએ સરકારી વકીલ તરીકે બળાત્કાર , હત્યા અને રાજકીય હુમલાઓ સહિતના ગંભીર કેસોમાં આરોપીઓને સજા ફટકારવમાં સફળ ભૂમિકા ભજવી છે.

આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે ભરૂચના (Bharuch) બહુચર્ચીત કાંકરિયા ધર્માંતરણ કેસમાં (Religion conversion case) પોલીસે હિન્દુમાંથી મુસ્લિમ બનેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમના 5 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. રિમાન્ડમાં લેવાયેલા આરોપીની પૂછપરછમાં એવી માહિતી બહાર આવી છે કે, મુસ્લિમો દ્વારા અપાતી 2.5 ટકા જકાતના (Zakat) નાણાંનો ઉપયોગ ધર્મપરિવર્તન માટે કરાયો હતો. આ મામલે ધર્માંતરણની કાર્યવાહીમાં અંદાજીત 150 થી વધુ માણસોએ પોતાનું મૂળ હિન્દુ નામ બદલી મુસ્લિમ નામ ધારણ કરેલ છે. આ અંગે સોગંદનામા, આધારકાર્ડ અને ગેઝેટ બનાવી નામકરણ કરવા સુધીના આધાર પુરાવા મળી આવ્યા છે. તો મોટી સંખ્યામાં ગેઝેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  બાળકી પર દુષ્કર્મ કરનાર હેવાનને ફાંસીની સજા બાદ રાજય સરકારનો મોટો નિર્ણય, રાજ્યભરમાં થશે આ કામ

આ પણ વાંચો :  Vibrant Gujarat Summit 2022: સીએમ ભૂપેન્દ્ર પટેલે દુબઇમાં પ્રથમ દિવસે યુએઇના બે મંત્રી અને આઠ ઉદ્યોગપતિઓ સાથે સફળ મુલાકાત કરી

સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">