ભરૂચ નગરપાલિકા પરિસરમાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા, જાણો શું છે કારણ

ભરૂચ નગર સેવા સદનના શાસકોએ સામાન્ય સભા ન બોલાવતા વિપક્ષ કોંગ્રેસે જનતા સભા બોલાવી હતી. પોલીસે કોંગ્રેસના કાર્યકરોને નગર પાલિકા કચેરીમાં પ્રવેશવા ન દેતા વિપક્ષે કચેરી બહાર જ જનતા સભાનું આયોજન કર્યું હતું આ સમયે વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

ભરૂચ  નગરપાલિકા પરિસરમાં કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા, જાણો શું છે કારણ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 07, 2020 | 7:01 PM

ભરૂચ નગર સેવા સદનના શાસકોએ સામાન્ય સભા ન બોલાવતા વિપક્ષ કોંગ્રેસે જનતા સભા બોલાવી હતી. પોલીસે કોંગ્રેસના કાર્યકરોને નગર પાલિકા કચેરીમાં પ્રવેશવા ન દેતા વિપક્ષે કચેરી બહાર જ જનતા સભાનું આયોજન કર્યું હતું આ સમયે વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

Bharuch nagarpalika parisar ma congress ane police vache garshan drashyo sarjaya jano shu che karan

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોરોના મહામારી વચ્ચે ભાજપ શાષિત ભરૂચ નગર સેવા સદન દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી ન હતી. જેના પગલે વિપક્ષે શાસકોને 72 કલાકનું અલ્ટીમેટમ આપી સામાન્ય સભા ન બોલાવે તો જનતા સભા બોલાવવાની ચીમકી આપી હતી. આ તરફ શાસકોએ સર્ક્યુલર ઠરાવ ફેરવી એજન્ડા મંજુર કરાવ્યા હતા.વિપક્ષે કરેલ જાહેરાત અનુસાર આજ રોજ વિપક્ષનાં સભ્યો અને કોંગ્રેસના કાર્યકરો કેટલાક સ્થાનિક લોકો સાથે નગરપાલિકા કચેરી પર જનતા સભા માટે પહોંચ્યા હતા. જો કે પોલીસે નગરપાલિકા કચેરીનો ગેટ બંધ કરી દઈ તેઓને અંદર પ્રવેશવા દીધા ન હતા. આ બાબતે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં વિપક્ષના સભ્યો કચેરી બહાર જ બેસી ગયા હતા અને જનતા સભા શરુ કરી હતી. માત્ર ગણતરીની મિનીટ ચાલેલ જનતા સભા બાદ પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની દિલ્હીમાં કેન્દ્રીય મોવડીમંડળ સાથે બેઠક, પ્રદેશ સંગઠનમાં ફેરફારની શક્યતા

આ અંગે વિપક્ષના નેતા સમસાદ સૈયદે જણાવ્યું હતું કે શાસકો તેઓની નિષ્ફળ કામગીરીનાં કારણે લોકોનો રોષ પારખી ગયા હતા. આથી જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.જનતા સભામાં ઘણા પ્રશ્નો આવ્યા છે જેનું નિરાકરણ લાવવામાં તેઓ નીષ્ફળ નીવડ્યા છે. આ સાથે જ કોંગ્રેસ દ્વારા હવે દરેક વોર્ડ અને સોસાયટીમાં જનતા સભા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ તરફ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે સામાન્ય સભા નથી બોલાવી જો કે સર્ક્યુલર ઠરાવ થકી રૂપિયા 8 કરોડના વિકાસના કામો આવરી લેવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસે ચૂંટણી નજીક છે માટે હાઈલાઈટ થવું છે આથી આ પ્રકારના સ્ટંટ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
g clip-path="url(#clip0_868_265)">