Banaskatha : અંબાજીની જનરલ હોસ્પિટલમાં કોવિડ હેલ્થ સેન્ટર ઉભું કરાયું, વેન્ટિલેન્ટરની તંગીથી દર્દીઓ પરેશાન

Banaskatha : દાંતા તાલુકામાં સતત વધી રહેલા કોરોના પોઝેટીવ કેસોને લઈ દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે યાત્રાધામ અંબાજીની જનરલ હોસ્પિટલને હાલ ડેઝીગ્નેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે.

Banaskatha : અંબાજીની જનરલ હોસ્પિટલમાં કોવિડ હેલ્થ સેન્ટર ઉભું કરાયું, વેન્ટિલેન્ટરની તંગીથી દર્દીઓ પરેશાન
ફાઇલ
Follow Us:
| Updated on: Apr 25, 2021 | 3:40 PM

Banaskatha : દાંતા તાલુકામાં સતત વધી રહેલા કોરોના પોઝેટીવ કેસોને લઈ દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે યાત્રાધામ અંબાજીની જનરલ હોસ્પિટલને હાલ ડેઝીગ્નેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. હાલ તબક્કે આ કોવીડ હેલ્થ સેન્ટરમાં 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

દાંતા તાલુકામાં સતત વધી રહેલા કોરોના પોઝેટીવ કેસોને લઈ દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે યાત્રાધામ અંબાજીની જનરલ હોસ્પિટલને હાલ ડેઝીગ્નેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. હાલ તબક્કે આ કોવીડ હેલ્થ સેન્ટરમાં 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં 30 બેડ ઓક્સીજન વાળા અને 20 બેડ સાદા છે. જેમાં તમામ બેડ હાલ હાઉસફૂલ થઇ ગયા છે ને છતાં દર્દીઓનો ધસારો ચાલુ છે. જોકે હાલ તબક્કે ઓક્સીજન ઘટવાના લીધે દર્દીઓ મોટી સંખ્યામાં પરેશાન છે તેઓ અંબાજી પહોંચી રહ્યા છે. અને અંબાજી ખાતે ઓક્સીજનના જમ્બો સિલિન્ડર પાલનપુરથી લાવવામાં આવે છે પણ આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા ન હોવાથી દર્દીઓના મોત પણ નીપજી રહ્યા છે. હમણાં સુધી આ હોસ્પિટલમાં 7 જેટલા કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં મહત્તમ વેન્ટિલેટરના અભાવે આ પરિસ્થતિ નિર્માણ થઇ છે. જેને લઈ મૃત્યુ પામનાર વ્યક્તિના પરિજનો પણ આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા ઉભી કરવા માંગ કરી રહ્યા છે.

જોકે આ હોસ્પિટલમાં હમણાં સુધી 21 કોરોના દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઇ પોતાના ઘરે ગયા છે. અને આ હોસ્પિટલમાં હાલ તબક્કે કુલ 6 ઉપરાંત તબીબો સારવાર આપી રહ્યા છે. અને ઓક્સીજનની પડતી મોટી હાલાકીને લઈ ઓક્સીજન પ્લાન્ટ નાખવાની પણ તજવીજ હાથ ધરાઈ છે. જયારે વેન્ટિલેટર વગર કોરોના દર્દીઓના મોત નીપજી રહ્યા છે. તેને હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પણ સમર્થન આપી રહ્યા છે. ત્યારે સરકાર વેન્ટિલેટર સહીત તેના તબીબોની નિષ્ણાત ટીમ અને લેબોરેટરી આપે તો આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા થઇ શકે તેમ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ જનરલ હોસ્પિટલમાં દર્દીઓ સહીત તેમના સગાવાલાઓને જમવાની વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. જેને અંબાજીના સ્વંય સેવકો પણ ટેકો કરી રહ્યા છે.અને હાલ વધતા જતા દર્દીઓને ધ્યાનમાં રાખી વધુ 30 બેડ ઓક્સીજન વાળા તૈયાર કરાઈ રહ્યા છે.અને જરૂર પડશે તો આ હોસ્પિટલમાં 100થી 150 બેડની પણ સુવિધા કરવામાં આવશે.

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">