AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભરશિયાળે ઉનાળાના જેવી સ્થિતિ, પીવાના પાણી માટે મહિલાઓને પડાપડી કરવી પડે છે

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભરશિયાળે ઉનાળાના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શિયાળામાં પણ સુઈગામના લોદ્રાણી ગામના લોકો ટેન્કર દ્વારા પીવાના પાણી પર નિર્ભર છે, જેને લઇને સ્થાનિક લોકો પીવાનું પાણી પૂરું પાડવા માટેની કાયમી વ્યવસ્થા થાય તેવી માગ કરી રહ્યા છે

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભરશિયાળે ઉનાળાના જેવી સ્થિતિ, પીવાના પાણી માટે મહિલાઓને પડાપડી કરવી પડે છે
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પીવાનાં પાણી માટે મહીલાઓની પડાપડી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 6:41 PM
Share

રાજ્ય સરકાર નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરમાં નળથી પાણી પૂરુ પાડવવાની વાતો કરી રહી છે ત્યારે હકિકત એ છે કે બનાસકાંઠા (Banaskantha) ના સરહદી વિસ્તારોમાં લોકોને નળમાંથી પાણી મળવું તો દૂર ગામમાં ટેન્કર આવે તેના પર આધાર રાખવો પડે છે. આ વિસ્તારમાં ભરશિયાળે ઉનાળાના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શિયાળામાં પણ સુઈગામના લોદ્રાણી ગામના લોકો ટેન્કર દ્વારા પીવાના પાણી (drinking water) પર નિર્ભર છે. જેને લઇને સ્થાનિક લોકો પીવાનું પાણી પૂરું પાડવા માટેની કાયમી વ્યવસ્થા થાય તેવી માગ કરી રહ્યા છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં હંમેશા પાણીના પ્રશ્નો યથાવત્ રહે છે. ભારત પાકિસ્તાન બોર્ડર (Pakistan Border)  ને અડીને આવેલા ગામોમાં વર્ષોથી પાણીની સમસ્યા અકબંધ છે. સુઇગામ (Suigam) તાલુકાનું લોદ્રાણી ગામ છેવાડે આવેલું છે. પરંતુ આજે આ ગામમાં પીવાનું પાણી મળતું નથી. છેલ્લા પંદર દિવસથી ગામમાં પીવાનું પાણી નથી આવતું. જેના કારણે ગામની મહિલાઓ તેમજ સ્થાનિક લોકો પરેશાન છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા જે પાણી પશુઓના હવાડા ભરવા માટે મૂકવામાં આવે છે. તે પાણી લોકો પોતાના પીવાના પાણી માટે ઉપયોગ માટે ઉપયોગ કરે છે. જ્યારે પણ પાણીનું ટેન્કર ગામમાં આવે છે ત્યારે પાણી મેળવવા માટે મહિલાઓ પડાપડી કરતી નજરે પડે છે. પાણી વિના લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

સરહદી વિસ્તારના લોકો પાણી વિના પરેશાન છે. સ્થાનિક લોકો સરકારને વિનંતી કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે સરકાર લોકો સુધી પાણી પહોંચાડે. વારંવાર પાણી મામલે અનેક વાયદાઓ કરવામાં આવે છે. પરંતુ પાણી સરહદી વિસ્તારના લોકો સુધી પાણી પહોંચતું નથી. જો આગામી સમયમાં પીવાના પાણીના મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ વિસ્તારના લોકો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યાં છે.

સરહદી વિસ્તારના ગામોમાં દર વખતે પીવાના પાણીના પ્રશ્નો યથાવત છે. આ વર્ષે પણ હવે આગામી સમયમાં ઉનાળો આકરો બનશે. ત્યારે જો શિયાળામાં જ પાણીનો પ્રશ્ન સ્થાનિક લોકો માટે મુશ્કેલી બનતો હોય તો ઉનાળામાં કયા પ્રકારની સ્થિતિ સર્જાશે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ રાધનપુરના શેરગઢમાં યુવતી પર વિધર્મીના હુમલાની ઘટનામાં ભાભર બંધ, સવારથી જ બજારો સુમસામ

આ પણ વાંચોઃ Sabarkantha: અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે 1 ફેબ્રુઆરીથી ખુલશે, જાણો કયા નિયમોનું કરવુ પડશે પાલન

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">