બનાસકાંઠામાં પાલનપુર બજારમાં કારમાં આગ લાગી, આગ પર કાબૂ મેળવતા મોટી હોનારત ટળી

કારમાં આગ પાલનપુરના મુખ્ય બજારમાં ફટાકડાની દુકાન નજીક લાગતા અફડા તફડી મચી હતી. કારણ કે જો આગ ફટાકડાની દુકાનમાં લાગવાની સંભાવના વધી જાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 12:34 PM

ગુજરાતના(Gujarat)  બનાસકાંઠાના(Banaskantha) પાલનપુરમાં બજાર વચ્ચે કારમાં આગ(Fire)  લાગવાની ઘટના સામે આવી છે. જેમાં દિલ્હીગેટ વિસ્તારમાં ફટાકડાની બજાર નજીક કારમાં આગ લાગી હતી. જો કે આ દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ પાલનપુર ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

જો કે કારમાં આગ  પાલનપુરના મુખ્ય બજારમાં ફટાકડાની દુકાન નજીક લાગતા અફડા તફડી મચી હતી. કારણ કે જો આગ ફટાકડાની દુકાનમાં લાગવાની સંભાવના વધી જાત તેમજ તેની સાથે સાથે સમગ્ર બજારમાં આગ લાગવાની પણ શક્યતા વધી જાત. જો કે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેતા મોટી હોનારત થતી ટળી હતી.

જો કે બીજી તરફ સાબરકાંઠાના ઇડરના મુખ્ય બજારમાં રેસ્ટ હાઉસ આગળ ફટાકડાની લારીમાં આગ લાગવાની ઘટના પણ સામે આવી છે. જેમાં ફટાકડાની લારીમાં આગ લાગતા રસ્તા પર નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામ આવી હતી.

તેમજ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવાઇ હતી. જો કે આ દરમ્યાન લાયસન્સ વગર ફટાકડાનું ખુલ્લામાં વેચાણ કરાતા બેદરકારી સામે આવી હતી.

આ પણ વાંચો : વડોદરામાં વેલ્ડિંગ કરતી વખતે રિક્ષામાં આગ, કારીગર ભડભડ સળગી ગયો

આ પણ વાંચો : સરદાર પટેલ જન્મજયંતિ: અમિત શાહે સરદારની પ્રતિમાની કરી પૂજા, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, જુઓ દ્રશ્યો

Follow Us:
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
g clip-path="url(#clip0_868_265)">